કોડિનાર નજીક કૂવામાં ગાડી ખાબકતા સર્જાઈ દુર્ઘટના, કારમાં સવાર બે યુવાનોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 12:26:25

ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે કોડીનાર પાસે એક ભયંકર ઘટના બની છે જેમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેતા એક ગાડી કુવામાં ખાબકી છે. આ ઘટના કોડીનારના ફાયરિયા ગામ નજીક બની હતી. ઘટનાને પગલે ત્યાં હાજર લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રેસ્કયુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કારમાં બેઠેલા બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

 


ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત 

અકસ્માતની સંખ્યા વધી રહી છે. અનેક લોકોના જીવ દુર્ઘટનાને કારણે જતા હોય છે. ત્યારે મોડી રાત્રે એક ભયાનક ઘટના ગીર સોમનાથમાં બની હતી. પેટ્રોલ પમ્પ પાસે એક કાર કૂવામાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના કોડીનારના ફાચરિયા ગામ નજીક બની બતી. કાબુ ગુમાવી દેતા ગાડી કૂવામાં પડી ગઈ હતી. ગાડીમાં સવાર લોકોને બચાવા સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સવારના ચાર વાગ્યા સુધી બચાવની કામગીરી ચાલી રહી હતી.  

 

કારમાં સવાર બંને યુવકોના થયા મોત 

રેસ્ક્યુ ઓપરેશન કરી કલાકોની ભારે મહેનત બહાર ગાડી બહાર કાઢવામાં આવી હતી. રાતથી લઈ સવાર સુધી બચાવની કામગીરી કરવામાં આવી હતી. ગાડી તો બહાર આવી પરંતુ ગાડીમાં બેઠેલા બંને યુવાનોના મોત થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનો વડનગરના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.