સાહિત્યના વારસાને આગળ વધારવાનો પ્રયાસ! આજે વાંચો કુન્દનિકા કાપડિયાની આ રચના...


  • Published By :
  • Published Date : 2024-01-01 11:15:13

ભાષા... એક એવું માધ્યમ જેના થકી આપણે લોકો સાથે સંવાદ કરીએ છીએ. આપણી જરૂરિયાતો, આપણી લાગણી આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. ભલે ગમે તેટલી ભાષાઓ કેમ ન આવડતી હોય પરંતુ માતૃભાષામાં બોલવાની મજા જ, એનો ગર્વ જ કંઈક અલગ હોય છે. આપણામાંથી અનેક એવા હશે જે સાહિત્ય સાથે, કવિતાઓ સાથે, ગઝલો સાથે જોડાયેલા હશે પરંતુ અનેક એવા હશે જેમના માટે આ આખી વાત નવી હશે. 

  કુન્દનિકા કાપડિયા - વિકિપીડિયા

સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ!

2024ની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના પ્રથમ દિવસે અનેક લોકો Resolutions લેતા હોય છે. ત્યારે આ વર્ષે અમે પણ એવો પ્રયત્ન કરીશું કે સાહિત્યની અનેક રચનાઓ તમારા સુધી પહોંચાડીએ. સાહિત્યમાં રહેલી કવિતાઓ, ગઝલો, શાયરીની જાણકારી આપીશું. સાહિત્યને આપના સુધી પહોંચાડવા માટે અમે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે આજે નવા વર્ષે કુન્દનિકા કાપડીયાની એક રચના તમારી આગળ રજૂ કરવી છે જેમાં તે અલગ અલગ વસ્તુઓ શીખવાની વાત કરે છે.


હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે

સુંદર રીતે કેમ જીવવું

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે

શાંતિ કેમ રાખવી

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું

તે મને શીખવ.

– કુન્દનિકા કાપડીયા



નવા વર્ષે અમારા તરફથી કરવામાં આવેલો આ નાનકડો પ્રયાસ તમને ગમે તેવી આશા...  જમાવટના તમામ દર્શકને નવા વર્ષની હાર્દિક શુભકમના...



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.