અમદાવાદમાં રખડતા પશુને કારણે ગયો એક વૃદ્ધાનો જીવ, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુન્હો


  • Published By :
  • Published Date : 2023-02-22 16:14:31

રખડતાં પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. અનેક લોકો રખડતા પશુઓ તેમજ શ્વાનને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે અમદાવાદમાં રખડતાં પશુને કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા હાટકેશ્વરથી ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ગાય દોડીને આવી અને વૃદ્ધાને પાછળથી શિંગડુ માર્યું. શિંગડામાં તેમના કપડા ભરાઈ ગયા હતા અને તેઓ રોડ પર પડી ગયા હતા. માથાના ભાગે તેમને ઈજા પહોંચી અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.


ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા હતા 

અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા હોય છે. તો અનેક લોકોના જીવ રખડતા પશુના હુમલાને કારણે જાય છે. ત્યારે રખડતા પશુને કારણે વધુ એક વૃદ્ધાનો જીવ ગયો છે. રસ્તા પરથી ચાલતા ચાલતા જ્યારે વૃ્દ્ધા જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ગાયે તેમની પર હુમલો કર્યો. આ ઘટના હાટકેશ્વર જાગેશ્વરી રોડ પર બની હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું.  


ગાયના માલિક વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ 

રખડતા પશુના વધતા ત્રાસને અટકાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. સરકાર આ અંગે નિયમ પણ લાવી હતી પરંતુ ભારે વિરોધ થતાં તે નિર્ણયને પરત લઈ લેવાયો હતો. પરંતુ રાજ્યમાં વધતા રખડતા પશુના ત્રાસને રોકવા પ્રયાસ કરવો જોઈએ. આ ઘટના બાદ  આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગાય દ્વારા હુમલો 12 ફેબ્રુઆરીના રોજ થયો હતો પરંતુ આજે તેમનું મોત થયું છે. વૃદ્ધાના પરિવારે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. વૃદ્ધાનું મોત થતા ગાયના માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.