વર્ષના પ્રથમ દિવસે સર્જાયો અકસ્માત, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-01 15:50:49

અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો છે જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકો મોતને ભેટ્યા છે જ્યારે એક વ્યક્તિની હાલત એકદમ ગંભીર છે. ઈજાઓ પહોંચતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા 5 લોકોના મોત  

નવા વર્ષના પ્રથમ દિવસે અનેક જગ્યાઓ પર અકસ્માત થવાની ઘટના સામે આવી છે. એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 5 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળી રહે તે માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના કઈ રીતે બની તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજી માહિતી નથી મળી. 


કેરળમાં પણ બન્યા બે અકસ્માત 

આ સિવાય કેરળમાં બે અકસ્માતની ઘટના બની હતી. એક અકસ્માતના બનાવમાં પર્યકટોની બસ પલટી ગઈ હતી જેમાં એક એન્જિનીયરિંગના વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો આ ઘટનાને કારણે ઘાયલ થયા છે. બસ પલટી જતા પોલીસ અને વનવિભાગના અધિકારીઓ જંગલમાં આવી પહોચ્યા હતા અને ઈજા પામેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ  સિવાયની બીજી દુર્ઘટના પોલીસની ગાડી અને બાઈક વચ્ચે થયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર બંને લોકોના મોત થયા છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.