જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, દોઢ વર્ષની બાળકીનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-27 12:17:03

અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અનેક વખત અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે જામનગર હાઈવે પર ત્રીજા દિવસે અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે ટ્રક અને ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.


નાની બાળકીનું થયું મોત  

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયા છે જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આવેલી હોટલ પાસે અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સાસુ-જમાઈ અને દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. તે સિવાય પરિવારના અન્ય બે સભ્યો ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


ગઈકાલે બન્યા અકસ્માતના અનેક બનાવ    

એક બે દિવસ પૂર્વે જ આ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. તે સિવાય ગણતંત્ર દિવસ પર પણ અનેક અકસ્માત થયા છે જેમાં લોકોના મોત થયા છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનના અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં બે લોકોના મોત થયા છે. અમદાવાદમાં ઠક્કરબાપાનગર પાસે અકસ્માત સર્જાયો છે. તે સિવાય સુરતમાં પણ અકસ્માતમાં બાળકનું મોત થયું છે. તે સિવાય ભરૂચમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો છે કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત થઈ ગયું છે.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.