અમદાવાદમાં સતત બીજા દિવસે સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં પરિવારે ગુમાવ્યો કમાઉ સદસ્ય


  • Published By :
  • Published Date : 2023-03-03 14:55:20

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતોને કારણે જતા હોય છે. અમદાવાદમાં ગઈ કાલે જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી ત્યારે આજે ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. ઓવરસ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે નરોડા વિસ્તારમાં જે અકસ્માત થયો તેમાં પણ ઝડપથી આવેલી ગાડીએ રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને લપેટામાં લીધો હતો. ટક્કર મારી કારચાલક ફરાર થઈ ગયો હતો. યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે પાલીસે તપાસ હાથ ધરી છે. 


અક્માતમાં છીનવાઈ ગયો પરિવારનો આધારસ્તંભ    

એક્સિડન્ટને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે અમદાવાદમાં 24 કલાક જેટલા સમયમાં બે હિટ એન્ડ રનની ઘટના બની હતી.ગઈ કાલે અકસ્માત ઝાયડસ હોસ્પિટલ રોડ પર થયો હતો ત્યારે આજે અકસ્માત નરોડા વિસ્તારમાં સર્જાયો છે. રસ્તો ક્રોસ કરી રહેલો યુવક કાળનો કોળિયો બન્યો છે. ઝડપમાં ચાલી રહેલી ગાડીએ પોતાની અટફેટમાં યુવકને લીધો હતો. જેને કારણે યુવકનું મોત થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું  નામ રવિ હતું. પોતાની માતા અને નાની બહેન સાથે રહેતો હતો અને પરિવારમાં રવિ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. રવિનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 


ઝડપથી આવી રહેલી ગાડીએ દંપત્તિને મારી હતી ટક્કર 

ગઈ કાલે પણ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઝાયડસ હોસ્પિટલ રોડ પર બીએમડબ્લ્યુ કારે રસ્તા પર ચાલતા દંપત્તિને ટક્કર મારી હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. થોડા કિલોમીટર દૂરથી ગાડી મળી આવી હતી.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.