અમદાવાદના શાહપુરમાં સર્જાયો અકસ્માત, AMTS બસના ડ્રાઈવરે વૃદ્ધને અડફેટે લેતા નિપજ્યું મોત, ડ્રાઈવર ફરાર


  • Published By :
  • Published Date : 2023-07-04 13:41:59

રસ્તા પર ચાલતા બેફામ વાહનોને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય છે. કોઈ સ્ટંટ કરવા માટે બેફામ રીતે વાહનને ચલાવે છે તો કોઈ રિલ બનાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. બેફામ ચાલતા વાહનોને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને જેને કારણે કોઈ માણસનું મોત પણ થાય છે. ત્યારે શાહપુરમાં એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે જેમાં એક વૃદ્ધનું મોત પણ થઈ ગયું છે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે અનેક વખત સરકારી બસને કારણે અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોના જીવ પણ ગયા છે.


શાહપુર નજીક એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત!

અમદાવાદના રસ્તા પર ચાલતી એએમટીએસ બસને અમદાવાદીઓ માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. અનેક મુસાફરો બસમાં મુસાફરી કરી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકારી બસના ડ્રાઈવર ચર્ચામાં આવી રહ્યા છે. બસ ડ્રાઈવરના અનેક વીડિયો સામે આવતા રહે છે જેમાં જોવા મળે છે કે કેટલી ઝડપમાં તેઓ બસને ચલાવતા હોય છે. અનેક વખત ડ્રાઈવરો દ્વારા રાખવામાં આવતી બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. એસટી બસના પણ અનેક વીડિયો સામે આવતા હોય છે જેને કારણે સલામતી સવારીના સ્લોગન પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. ત્યારે અમદાવાદના શાહપુરમાં એએમટીએસ બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બેફામ બનેલા ડ્રાઈવરે એક વૃદ્ધને અડફેટે લીધા છે અને તેમનું મોત થયું છે. અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. 


10 વર્ષમાં સર્જાયા બસને કારણે આટલા અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પુરઝડપે આવતી બસ અનેક લોકો માટે કાળ સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા વિશાલા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક વાહનોને બસે પોતાની અડફેટે લીધા હતા. જો અકસ્માતોના સંખ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષની અંદર 2400થી વધારે અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે એમટીએસ બસ દ્વારા થયેલો અકસ્માત કોઈ નવી વાત નથી. 




થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?