શિક્ષકોની ભરતીને લઈ સરકાર દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-13 13:15:10

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું.. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કર્યું.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા તે આપણે સૌએ જોયા છે.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું. આંદોલન બાદ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. શિક્ષકોની ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી. 

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી માહિતી

શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરવામાં આવી હતી પરંતુ કમ્પ્યુટર, વ્યાયામ તેમજ સંગીતના શિક્ષકો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ના આવી હતી..તેમની ભરતી અંગે કોઈ જાણકારી આપવામાં આવી ના હતી.. પરંતુ ગઈકાલે શિક્ષણ મંત્રી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી.. સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાણકારી આપી કે  ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૫૦૦ જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરેલ છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."