અમદાવાદમાં રખડતા પશુને કારણે ગયો એક વૃદ્ધાનો જીવ, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુન્હો


  • Published By :
  • Published Date : 2023-02-22 16:14:31

રખડતાં પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. અનેક લોકો રખડતા પશુઓ તેમજ શ્વાનને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે અમદાવાદમાં રખડતાં પશુને કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા હાટકેશ્વરથી ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ગાય દોડીને આવી અને વૃદ્ધાને પાછળથી શિંગડુ માર્યું. શિંગડામાં તેમના કપડા ભરાઈ ગયા હતા અને તેઓ રોડ પર પડી ગયા હતા. માથાના ભાગે તેમને ઈજા પહોંચી અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.


ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા હતા 

અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા હોય છે. તો અનેક લોકોના જીવ રખડતા પશુના હુમલાને કારણે જાય છે. ત્યારે રખડતા પશુને કારણે વધુ એક વૃદ્ધાનો જીવ ગયો છે. રસ્તા પરથી ચાલતા ચાલતા જ્યારે વૃ્દ્ધા જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ગાયે તેમની પર હુમલો કર્યો. આ ઘટના હાટકેશ્વર જાગેશ્વરી રોડ પર બની હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું.  


ગાયના માલિક વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ 

રખડતા પશુના વધતા ત્રાસને અટકાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. સરકાર આ અંગે નિયમ પણ લાવી હતી પરંતુ ભારે વિરોધ થતાં તે નિર્ણયને પરત લઈ લેવાયો હતો. પરંતુ રાજ્યમાં વધતા રખડતા પશુના ત્રાસને રોકવા પ્રયાસ કરવો જોઈએ. આ ઘટના બાદ  આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગાય દ્વારા હુમલો 12 ફેબ્રુઆરીના રોજ થયો હતો પરંતુ આજે તેમનું મોત થયું છે. વૃદ્ધાના પરિવારે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. વૃદ્ધાનું મોત થતા ગાયના માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.