જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની પ્રેક્ટિસ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, સ્ટેજ તૂટી પડતા લોકો થયા ઈજાગ્રસ્ત!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:24:44

પહેલી મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. મહાગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની સ્થાપના કરી હતી. જેને લઈ પહેલી મેને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસની ઉજવણી રાજ્યકક્ષાએ કરવામાં આવે છે. અલગ અલગ જગ્યાઓ પર દર વર્ષે આ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે આ વર્ષે જામનગર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તૈયારીઓ વચ્ચે એક દુર્ઘટના સર્જાઈ છે. જામનગરમાં રિહર્સલ ચાલી રહી હતી જે દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ તૂટ્યું હતું. મળતી માહિતી અનુસાર સ્ટેજ તૂટતા પાંચ લોકોને ઈજા પહોંચી છે.   


સ્થાપના દિવસ પહેલા થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

દર વર્ષે અલગ અલગ જગ્યાઓ પર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે આ વર્ષે જામનગર ખાતે આ દિવસની રાજ્યકક્ષા સ્તરે ઉજવણી થવાની છે. જામનગર ખાતે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ દિવસની ઉજવણી માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાપના દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગુજરાત ગૌરવ એવોર્ડ તેમજ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.




સ્ટેજ તૂટતા લોકો થયા ઈજાગસ્ત! 

તૈયારીઓ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ મુખ્ય સ્ટેજનો ભાગ વચ્ચેથી તૂટી પડ્યો હતો. સ્ટેજ તૂટી પડતાં ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. ઉજવણીમાં નાટકનું રિહર્સલ કરનારને ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે.        




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.