અમદાવાદના શાહપુરમાં સર્જાયો અકસ્માત, AMTS બસના ડ્રાઈવરે વૃદ્ધને અડફેટે લેતા નિપજ્યું મોત, ડ્રાઈવર ફરાર


  • Published By :
  • Published Date : 2023-07-04 13:41:59

રસ્તા પર ચાલતા બેફામ વાહનોને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય છે. કોઈ સ્ટંટ કરવા માટે બેફામ રીતે વાહનને ચલાવે છે તો કોઈ રિલ બનાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. બેફામ ચાલતા વાહનોને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને જેને કારણે કોઈ માણસનું મોત પણ થાય છે. ત્યારે શાહપુરમાં એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે જેમાં એક વૃદ્ધનું મોત પણ થઈ ગયું છે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે અનેક વખત સરકારી બસને કારણે અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોના જીવ પણ ગયા છે.


શાહપુર નજીક એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત!

અમદાવાદના રસ્તા પર ચાલતી એએમટીએસ બસને અમદાવાદીઓ માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. અનેક મુસાફરો બસમાં મુસાફરી કરી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકારી બસના ડ્રાઈવર ચર્ચામાં આવી રહ્યા છે. બસ ડ્રાઈવરના અનેક વીડિયો સામે આવતા રહે છે જેમાં જોવા મળે છે કે કેટલી ઝડપમાં તેઓ બસને ચલાવતા હોય છે. અનેક વખત ડ્રાઈવરો દ્વારા રાખવામાં આવતી બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. એસટી બસના પણ અનેક વીડિયો સામે આવતા હોય છે જેને કારણે સલામતી સવારીના સ્લોગન પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. ત્યારે અમદાવાદના શાહપુરમાં એએમટીએસ બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બેફામ બનેલા ડ્રાઈવરે એક વૃદ્ધને અડફેટે લીધા છે અને તેમનું મોત થયું છે. અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. 


10 વર્ષમાં સર્જાયા બસને કારણે આટલા અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પુરઝડપે આવતી બસ અનેક લોકો માટે કાળ સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા વિશાલા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક વાહનોને બસે પોતાની અડફેટે લીધા હતા. જો અકસ્માતોના સંખ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષની અંદર 2400થી વધારે અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે એમટીએસ બસ દ્વારા થયેલો અકસ્માત કોઈ નવી વાત નથી. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.