જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, દોઢ વર્ષની બાળકીનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-27 12:17:03

અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અનેક વખત અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે જામનગર હાઈવે પર ત્રીજા દિવસે અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે ટ્રક અને ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.


નાની બાળકીનું થયું મોત  

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયા છે જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આવેલી હોટલ પાસે અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સાસુ-જમાઈ અને દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. તે સિવાય પરિવારના અન્ય બે સભ્યો ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


ગઈકાલે બન્યા અકસ્માતના અનેક બનાવ    

એક બે દિવસ પૂર્વે જ આ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. તે સિવાય ગણતંત્ર દિવસ પર પણ અનેક અકસ્માત થયા છે જેમાં લોકોના મોત થયા છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનના અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં બે લોકોના મોત થયા છે. અમદાવાદમાં ઠક્કરબાપાનગર પાસે અકસ્માત સર્જાયો છે. તે સિવાય સુરતમાં પણ અકસ્માતમાં બાળકનું મોત થયું છે. તે સિવાય ભરૂચમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો છે કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત થઈ ગયું છે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.