વર્ષના પ્રથમ દિવસે સર્જાયો અકસ્માત, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-01 15:50:49

અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો છે જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકો મોતને ભેટ્યા છે જ્યારે એક વ્યક્તિની હાલત એકદમ ગંભીર છે. ઈજાઓ પહોંચતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા 5 લોકોના મોત  

નવા વર્ષના પ્રથમ દિવસે અનેક જગ્યાઓ પર અકસ્માત થવાની ઘટના સામે આવી છે. એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 5 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળી રહે તે માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના કઈ રીતે બની તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજી માહિતી નથી મળી. 


કેરળમાં પણ બન્યા બે અકસ્માત 

આ સિવાય કેરળમાં બે અકસ્માતની ઘટના બની હતી. એક અકસ્માતના બનાવમાં પર્યકટોની બસ પલટી ગઈ હતી જેમાં એક એન્જિનીયરિંગના વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો આ ઘટનાને કારણે ઘાયલ થયા છે. બસ પલટી જતા પોલીસ અને વનવિભાગના અધિકારીઓ જંગલમાં આવી પહોચ્યા હતા અને ઈજા પામેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ  સિવાયની બીજી દુર્ઘટના પોલીસની ગાડી અને બાઈક વચ્ચે થયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર બંને લોકોના મોત થયા છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.