અમદાવાદમાં સતત બીજા દિવસે સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં પરિવારે ગુમાવ્યો કમાઉ સદસ્ય


  • Published By :
  • Published Date : 2023-03-03 14:55:20

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતોને કારણે જતા હોય છે. અમદાવાદમાં ગઈ કાલે જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી ત્યારે આજે ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. ઓવરસ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે નરોડા વિસ્તારમાં જે અકસ્માત થયો તેમાં પણ ઝડપથી આવેલી ગાડીએ રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને લપેટામાં લીધો હતો. ટક્કર મારી કારચાલક ફરાર થઈ ગયો હતો. યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે પાલીસે તપાસ હાથ ધરી છે. 


અક્માતમાં છીનવાઈ ગયો પરિવારનો આધારસ્તંભ    

એક્સિડન્ટને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે અમદાવાદમાં 24 કલાક જેટલા સમયમાં બે હિટ એન્ડ રનની ઘટના બની હતી.ગઈ કાલે અકસ્માત ઝાયડસ હોસ્પિટલ રોડ પર થયો હતો ત્યારે આજે અકસ્માત નરોડા વિસ્તારમાં સર્જાયો છે. રસ્તો ક્રોસ કરી રહેલો યુવક કાળનો કોળિયો બન્યો છે. ઝડપમાં ચાલી રહેલી ગાડીએ પોતાની અટફેટમાં યુવકને લીધો હતો. જેને કારણે યુવકનું મોત થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું  નામ રવિ હતું. પોતાની માતા અને નાની બહેન સાથે રહેતો હતો અને પરિવારમાં રવિ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. રવિનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 


ઝડપથી આવી રહેલી ગાડીએ દંપત્તિને મારી હતી ટક્કર 

ગઈ કાલે પણ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઝાયડસ હોસ્પિટલ રોડ પર બીએમડબ્લ્યુ કારે રસ્તા પર ચાલતા દંપત્તિને ટક્કર મારી હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. થોડા કિલોમીટર દૂરથી ગાડી મળી આવી હતી.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે