Heart Attackના કિસ્સામાં થયો વધારો! Bhavnagarમાં બન્યો કિસ્સો તો જામનગરથી પણ આવ્યા આવા સમાચાર


  • Published By :
  • Published Date : 2023-11-30 16:29:33

રાજ્યમાં પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. દરરોજ હાર્ટ એટેકના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે. કોઈ વખત યુવાનના હાર્ટ એટેકના મોતના સમાચાર વિશે લખીએ છીએ તો કોઈ વખત વિદ્યાર્થીમાં હાર્ટ એટેક આવ્યો અને મોત થયું તે વિશે લખીએ છીએ. ત્યારે ભાવનગરથી  પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. ભાવનગરમાં બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવી માહિતી સામે આવી છે. એક કિસ્સામાં 20 વર્ષીય યુવાનનું મોત થયું છે જ્યારે બીજી ઘટનામાં 29 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું છે તેવી માહિતી સામે આવી છે.


29 વર્ષીય વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત

ભાવનગરમાં 29 વર્ષીય કશ્યપ શુક્લનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું. જે યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેમના લગ્ન થોડા દિવસો બાદ થવાના હતા. મીંઢોળ પણ બંધાઈ ગઈ હતી. જ્યાં લગ્ન ગીતો ગવાવાના હતા ત્યાં હવે મરસિયા ગવાઈ રહ્યા છે. યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. બીજા કિસ્સામાં 20 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જીગર ચૌધરી નામના વ્યક્તિનું મોત થયું છે. વિદ્યાર્થીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો અને મોતને ભેટ્યો. યુવકના અચાનક મોતથી કોલેજમાં તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


ફરસાણના વેપારીને આવ્યો હાર્ટ એટેક

તે ઉપરાંત ગઈકાલે પણ જામનગરથી પણ હાર્ટ એટેક આવવાનો કિસ્સો બન્યો હતો. જૈન વિજય ફરસાણના વેપારી 24 વર્ષીય સુમિત પઢીયાર પોતાની પેઢી પર હાજર હતા. તે સમયે અચાનક જ તે ઢળી પડ્યા. હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ટૂંકી સારવાર દરમિયાન સુમિત પઢીયાર મોતને ભેટ્યા. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ પર સંકટ વધી રહ્યું છે.          



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.