કોડિનાર નજીક કૂવામાં ગાડી ખાબકતા સર્જાઈ દુર્ઘટના, કારમાં સવાર બે યુવાનોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 12:26:25

ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે કોડીનાર પાસે એક ભયંકર ઘટના બની છે જેમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેતા એક ગાડી કુવામાં ખાબકી છે. આ ઘટના કોડીનારના ફાયરિયા ગામ નજીક બની હતી. ઘટનાને પગલે ત્યાં હાજર લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રેસ્કયુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કારમાં બેઠેલા બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

 


ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત 

અકસ્માતની સંખ્યા વધી રહી છે. અનેક લોકોના જીવ દુર્ઘટનાને કારણે જતા હોય છે. ત્યારે મોડી રાત્રે એક ભયાનક ઘટના ગીર સોમનાથમાં બની હતી. પેટ્રોલ પમ્પ પાસે એક કાર કૂવામાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના કોડીનારના ફાચરિયા ગામ નજીક બની બતી. કાબુ ગુમાવી દેતા ગાડી કૂવામાં પડી ગઈ હતી. ગાડીમાં સવાર લોકોને બચાવા સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સવારના ચાર વાગ્યા સુધી બચાવની કામગીરી ચાલી રહી હતી.  

 

કારમાં સવાર બંને યુવકોના થયા મોત 

રેસ્ક્યુ ઓપરેશન કરી કલાકોની ભારે મહેનત બહાર ગાડી બહાર કાઢવામાં આવી હતી. રાતથી લઈ સવાર સુધી બચાવની કામગીરી કરવામાં આવી હતી. ગાડી તો બહાર આવી પરંતુ ગાડીમાં બેઠેલા બંને યુવાનોના મોત થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનો વડનગરના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.