અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-02-06 16:16:32

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ફરી એક વખત રક્તરંજિત થયો છે. એક્સપ્રેસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી ગઈ જેને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે અને આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  




ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત 

હાઈવે પર અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે  અમદાવાદ - વડોદરા હાઈવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત 3 લોકોના મોત થયા છે. આણંદ પાસે ઉભેલા ટ્રકની પાછળ ગાડી ધૂસી આવી હતી. વહેલી સવારનો સમય હોવાને કારણે ઈકો કારને ટ્રક દેખાઈ ન હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો અવાજ સંભળાતા લોકો અને સ્થાનિકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ખંભોળજ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળ પર આવી પોલીસે તપાસ હાથ ધરી હતી.   



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.