Jamnagarમાં શરૂ થઈ Anant Ambani Radhika Merchantના પ્રિવેડિંગની તૈયારીઓ, જાણો પ્રિવેડિંગમાં ક્યારે કયા થવાના છે ઈવેન્ટ અને શું છે ડ્રેસ કોડ?


  • Published By :
  • Published Date : 2024-02-22 15:59:01

અંબાણી પરિવાર  પોતાની લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ન માત્ર લાઈફ સ્ટાઈલ પરંતુ પરિવાર દ્વારા જાળવવામાં આવતી પરંપરાને લઈ પણ આ પરિવાર ચર્ચામાં રહે છે. પરિવાર દ્વારા ઉજવવામાં આવતા પ્રસંગો પણ વિશેષ હોય છે. પ્રસંગમાં પણ પરંપરા જળવાતી દેખાય છે. ત્યારે અંબાણી પરિવારમાં શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન થવાના છે. લગ્નને લઈ તો આપણે ત્યાં તૈયારીઓ ચાલતી હોય છે પરંતુ અંબાણી પરિવારમાં પ્રિવેડિંગ સેરેમનીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ટન્ટનું પ્રિ-વેડિંગ યોજાવાનું છે. પ્રિ-વેડિંગને લઈ ડ્રેસ કોડ, ફ્લાઈટ એરેજમેન્ટની જાણકારી શેર કરવામાં આવી છે. 

બાંધણી બનાવતી બહેનો સાથે નીતા અંબાણીએ કરી હતી મુલાકાત!

થોડા દિવસ પહેલા નીતા અંબાણી ગુજરાત આવ્યા હતા, જામનગરની મુલાકાત લીધી હતી. બાંધણી બનાવતી બહેનોને મળવા માટે નીતા અંબાણી અચાનક પહોંચ્યા હતા. બહેનો સાથે વાતચીત કરી હતી તેનો વીડિયો વાયરલ થયો હતો. બહેનોએ નીતા અંબાણીને પૂછ્યું હતું કે શું તમારે બાંધણી બનાવતા શિખવું છે? એ સુંદર વીડિયો વાયરલ થયો હતો. જામનગરમાં પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ વેડિંગ માટે આવી રહેલા મહેમાનો માટે જાણકારી શેર કરવામાં આવી છે જેમાં ફ્લાઈટની વિગતો, ડ્રેસ કોડની માહિતી આપવામાં આવી છે. 



આ હસ્તીઓ બની શકે છે જામનગરના મહેમાન! 

મોટી મોટી હસ્તીઓ આ પ્રિ વેડિંગ કાર્યક્રમમાં હાજર રહી શકે છે તેવી શક્યતાઓ છે. પ્રિ વેડિંગમાં આવનારા મહેમાનો અંગેની વાત કરીએ તો બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન, કતારના રાજકીય વડા મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, જાણીતા ઇન્વેસ્ટર યુરી મિલ્નર અને એડોબીના સીઇઓ શાંતનુ નારાયણ, લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લી, BPના ચીફ એક્ઝિક્યુટિવ મુરે ઓચીનક્લોસ, Exorના CEO જ્હોન એલ્કન પણ હાજર રહી શકે છે.

પ્રસંગની સુંદર તસવીરો આવી હતી સામે!

અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટની વાત કરીએ તો બંને એકબીજાને બાળપણથી ઓળખતા હતા, અંબાણી પરિવાર તો ગુજરાત સાથે જોડાયેલો છે પરંતુ રાધિકાનો પરિવાર પણ ગુજરાત સાથે સંકળાયેલો છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ મુળ ગુજરાતના કચ્છના વતની છે. થોડા સમય પહેલા જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની કંકોત્રી લખવામાં આવી હતી. તે વખતની સુંદર તસવીરો શેર કરવામાં આવી છે. અંબાણી પરિવારની મહિલાઓની સાડીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું,   




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે