સાહિત્યના વારસાને આગળ વધારવાનો પ્રયાસ! આજે વાંચો કુન્દનિકા કાપડિયાની આ રચના...


  • Published By :
  • Published Date : 2024-01-01 11:15:13

ભાષા... એક એવું માધ્યમ જેના થકી આપણે લોકો સાથે સંવાદ કરીએ છીએ. આપણી જરૂરિયાતો, આપણી લાગણી આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. ભલે ગમે તેટલી ભાષાઓ કેમ ન આવડતી હોય પરંતુ માતૃભાષામાં બોલવાની મજા જ, એનો ગર્વ જ કંઈક અલગ હોય છે. આપણામાંથી અનેક એવા હશે જે સાહિત્ય સાથે, કવિતાઓ સાથે, ગઝલો સાથે જોડાયેલા હશે પરંતુ અનેક એવા હશે જેમના માટે આ આખી વાત નવી હશે. 

  કુન્દનિકા કાપડિયા - વિકિપીડિયા

સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ!

2024ની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના પ્રથમ દિવસે અનેક લોકો Resolutions લેતા હોય છે. ત્યારે આ વર્ષે અમે પણ એવો પ્રયત્ન કરીશું કે સાહિત્યની અનેક રચનાઓ તમારા સુધી પહોંચાડીએ. સાહિત્યમાં રહેલી કવિતાઓ, ગઝલો, શાયરીની જાણકારી આપીશું. સાહિત્યને આપના સુધી પહોંચાડવા માટે અમે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે આજે નવા વર્ષે કુન્દનિકા કાપડીયાની એક રચના તમારી આગળ રજૂ કરવી છે જેમાં તે અલગ અલગ વસ્તુઓ શીખવાની વાત કરે છે.


હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે

સુંદર રીતે કેમ જીવવું

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે

શાંતિ કેમ રાખવી

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું

તે મને શીખવ.

– કુન્દનિકા કાપડીયા



નવા વર્ષે અમારા તરફથી કરવામાં આવેલો આ નાનકડો પ્રયાસ તમને ગમે તેવી આશા...  જમાવટના તમામ દર્શકને નવા વર્ષની હાર્દિક શુભકમના...



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી