વર્ષના પ્રથમ દિવસે સર્જાયો અકસ્માત, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-01 15:50:49

અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો છે જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકો મોતને ભેટ્યા છે જ્યારે એક વ્યક્તિની હાલત એકદમ ગંભીર છે. ઈજાઓ પહોંચતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા 5 લોકોના મોત  

નવા વર્ષના પ્રથમ દિવસે અનેક જગ્યાઓ પર અકસ્માત થવાની ઘટના સામે આવી છે. એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 5 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળી રહે તે માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના કઈ રીતે બની તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજી માહિતી નથી મળી. 


કેરળમાં પણ બન્યા બે અકસ્માત 

આ સિવાય કેરળમાં બે અકસ્માતની ઘટના બની હતી. એક અકસ્માતના બનાવમાં પર્યકટોની બસ પલટી ગઈ હતી જેમાં એક એન્જિનીયરિંગના વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો આ ઘટનાને કારણે ઘાયલ થયા છે. બસ પલટી જતા પોલીસ અને વનવિભાગના અધિકારીઓ જંગલમાં આવી પહોચ્યા હતા અને ઈજા પામેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ  સિવાયની બીજી દુર્ઘટના પોલીસની ગાડી અને બાઈક વચ્ચે થયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર બંને લોકોના મોત થયા છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.