Anant Ambani Radhika Merchant Pre Wedding : અંબાણી પરિવારનો જોવા મળ્યો ગુજરાતી અંદાજ, જય શ્રી કૃષ્ણ કહી ગ્રામજનોને પીરસ્યું ભોજન, જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-02-29 10:30:48

Mukesh Ambani અને Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણી સહિતના પરિવારના સભ્યોએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. ગ્રામજનોના આશીર્વાદ પણ લીધા હતા.

News18 Gujarati

News18 Gujarati

જામનગર પહોંચી રહી છે અનેક મોટી હસ્તી.. 

અંબાણી પરિવારના સંસ્કારો, તેમના સ્વભાવમાં રહેલી સાદગી અનેક વખત જોવા મળે છે. નાના માણસો સાથે પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતું હોય છે. અંબાણી પરિવાર પોતાની લાઈફ સ્ટાઈલ, રહેણી કરણીને કારણે તો ચર્ચામાં રહેતો હોય છે પરંતુ તેમની સાદગીને કારણે પણ તેમની ચર્ચાઓ થતી હોય છે. લગ્નને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામેલ થવા માટે મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ફિલ્મ સ્ટાર હોય કે પછી બિઝનેસ જગતની મોટી હસ્તી અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થવા તેઓ જામનગર આવી રહ્યા છે.

News18 Gujarati

અંબાણી પરિવારે બંધાવડાવ્યા અનેક મંદિરો

ગઈકાલે જામનગરથી એક વીડિયો સામે આવ્યો જેમાં અંબાણી પરિવારના સભ્યો ગ્રામજનોને ભોજન પીરસતા હતા. જય શ્રી કૃષ્ણ કહેતા હતા અને ભોજન પીરસ્તા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કેટલી સાદગીથી તે ભોજન પીરસી રહ્યા છે. મહત્વનું છે કે આપણે અંબાણી પરિવાર પાસેથી એક વાત શીખવી જોઈએ કે પૈસા ગમે તેટલા કેમ ના હોય, માણસ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ.! સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ, સંસ્કાર સાથે જોડાયેલા રહેવું જોઈએ. ઉલ્લેખનિય છે કે પ્રી વેડિંગ પહેલા અંબાણી પરિવારે જામનગરમાં અનેક મંદિરો બનાવડાવ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.