જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની પ્રેક્ટિસ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, સ્ટેજ તૂટી પડતા લોકો થયા ઈજાગ્રસ્ત!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:24:44

પહેલી મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. મહાગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની સ્થાપના કરી હતી. જેને લઈ પહેલી મેને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસની ઉજવણી રાજ્યકક્ષાએ કરવામાં આવે છે. અલગ અલગ જગ્યાઓ પર દર વર્ષે આ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે આ વર્ષે જામનગર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તૈયારીઓ વચ્ચે એક દુર્ઘટના સર્જાઈ છે. જામનગરમાં રિહર્સલ ચાલી રહી હતી જે દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ તૂટ્યું હતું. મળતી માહિતી અનુસાર સ્ટેજ તૂટતા પાંચ લોકોને ઈજા પહોંચી છે.   


સ્થાપના દિવસ પહેલા થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

દર વર્ષે અલગ અલગ જગ્યાઓ પર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે આ વર્ષે જામનગર ખાતે આ દિવસની રાજ્યકક્ષા સ્તરે ઉજવણી થવાની છે. જામનગર ખાતે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ દિવસની ઉજવણી માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાપના દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગુજરાત ગૌરવ એવોર્ડ તેમજ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.




સ્ટેજ તૂટતા લોકો થયા ઈજાગસ્ત! 

તૈયારીઓ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ મુખ્ય સ્ટેજનો ભાગ વચ્ચેથી તૂટી પડ્યો હતો. સ્ટેજ તૂટી પડતાં ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. ઉજવણીમાં નાટકનું રિહર્સલ કરનારને ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે.        




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.