સુરતમાં 18 વર્ષીય છોકરાએ કર્યો આપઘાત, ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન


  • Published By :
  • Published Date : 2023-01-31 15:55:07

અનેક લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આપઘાત કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં 18 વર્ષીય છોકરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા મમ્મીને વોટ્સએપ પર મેસેજ લખ્યો જેમાં તેણે સોરી લખ્યું હતું. ચાર દિવસ પહેલા જ આપઘાત કરનાર હાર્દિક ઝડફિયાએ થોડા દિવસ પહેલા જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રકારના પગલાથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


મમ્મીને સોરી લખી કર્યો આપઘાત 

છેલ્લા ઘણા સમયથી આપઘાત કરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આપઘાતનું પગલું ઉઠાવી મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં 18 વર્ષના બાળકે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આપઘાત કરતા પહેલા હાર્દિક ઝડફિયાએ પોતાની માતાને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જેમાં તેણે સોરી લખ્યું હતું. આ ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં બની છે. 


થોડા દિવસ પહેલા ઉજવાયો હતો જન્મદિવસ 

ખટોદરા વિસ્તારમાં રહેતા હાર્દિકે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાધો હતો. સારવાર માટે હાર્દિકને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાર્દિકના આ પગલાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. થોડા દિવસો પહેલા જ હાર્દિકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 


અકસ્માતનો ગુન્હો નોંધી પોલીસે કરી કાર્યવાહી 

આ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું કે હું નોકરી પરથી ઘરે ગયો હતો ત્યારે જોયું તો ભાઈ ગળે ફાંસો ખાઈ લટકતો હતો. નીચે ઉતારી માતાને જાણ કરી હતી. તેણે સ્કુલ પણ છોડી દીધી હતી. તેણે માતા પાસેથી પૈસા પણ માંગ્યા હતા પરંતુ માતાએ પૈસા ન હોવાનું કહ્યું હતું. તે બાદ મમ્મીને સોરી મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે તારી ઉંમર થઈ ગઈ છે કંઈક સહારો આપો બસ. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.