Ahmedabadના આ વિસ્તારમાં બની અકસ્માતની ઘટના, AMTSની અડફેટે આવતા માસુમ બાળક બન્યો અકસ્માતનો ભોગ, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-08-24 11:19:41

ગુજરાતમાં સરકારી બસ દ્વારા અકસ્માત સર્જાયો હોવાની ઘટના અવાર-નવાર મળતી હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક વાર એએમટીએસ બસને કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે. મૃત્યુ પામનાર યુવાન નહીં પરંતુ બાળક છે. મળતી માહિતી અનુસાર જે માસુમ બાળકનું આ દુર્ઘટનામાં મોત થયું છે તે 7થી 8 વર્ષનો હતો. આ દુર્ઘટના પ્રેમ દરવાજા પાસે બની હતી. બાળક પોતાના ઘરે જઈ રહ્યું હતું ત્યારે પૂર ઝડપે આવી રહેલી બસ તેની પર ફરી વળી. 


એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત 

રસ્તા પર એમએટીએસ તેમજ બીઆરટીએસ બસ અનેક વખત બેફામ દોડતી દેખાય છે. અનેક વખત ડ્રાઈવર રસ્તા પર એવી રીતે બસને ચલાવતા હોય જાણે રસ્તો તેમના બાપનો હોય. કોઈ વખત તો નશાની હાલતમાં પણ બસ ડ્રાઈવરો દેખાતા હોય છે. ત્યારે પૂર ઝડપે આવી રહેલી એએમટીએસ બસ માસુમ બાળક માટે યમદૂત સાબિત થઈ છે. 


માસુમ બાળકે દુનિયાને કહી દીધું અલવિદા 

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવાર રાત્રે 9 વાગ્યાની આસપાસ 7-8 વર્ષનું બાળક પોતાના ઘરે જઈ રહ્યું હતું. જ્યારે તે પ્રેમ દરવાજાથી પસાર થયું ત્યારે ફૂલ સ્પીડમાં આવી રહેલી એએમટીએસે તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકે દુનિયાને અલવિદા કહી દીધું હતું. પોલીસે આ મામલે બસ ડ્રાઈવર વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.    

     

તથ્ય કાંડમાંથી પણ આપણે નથી લઈ રહ્યા બોધપાઠ 

મહત્વનું છે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજન અકસ્માતમાં ગુમાવ્યા હશે. ત્યારે કોઈની મજા બીજા માટે સજા રૂપ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. થોડા મહિના પહેલા ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આપણે ઘટનાઓમાંથી નથી શીખતા તે આપણી મોટામાં મોટી ખામી છે. જ્યાં સુધી આપણા પર ન વિતે ત્યાં સુધી આપણે નથી સુધરતા.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.