સુરતમાં 18 વર્ષીય છોકરાએ કર્યો આપઘાત, ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન


  • Published By :
  • Published Date : 2023-01-31 15:55:07

અનેક લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આપઘાત કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં 18 વર્ષીય છોકરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા મમ્મીને વોટ્સએપ પર મેસેજ લખ્યો જેમાં તેણે સોરી લખ્યું હતું. ચાર દિવસ પહેલા જ આપઘાત કરનાર હાર્દિક ઝડફિયાએ થોડા દિવસ પહેલા જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રકારના પગલાથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


મમ્મીને સોરી લખી કર્યો આપઘાત 

છેલ્લા ઘણા સમયથી આપઘાત કરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આપઘાતનું પગલું ઉઠાવી મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં 18 વર્ષના બાળકે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આપઘાત કરતા પહેલા હાર્દિક ઝડફિયાએ પોતાની માતાને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જેમાં તેણે સોરી લખ્યું હતું. આ ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં બની છે. 


થોડા દિવસ પહેલા ઉજવાયો હતો જન્મદિવસ 

ખટોદરા વિસ્તારમાં રહેતા હાર્દિકે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાધો હતો. સારવાર માટે હાર્દિકને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાર્દિકના આ પગલાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. થોડા દિવસો પહેલા જ હાર્દિકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 


અકસ્માતનો ગુન્હો નોંધી પોલીસે કરી કાર્યવાહી 

આ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું કે હું નોકરી પરથી ઘરે ગયો હતો ત્યારે જોયું તો ભાઈ ગળે ફાંસો ખાઈ લટકતો હતો. નીચે ઉતારી માતાને જાણ કરી હતી. તેણે સ્કુલ પણ છોડી દીધી હતી. તેણે માતા પાસેથી પૈસા પણ માંગ્યા હતા પરંતુ માતાએ પૈસા ન હોવાનું કહ્યું હતું. તે બાદ મમ્મીને સોરી મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે તારી ઉંમર થઈ ગઈ છે કંઈક સહારો આપો બસ. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.