સાહિત્યના વારસાને આગળ વધારવાનો પ્રયાસ! આજે વાંચો કુન્દનિકા કાપડિયાની આ રચના...


  • Published By :
  • Published Date : 2024-01-01 11:15:13

ભાષા... એક એવું માધ્યમ જેના થકી આપણે લોકો સાથે સંવાદ કરીએ છીએ. આપણી જરૂરિયાતો, આપણી લાગણી આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. ભલે ગમે તેટલી ભાષાઓ કેમ ન આવડતી હોય પરંતુ માતૃભાષામાં બોલવાની મજા જ, એનો ગર્વ જ કંઈક અલગ હોય છે. આપણામાંથી અનેક એવા હશે જે સાહિત્ય સાથે, કવિતાઓ સાથે, ગઝલો સાથે જોડાયેલા હશે પરંતુ અનેક એવા હશે જેમના માટે આ આખી વાત નવી હશે. 

  કુન્દનિકા કાપડિયા - વિકિપીડિયા

સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ!

2024ની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના પ્રથમ દિવસે અનેક લોકો Resolutions લેતા હોય છે. ત્યારે આ વર્ષે અમે પણ એવો પ્રયત્ન કરીશું કે સાહિત્યની અનેક રચનાઓ તમારા સુધી પહોંચાડીએ. સાહિત્યમાં રહેલી કવિતાઓ, ગઝલો, શાયરીની જાણકારી આપીશું. સાહિત્યને આપના સુધી પહોંચાડવા માટે અમે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે આજે નવા વર્ષે કુન્દનિકા કાપડીયાની એક રચના તમારી આગળ રજૂ કરવી છે જેમાં તે અલગ અલગ વસ્તુઓ શીખવાની વાત કરે છે.


હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે

સુંદર રીતે કેમ જીવવું

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે

શાંતિ કેમ રાખવી

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું

તે મને શીખવ.

– કુન્દનિકા કાપડીયા



નવા વર્ષે અમારા તરફથી કરવામાં આવેલો આ નાનકડો પ્રયાસ તમને ગમે તેવી આશા...  જમાવટના તમામ દર્શકને નવા વર્ષની હાર્દિક શુભકમના...



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.