Anant Ambani Radhika Merchant Pre Wedding : અંબાણી પરિવારનો જોવા મળ્યો ગુજરાતી અંદાજ, જય શ્રી કૃષ્ણ કહી ગ્રામજનોને પીરસ્યું ભોજન, જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-02-29 10:30:48

Mukesh Ambani અને Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણી સહિતના પરિવારના સભ્યોએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. ગ્રામજનોના આશીર્વાદ પણ લીધા હતા.

News18 Gujarati

News18 Gujarati

જામનગર પહોંચી રહી છે અનેક મોટી હસ્તી.. 

અંબાણી પરિવારના સંસ્કારો, તેમના સ્વભાવમાં રહેલી સાદગી અનેક વખત જોવા મળે છે. નાના માણસો સાથે પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતું હોય છે. અંબાણી પરિવાર પોતાની લાઈફ સ્ટાઈલ, રહેણી કરણીને કારણે તો ચર્ચામાં રહેતો હોય છે પરંતુ તેમની સાદગીને કારણે પણ તેમની ચર્ચાઓ થતી હોય છે. લગ્નને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામેલ થવા માટે મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ફિલ્મ સ્ટાર હોય કે પછી બિઝનેસ જગતની મોટી હસ્તી અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થવા તેઓ જામનગર આવી રહ્યા છે.

News18 Gujarati

અંબાણી પરિવારે બંધાવડાવ્યા અનેક મંદિરો

ગઈકાલે જામનગરથી એક વીડિયો સામે આવ્યો જેમાં અંબાણી પરિવારના સભ્યો ગ્રામજનોને ભોજન પીરસતા હતા. જય શ્રી કૃષ્ણ કહેતા હતા અને ભોજન પીરસ્તા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કેટલી સાદગીથી તે ભોજન પીરસી રહ્યા છે. મહત્વનું છે કે આપણે અંબાણી પરિવાર પાસેથી એક વાત શીખવી જોઈએ કે પૈસા ગમે તેટલા કેમ ના હોય, માણસ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ.! સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ, સંસ્કાર સાથે જોડાયેલા રહેવું જોઈએ. ઉલ્લેખનિય છે કે પ્રી વેડિંગ પહેલા અંબાણી પરિવારે જામનગરમાં અનેક મંદિરો બનાવડાવ્યા છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"