કોડિનાર નજીક કૂવામાં ગાડી ખાબકતા સર્જાઈ દુર્ઘટના, કારમાં સવાર બે યુવાનોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 12:26:25

ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે કોડીનાર પાસે એક ભયંકર ઘટના બની છે જેમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેતા એક ગાડી કુવામાં ખાબકી છે. આ ઘટના કોડીનારના ફાયરિયા ગામ નજીક બની હતી. ઘટનાને પગલે ત્યાં હાજર લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રેસ્કયુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કારમાં બેઠેલા બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

 


ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત 

અકસ્માતની સંખ્યા વધી રહી છે. અનેક લોકોના જીવ દુર્ઘટનાને કારણે જતા હોય છે. ત્યારે મોડી રાત્રે એક ભયાનક ઘટના ગીર સોમનાથમાં બની હતી. પેટ્રોલ પમ્પ પાસે એક કાર કૂવામાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના કોડીનારના ફાચરિયા ગામ નજીક બની બતી. કાબુ ગુમાવી દેતા ગાડી કૂવામાં પડી ગઈ હતી. ગાડીમાં સવાર લોકોને બચાવા સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સવારના ચાર વાગ્યા સુધી બચાવની કામગીરી ચાલી રહી હતી.  

 

કારમાં સવાર બંને યુવકોના થયા મોત 

રેસ્ક્યુ ઓપરેશન કરી કલાકોની ભારે મહેનત બહાર ગાડી બહાર કાઢવામાં આવી હતી. રાતથી લઈ સવાર સુધી બચાવની કામગીરી કરવામાં આવી હતી. ગાડી તો બહાર આવી પરંતુ ગાડીમાં બેઠેલા બંને યુવાનોના મોત થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનો વડનગરના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.     




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.