અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-02-06 16:16:32

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ફરી એક વખત રક્તરંજિત થયો છે. એક્સપ્રેસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી ગઈ જેને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે અને આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  




ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત 

હાઈવે પર અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે  અમદાવાદ - વડોદરા હાઈવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત 3 લોકોના મોત થયા છે. આણંદ પાસે ઉભેલા ટ્રકની પાછળ ગાડી ધૂસી આવી હતી. વહેલી સવારનો સમય હોવાને કારણે ઈકો કારને ટ્રક દેખાઈ ન હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો અવાજ સંભળાતા લોકો અને સ્થાનિકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ખંભોળજ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળ પર આવી પોલીસે તપાસ હાથ ધરી હતી.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.