અમદાવાદના મીઠાખળીમાં સર્જાઈ દુર્ઘટના, જર્જરિત મકાન ઉતારતી વખતે ભાગ પડી જતા મજૂર થયો ઈજાગ્રસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-25 16:46:57

રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, જૂની બિલ્ડીંગો તેમજ મકાનો ધરાશાયી થયા હોવાના સમાચાર મળતા રહે છે. ગઈકાલે જૂનાગઢમાં બે માળનું મકાન ધરાશાયી થતા ચાર લોકોના મોત નિપજ્યાં હતા. જર્જરિત મકાનો મુખ્યત્વે આવા સમય દરમિયાન તૂટી પડતા હોય છે. ત્યારે અમદાવાદમાં દુર્ઘટના ન સર્જાય તે માટે મીઠાખળી વિસ્તારમાં જૂના મકાનને ઉતારવામાં આવ્યું હતું. પરંતુ તે સમય દરમિયાન દુર્ઘટના સર્જાઈ કે મકાન ઉતારતી વખતે જ મકાનનો એક ભાગ તૂટી પડ્યો અને તેની નીચે મજૂર દબાઈ ગયો. ઈજાઓ પહોંચતા મજૂરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.    


મકાન નીચે ઉતારતી વખતે સર્જાઈ દુર્ઘટના  

ગઈકાલે જૂનાગઢથી મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે આજે અમદાવાદમાં આવી ઘટના બની છે. આ દુર્ઘટના ત્યારે બની છે જ્યારે મકાનને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના ન સર્જાય તે માટે મકાન ઉતારવાની  નોટિસ એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેને પગલે મકાન માલિકે કોન્ટ્રાક્ટરને કામ આપી મકાન ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. 


મજૂર ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા 

મકાન ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર પાસે કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. કામ શરૂ થતાં સવારે મજૂરો દ્વારા મકાન ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અને તે સમયે મકાનનો એક ભાગ તૂટી પડતાં મજૂર કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ધાબું બેસી ગયું છે. જેના કારણે મજૂર નીચે પટકાઈ ગયા. અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ તરત ખસેડવામાં આવ્યા હતા. જૂનુ મકાન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. મહત્વનું છે કે અનેક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. 




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે