Anant Ambani Radhika Merchant Pre Wedding : અંબાણી પરિવારનો જોવા મળ્યો ગુજરાતી અંદાજ, જય શ્રી કૃષ્ણ કહી ગ્રામજનોને પીરસ્યું ભોજન, જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-02-29 10:30:48

Mukesh Ambani અને Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણી સહિતના પરિવારના સભ્યોએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. ગ્રામજનોના આશીર્વાદ પણ લીધા હતા.

News18 Gujarati

News18 Gujarati

જામનગર પહોંચી રહી છે અનેક મોટી હસ્તી.. 

અંબાણી પરિવારના સંસ્કારો, તેમના સ્વભાવમાં રહેલી સાદગી અનેક વખત જોવા મળે છે. નાના માણસો સાથે પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતું હોય છે. અંબાણી પરિવાર પોતાની લાઈફ સ્ટાઈલ, રહેણી કરણીને કારણે તો ચર્ચામાં રહેતો હોય છે પરંતુ તેમની સાદગીને કારણે પણ તેમની ચર્ચાઓ થતી હોય છે. લગ્નને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામેલ થવા માટે મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ફિલ્મ સ્ટાર હોય કે પછી બિઝનેસ જગતની મોટી હસ્તી અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થવા તેઓ જામનગર આવી રહ્યા છે.

News18 Gujarati

અંબાણી પરિવારે બંધાવડાવ્યા અનેક મંદિરો

ગઈકાલે જામનગરથી એક વીડિયો સામે આવ્યો જેમાં અંબાણી પરિવારના સભ્યો ગ્રામજનોને ભોજન પીરસતા હતા. જય શ્રી કૃષ્ણ કહેતા હતા અને ભોજન પીરસ્તા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કેટલી સાદગીથી તે ભોજન પીરસી રહ્યા છે. મહત્વનું છે કે આપણે અંબાણી પરિવાર પાસેથી એક વાત શીખવી જોઈએ કે પૈસા ગમે તેટલા કેમ ના હોય, માણસ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ.! સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ, સંસ્કાર સાથે જોડાયેલા રહેવું જોઈએ. ઉલ્લેખનિય છે કે પ્રી વેડિંગ પહેલા અંબાણી પરિવારે જામનગરમાં અનેક મંદિરો બનાવડાવ્યા છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે