Anant Ambani Radhika Merchant Pre Wedding : અંબાણી પરિવારનો જોવા મળ્યો ગુજરાતી અંદાજ, જય શ્રી કૃષ્ણ કહી ગ્રામજનોને પીરસ્યું ભોજન, જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-02-29 10:30:48

Mukesh Ambani અને Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણી સહિતના પરિવારના સભ્યોએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. ગ્રામજનોના આશીર્વાદ પણ લીધા હતા.

News18 Gujarati

News18 Gujarati

જામનગર પહોંચી રહી છે અનેક મોટી હસ્તી.. 

અંબાણી પરિવારના સંસ્કારો, તેમના સ્વભાવમાં રહેલી સાદગી અનેક વખત જોવા મળે છે. નાના માણસો સાથે પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતું હોય છે. અંબાણી પરિવાર પોતાની લાઈફ સ્ટાઈલ, રહેણી કરણીને કારણે તો ચર્ચામાં રહેતો હોય છે પરંતુ તેમની સાદગીને કારણે પણ તેમની ચર્ચાઓ થતી હોય છે. લગ્નને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામેલ થવા માટે મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ફિલ્મ સ્ટાર હોય કે પછી બિઝનેસ જગતની મોટી હસ્તી અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થવા તેઓ જામનગર આવી રહ્યા છે.

News18 Gujarati

અંબાણી પરિવારે બંધાવડાવ્યા અનેક મંદિરો

ગઈકાલે જામનગરથી એક વીડિયો સામે આવ્યો જેમાં અંબાણી પરિવારના સભ્યો ગ્રામજનોને ભોજન પીરસતા હતા. જય શ્રી કૃષ્ણ કહેતા હતા અને ભોજન પીરસ્તા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કેટલી સાદગીથી તે ભોજન પીરસી રહ્યા છે. મહત્વનું છે કે આપણે અંબાણી પરિવાર પાસેથી એક વાત શીખવી જોઈએ કે પૈસા ગમે તેટલા કેમ ના હોય, માણસ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ.! સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ, સંસ્કાર સાથે જોડાયેલા રહેવું જોઈએ. ઉલ્લેખનિય છે કે પ્રી વેડિંગ પહેલા અંબાણી પરિવારે જામનગરમાં અનેક મંદિરો બનાવડાવ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.