જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, દોઢ વર્ષની બાળકીનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-27 12:17:03

અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અનેક વખત અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે જામનગર હાઈવે પર ત્રીજા દિવસે અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે ટ્રક અને ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.


નાની બાળકીનું થયું મોત  

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયા છે જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આવેલી હોટલ પાસે અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સાસુ-જમાઈ અને દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. તે સિવાય પરિવારના અન્ય બે સભ્યો ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


ગઈકાલે બન્યા અકસ્માતના અનેક બનાવ    

એક બે દિવસ પૂર્વે જ આ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. તે સિવાય ગણતંત્ર દિવસ પર પણ અનેક અકસ્માત થયા છે જેમાં લોકોના મોત થયા છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનના અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં બે લોકોના મોત થયા છે. અમદાવાદમાં ઠક્કરબાપાનગર પાસે અકસ્માત સર્જાયો છે. તે સિવાય સુરતમાં પણ અકસ્માતમાં બાળકનું મોત થયું છે. તે સિવાય ભરૂચમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો છે કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત થઈ ગયું છે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.