વર્ષના પ્રથમ દિવસે સર્જાયો અકસ્માત, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-01 15:50:49

અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો છે જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકો મોતને ભેટ્યા છે જ્યારે એક વ્યક્તિની હાલત એકદમ ગંભીર છે. ઈજાઓ પહોંચતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા 5 લોકોના મોત  

નવા વર્ષના પ્રથમ દિવસે અનેક જગ્યાઓ પર અકસ્માત થવાની ઘટના સામે આવી છે. એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 5 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળી રહે તે માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના કઈ રીતે બની તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજી માહિતી નથી મળી. 


કેરળમાં પણ બન્યા બે અકસ્માત 

આ સિવાય કેરળમાં બે અકસ્માતની ઘટના બની હતી. એક અકસ્માતના બનાવમાં પર્યકટોની બસ પલટી ગઈ હતી જેમાં એક એન્જિનીયરિંગના વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો આ ઘટનાને કારણે ઘાયલ થયા છે. બસ પલટી જતા પોલીસ અને વનવિભાગના અધિકારીઓ જંગલમાં આવી પહોચ્યા હતા અને ઈજા પામેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ  સિવાયની બીજી દુર્ઘટના પોલીસની ગાડી અને બાઈક વચ્ચે થયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર બંને લોકોના મોત થયા છે.   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.