ઉત્તરપ્રદેશમાં બની અકસ્માતની દુર્ઘટના, ઘટનામાં એક વ્યક્તિનું મોત


  • Published By :
  • Published Date : 2022-12-20 12:08:50

દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય છે. જેને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશમાં અકસ્માતની ઘટના બની છે. ગૌતમબુદ્ધ નગરમાં અકસ્માત થયો છે. 60 પેસેન્જરને લઈ જઈ રહેલી બસ અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલ શિયાળીની સિઝન ચાલે છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે વહેલી સવારે વાતાવરણ ધુમ્મસ વાળું હોય છે અને વિઝીબીટી એકદમ ઓછી હોય છે. ત્યારે આવા ધુમ્મસભર્યા વાતાવરણને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. ધુમ્મસ હોવાને કારણે પેસેન્જરને લઈ જઈ રહેલી બસ કન્ટેનટ સાથે અથડાઈ હતી. જેને કારણે અંદાજીત 10 લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.