ઉત્તરપ્રદેશમાં બની અકસ્માતની દુર્ઘટના, ઘટનામાં એક વ્યક્તિનું મોત


  • Published By :
  • Published Date : 2022-12-20 12:08:50

દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય છે. જેને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશમાં અકસ્માતની ઘટના બની છે. ગૌતમબુદ્ધ નગરમાં અકસ્માત થયો છે. 60 પેસેન્જરને લઈ જઈ રહેલી બસ અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલ શિયાળીની સિઝન ચાલે છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે વહેલી સવારે વાતાવરણ ધુમ્મસ વાળું હોય છે અને વિઝીબીટી એકદમ ઓછી હોય છે. ત્યારે આવા ધુમ્મસભર્યા વાતાવરણને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. ધુમ્મસ હોવાને કારણે પેસેન્જરને લઈ જઈ રહેલી બસ કન્ટેનટ સાથે અથડાઈ હતી. જેને કારણે અંદાજીત 10 લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.      



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.