કોડિનાર નજીક કૂવામાં ગાડી ખાબકતા સર્જાઈ દુર્ઘટના, કારમાં સવાર બે યુવાનોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 12:26:25

ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે કોડીનાર પાસે એક ભયંકર ઘટના બની છે જેમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેતા એક ગાડી કુવામાં ખાબકી છે. આ ઘટના કોડીનારના ફાયરિયા ગામ નજીક બની હતી. ઘટનાને પગલે ત્યાં હાજર લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રેસ્કયુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કારમાં બેઠેલા બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

 


ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત 

અકસ્માતની સંખ્યા વધી રહી છે. અનેક લોકોના જીવ દુર્ઘટનાને કારણે જતા હોય છે. ત્યારે મોડી રાત્રે એક ભયાનક ઘટના ગીર સોમનાથમાં બની હતી. પેટ્રોલ પમ્પ પાસે એક કાર કૂવામાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના કોડીનારના ફાચરિયા ગામ નજીક બની બતી. કાબુ ગુમાવી દેતા ગાડી કૂવામાં પડી ગઈ હતી. ગાડીમાં સવાર લોકોને બચાવા સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સવારના ચાર વાગ્યા સુધી બચાવની કામગીરી ચાલી રહી હતી.  

 

કારમાં સવાર બંને યુવકોના થયા મોત 

રેસ્ક્યુ ઓપરેશન કરી કલાકોની ભારે મહેનત બહાર ગાડી બહાર કાઢવામાં આવી હતી. રાતથી લઈ સવાર સુધી બચાવની કામગીરી કરવામાં આવી હતી. ગાડી તો બહાર આવી પરંતુ ગાડીમાં બેઠેલા બંને યુવાનોના મોત થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનો વડનગરના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.