જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની પ્રેક્ટિસ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, સ્ટેજ તૂટી પડતા લોકો થયા ઈજાગ્રસ્ત!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:24:44

પહેલી મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. મહાગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની સ્થાપના કરી હતી. જેને લઈ પહેલી મેને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસની ઉજવણી રાજ્યકક્ષાએ કરવામાં આવે છે. અલગ અલગ જગ્યાઓ પર દર વર્ષે આ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે આ વર્ષે જામનગર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તૈયારીઓ વચ્ચે એક દુર્ઘટના સર્જાઈ છે. જામનગરમાં રિહર્સલ ચાલી રહી હતી જે દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ તૂટ્યું હતું. મળતી માહિતી અનુસાર સ્ટેજ તૂટતા પાંચ લોકોને ઈજા પહોંચી છે.   


સ્થાપના દિવસ પહેલા થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

દર વર્ષે અલગ અલગ જગ્યાઓ પર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે આ વર્ષે જામનગર ખાતે આ દિવસની રાજ્યકક્ષા સ્તરે ઉજવણી થવાની છે. જામનગર ખાતે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ દિવસની ઉજવણી માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાપના દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગુજરાત ગૌરવ એવોર્ડ તેમજ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.




સ્ટેજ તૂટતા લોકો થયા ઈજાગસ્ત! 

તૈયારીઓ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ મુખ્ય સ્ટેજનો ભાગ વચ્ચેથી તૂટી પડ્યો હતો. સ્ટેજ તૂટી પડતાં ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. ઉજવણીમાં નાટકનું રિહર્સલ કરનારને ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે.        




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.