ઉત્તરપ્રદેશમાં બની અકસ્માતની દુર્ઘટના, ઘટનામાં એક વ્યક્તિનું મોત


  • Published By :
  • Published Date : 2022-12-20 12:08:50

દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય છે. જેને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશમાં અકસ્માતની ઘટના બની છે. ગૌતમબુદ્ધ નગરમાં અકસ્માત થયો છે. 60 પેસેન્જરને લઈ જઈ રહેલી બસ અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલ શિયાળીની સિઝન ચાલે છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે વહેલી સવારે વાતાવરણ ધુમ્મસ વાળું હોય છે અને વિઝીબીટી એકદમ ઓછી હોય છે. ત્યારે આવા ધુમ્મસભર્યા વાતાવરણને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. ધુમ્મસ હોવાને કારણે પેસેન્જરને લઈ જઈ રહેલી બસ કન્ટેનટ સાથે અથડાઈ હતી. જેને કારણે અંદાજીત 10 લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.