Ahmedabadના આ વિસ્તારમાં બની અકસ્માતની ઘટના, AMTSની અડફેટે આવતા માસુમ બાળક બન્યો અકસ્માતનો ભોગ, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-08-24 11:19:41

ગુજરાતમાં સરકારી બસ દ્વારા અકસ્માત સર્જાયો હોવાની ઘટના અવાર-નવાર મળતી હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક વાર એએમટીએસ બસને કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે. મૃત્યુ પામનાર યુવાન નહીં પરંતુ બાળક છે. મળતી માહિતી અનુસાર જે માસુમ બાળકનું આ દુર્ઘટનામાં મોત થયું છે તે 7થી 8 વર્ષનો હતો. આ દુર્ઘટના પ્રેમ દરવાજા પાસે બની હતી. બાળક પોતાના ઘરે જઈ રહ્યું હતું ત્યારે પૂર ઝડપે આવી રહેલી બસ તેની પર ફરી વળી. 


એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત 

રસ્તા પર એમએટીએસ તેમજ બીઆરટીએસ બસ અનેક વખત બેફામ દોડતી દેખાય છે. અનેક વખત ડ્રાઈવર રસ્તા પર એવી રીતે બસને ચલાવતા હોય જાણે રસ્તો તેમના બાપનો હોય. કોઈ વખત તો નશાની હાલતમાં પણ બસ ડ્રાઈવરો દેખાતા હોય છે. ત્યારે પૂર ઝડપે આવી રહેલી એએમટીએસ બસ માસુમ બાળક માટે યમદૂત સાબિત થઈ છે. 


માસુમ બાળકે દુનિયાને કહી દીધું અલવિદા 

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવાર રાત્રે 9 વાગ્યાની આસપાસ 7-8 વર્ષનું બાળક પોતાના ઘરે જઈ રહ્યું હતું. જ્યારે તે પ્રેમ દરવાજાથી પસાર થયું ત્યારે ફૂલ સ્પીડમાં આવી રહેલી એએમટીએસે તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકે દુનિયાને અલવિદા કહી દીધું હતું. પોલીસે આ મામલે બસ ડ્રાઈવર વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.    

     

તથ્ય કાંડમાંથી પણ આપણે નથી લઈ રહ્યા બોધપાઠ 

મહત્વનું છે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજન અકસ્માતમાં ગુમાવ્યા હશે. ત્યારે કોઈની મજા બીજા માટે સજા રૂપ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. થોડા મહિના પહેલા ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આપણે ઘટનાઓમાંથી નથી શીખતા તે આપણી મોટામાં મોટી ખામી છે. જ્યાં સુધી આપણા પર ન વિતે ત્યાં સુધી આપણે નથી સુધરતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.