Heart Attackના કિસ્સામાં થયો વધારો! Bhavnagarમાં બન્યો કિસ્સો તો જામનગરથી પણ આવ્યા આવા સમાચાર


  • Published By :
  • Published Date : 2023-11-30 16:29:33

રાજ્યમાં પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. દરરોજ હાર્ટ એટેકના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે. કોઈ વખત યુવાનના હાર્ટ એટેકના મોતના સમાચાર વિશે લખીએ છીએ તો કોઈ વખત વિદ્યાર્થીમાં હાર્ટ એટેક આવ્યો અને મોત થયું તે વિશે લખીએ છીએ. ત્યારે ભાવનગરથી  પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. ભાવનગરમાં બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવી માહિતી સામે આવી છે. એક કિસ્સામાં 20 વર્ષીય યુવાનનું મોત થયું છે જ્યારે બીજી ઘટનામાં 29 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું છે તેવી માહિતી સામે આવી છે.


29 વર્ષીય વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત

ભાવનગરમાં 29 વર્ષીય કશ્યપ શુક્લનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું. જે યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેમના લગ્ન થોડા દિવસો બાદ થવાના હતા. મીંઢોળ પણ બંધાઈ ગઈ હતી. જ્યાં લગ્ન ગીતો ગવાવાના હતા ત્યાં હવે મરસિયા ગવાઈ રહ્યા છે. યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. બીજા કિસ્સામાં 20 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જીગર ચૌધરી નામના વ્યક્તિનું મોત થયું છે. વિદ્યાર્થીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો અને મોતને ભેટ્યો. યુવકના અચાનક મોતથી કોલેજમાં તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


ફરસાણના વેપારીને આવ્યો હાર્ટ એટેક

તે ઉપરાંત ગઈકાલે પણ જામનગરથી પણ હાર્ટ એટેક આવવાનો કિસ્સો બન્યો હતો. જૈન વિજય ફરસાણના વેપારી 24 વર્ષીય સુમિત પઢીયાર પોતાની પેઢી પર હાજર હતા. તે સમયે અચાનક જ તે ઢળી પડ્યા. હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ટૂંકી સારવાર દરમિયાન સુમિત પઢીયાર મોતને ભેટ્યા. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ પર સંકટ વધી રહ્યું છે.          



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.