સાહિત્યના વારસાને આગળ વધારવાનો પ્રયાસ! આજે વાંચો કુન્દનિકા કાપડિયાની આ રચના...


  • Published By :
  • Published Date : 2024-01-01 11:15:13

ભાષા... એક એવું માધ્યમ જેના થકી આપણે લોકો સાથે સંવાદ કરીએ છીએ. આપણી જરૂરિયાતો, આપણી લાગણી આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. ભલે ગમે તેટલી ભાષાઓ કેમ ન આવડતી હોય પરંતુ માતૃભાષામાં બોલવાની મજા જ, એનો ગર્વ જ કંઈક અલગ હોય છે. આપણામાંથી અનેક એવા હશે જે સાહિત્ય સાથે, કવિતાઓ સાથે, ગઝલો સાથે જોડાયેલા હશે પરંતુ અનેક એવા હશે જેમના માટે આ આખી વાત નવી હશે. 

  કુન્દનિકા કાપડિયા - વિકિપીડિયા

સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ!

2024ની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના પ્રથમ દિવસે અનેક લોકો Resolutions લેતા હોય છે. ત્યારે આ વર્ષે અમે પણ એવો પ્રયત્ન કરીશું કે સાહિત્યની અનેક રચનાઓ તમારા સુધી પહોંચાડીએ. સાહિત્યમાં રહેલી કવિતાઓ, ગઝલો, શાયરીની જાણકારી આપીશું. સાહિત્યને આપના સુધી પહોંચાડવા માટે અમે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે આજે નવા વર્ષે કુન્દનિકા કાપડીયાની એક રચના તમારી આગળ રજૂ કરવી છે જેમાં તે અલગ અલગ વસ્તુઓ શીખવાની વાત કરે છે.


હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે

સુંદર રીતે કેમ જીવવું

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે

શાંતિ કેમ રાખવી

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું

તે મને શીખવ.

– કુન્દનિકા કાપડીયા



નવા વર્ષે અમારા તરફથી કરવામાં આવેલો આ નાનકડો પ્રયાસ તમને ગમે તેવી આશા...  જમાવટના તમામ દર્શકને નવા વર્ષની હાર્દિક શુભકમના...



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે