અમદાવાદના મીઠાખળીમાં સર્જાઈ દુર્ઘટના, જર્જરિત મકાન ઉતારતી વખતે ભાગ પડી જતા મજૂર થયો ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-07-25 16:46:57

રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, જૂની બિલ્ડીંગો તેમજ મકાનો ધરાશાયી થયા હોવાના સમાચાર મળતા રહે છે. ગઈકાલે જૂનાગઢમાં બે માળનું મકાન ધરાશાયી થતા ચાર લોકોના મોત નિપજ્યાં હતા. જર્જરિત મકાનો મુખ્યત્વે આવા સમય દરમિયાન તૂટી પડતા હોય છે. ત્યારે અમદાવાદમાં દુર્ઘટના ન સર્જાય તે માટે મીઠાખળી વિસ્તારમાં જૂના મકાનને ઉતારવામાં આવ્યું હતું. પરંતુ તે સમય દરમિયાન દુર્ઘટના સર્જાઈ કે મકાન ઉતારતી વખતે જ મકાનનો એક ભાગ તૂટી પડ્યો અને તેની નીચે મજૂર દબાઈ ગયો. ઈજાઓ પહોંચતા મજૂરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.    


મકાન નીચે ઉતારતી વખતે સર્જાઈ દુર્ઘટના  

ગઈકાલે જૂનાગઢથી મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે આજે અમદાવાદમાં આવી ઘટના બની છે. આ દુર્ઘટના ત્યારે બની છે જ્યારે મકાનને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના ન સર્જાય તે માટે મકાન ઉતારવાની  નોટિસ એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેને પગલે મકાન માલિકે કોન્ટ્રાક્ટરને કામ આપી મકાન ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. 


મજૂર ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા 

મકાન ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર પાસે કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. કામ શરૂ થતાં સવારે મજૂરો દ્વારા મકાન ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અને તે સમયે મકાનનો એક ભાગ તૂટી પડતાં મજૂર કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ધાબું બેસી ગયું છે. જેના કારણે મજૂર નીચે પટકાઈ ગયા. અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ તરત ખસેડવામાં આવ્યા હતા. જૂનુ મકાન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. મહત્વનું છે કે અનેક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.