અમદાવાદમાં સતત બીજા દિવસે સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં પરિવારે ગુમાવ્યો કમાઉ સદસ્ય


  • Published By :
  • Published Date : 2023-03-03 14:55:20

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતોને કારણે જતા હોય છે. અમદાવાદમાં ગઈ કાલે જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી ત્યારે આજે ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. ઓવરસ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે નરોડા વિસ્તારમાં જે અકસ્માત થયો તેમાં પણ ઝડપથી આવેલી ગાડીએ રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને લપેટામાં લીધો હતો. ટક્કર મારી કારચાલક ફરાર થઈ ગયો હતો. યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે પાલીસે તપાસ હાથ ધરી છે. 


અક્માતમાં છીનવાઈ ગયો પરિવારનો આધારસ્તંભ    

એક્સિડન્ટને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે અમદાવાદમાં 24 કલાક જેટલા સમયમાં બે હિટ એન્ડ રનની ઘટના બની હતી.ગઈ કાલે અકસ્માત ઝાયડસ હોસ્પિટલ રોડ પર થયો હતો ત્યારે આજે અકસ્માત નરોડા વિસ્તારમાં સર્જાયો છે. રસ્તો ક્રોસ કરી રહેલો યુવક કાળનો કોળિયો બન્યો છે. ઝડપમાં ચાલી રહેલી ગાડીએ પોતાની અટફેટમાં યુવકને લીધો હતો. જેને કારણે યુવકનું મોત થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું  નામ રવિ હતું. પોતાની માતા અને નાની બહેન સાથે રહેતો હતો અને પરિવારમાં રવિ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. રવિનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 


ઝડપથી આવી રહેલી ગાડીએ દંપત્તિને મારી હતી ટક્કર 

ગઈ કાલે પણ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઝાયડસ હોસ્પિટલ રોડ પર બીએમડબ્લ્યુ કારે રસ્તા પર ચાલતા દંપત્તિને ટક્કર મારી હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. થોડા કિલોમીટર દૂરથી ગાડી મળી આવી હતી.    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.