અમદાવાદના શાહપુરમાં સર્જાયો અકસ્માત, AMTS બસના ડ્રાઈવરે વૃદ્ધને અડફેટે લેતા નિપજ્યું મોત, ડ્રાઈવર ફરાર


  • Published By :
  • Published Date : 2023-07-04 13:41:59

રસ્તા પર ચાલતા બેફામ વાહનોને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય છે. કોઈ સ્ટંટ કરવા માટે બેફામ રીતે વાહનને ચલાવે છે તો કોઈ રિલ બનાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. બેફામ ચાલતા વાહનોને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને જેને કારણે કોઈ માણસનું મોત પણ થાય છે. ત્યારે શાહપુરમાં એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે જેમાં એક વૃદ્ધનું મોત પણ થઈ ગયું છે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે અનેક વખત સરકારી બસને કારણે અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોના જીવ પણ ગયા છે.


શાહપુર નજીક એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત!

અમદાવાદના રસ્તા પર ચાલતી એએમટીએસ બસને અમદાવાદીઓ માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. અનેક મુસાફરો બસમાં મુસાફરી કરી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકારી બસના ડ્રાઈવર ચર્ચામાં આવી રહ્યા છે. બસ ડ્રાઈવરના અનેક વીડિયો સામે આવતા રહે છે જેમાં જોવા મળે છે કે કેટલી ઝડપમાં તેઓ બસને ચલાવતા હોય છે. અનેક વખત ડ્રાઈવરો દ્વારા રાખવામાં આવતી બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. એસટી બસના પણ અનેક વીડિયો સામે આવતા હોય છે જેને કારણે સલામતી સવારીના સ્લોગન પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. ત્યારે અમદાવાદના શાહપુરમાં એએમટીએસ બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બેફામ બનેલા ડ્રાઈવરે એક વૃદ્ધને અડફેટે લીધા છે અને તેમનું મોત થયું છે. અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. 


10 વર્ષમાં સર્જાયા બસને કારણે આટલા અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પુરઝડપે આવતી બસ અનેક લોકો માટે કાળ સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા વિશાલા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક વાહનોને બસે પોતાની અડફેટે લીધા હતા. જો અકસ્માતોના સંખ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષની અંદર 2400થી વધારે અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે એમટીએસ બસ દ્વારા થયેલો અકસ્માત કોઈ નવી વાત નથી. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.