અમદાવાદમાં રખડતા પશુને કારણે ગયો એક વૃદ્ધાનો જીવ, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુન્હો


  • Published By :
  • Published Date : 2023-02-22 16:14:31

રખડતાં પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. અનેક લોકો રખડતા પશુઓ તેમજ શ્વાનને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે અમદાવાદમાં રખડતાં પશુને કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા હાટકેશ્વરથી ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ગાય દોડીને આવી અને વૃદ્ધાને પાછળથી શિંગડુ માર્યું. શિંગડામાં તેમના કપડા ભરાઈ ગયા હતા અને તેઓ રોડ પર પડી ગયા હતા. માથાના ભાગે તેમને ઈજા પહોંચી અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.


ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા હતા 

અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા હોય છે. તો અનેક લોકોના જીવ રખડતા પશુના હુમલાને કારણે જાય છે. ત્યારે રખડતા પશુને કારણે વધુ એક વૃદ્ધાનો જીવ ગયો છે. રસ્તા પરથી ચાલતા ચાલતા જ્યારે વૃ્દ્ધા જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ગાયે તેમની પર હુમલો કર્યો. આ ઘટના હાટકેશ્વર જાગેશ્વરી રોડ પર બની હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું.  


ગાયના માલિક વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ 

રખડતા પશુના વધતા ત્રાસને અટકાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. સરકાર આ અંગે નિયમ પણ લાવી હતી પરંતુ ભારે વિરોધ થતાં તે નિર્ણયને પરત લઈ લેવાયો હતો. પરંતુ રાજ્યમાં વધતા રખડતા પશુના ત્રાસને રોકવા પ્રયાસ કરવો જોઈએ. આ ઘટના બાદ  આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગાય દ્વારા હુમલો 12 ફેબ્રુઆરીના રોજ થયો હતો પરંતુ આજે તેમનું મોત થયું છે. વૃદ્ધાના પરિવારે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. વૃદ્ધાનું મોત થતા ગાયના માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.