અમદાવાદમાં સતત બીજા દિવસે સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં પરિવારે ગુમાવ્યો કમાઉ સદસ્ય


  • Published By :
  • Published Date : 2023-03-03 14:55:20

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતોને કારણે જતા હોય છે. અમદાવાદમાં ગઈ કાલે જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી ત્યારે આજે ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. ઓવરસ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે નરોડા વિસ્તારમાં જે અકસ્માત થયો તેમાં પણ ઝડપથી આવેલી ગાડીએ રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને લપેટામાં લીધો હતો. ટક્કર મારી કારચાલક ફરાર થઈ ગયો હતો. યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે પાલીસે તપાસ હાથ ધરી છે. 


અક્માતમાં છીનવાઈ ગયો પરિવારનો આધારસ્તંભ    

એક્સિડન્ટને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે અમદાવાદમાં 24 કલાક જેટલા સમયમાં બે હિટ એન્ડ રનની ઘટના બની હતી.ગઈ કાલે અકસ્માત ઝાયડસ હોસ્પિટલ રોડ પર થયો હતો ત્યારે આજે અકસ્માત નરોડા વિસ્તારમાં સર્જાયો છે. રસ્તો ક્રોસ કરી રહેલો યુવક કાળનો કોળિયો બન્યો છે. ઝડપમાં ચાલી રહેલી ગાડીએ પોતાની અટફેટમાં યુવકને લીધો હતો. જેને કારણે યુવકનું મોત થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું  નામ રવિ હતું. પોતાની માતા અને નાની બહેન સાથે રહેતો હતો અને પરિવારમાં રવિ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. રવિનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 


ઝડપથી આવી રહેલી ગાડીએ દંપત્તિને મારી હતી ટક્કર 

ગઈ કાલે પણ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઝાયડસ હોસ્પિટલ રોડ પર બીએમડબ્લ્યુ કારે રસ્તા પર ચાલતા દંપત્તિને ટક્કર મારી હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. થોડા કિલોમીટર દૂરથી ગાડી મળી આવી હતી.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.