Jamnagarમાં શરૂ થઈ Anant Ambani Radhika Merchantના પ્રિવેડિંગની તૈયારીઓ, જાણો પ્રિવેડિંગમાં ક્યારે કયા થવાના છે ઈવેન્ટ અને શું છે ડ્રેસ કોડ?


  • Published By :
  • Published Date : 2024-02-22 15:59:01

અંબાણી પરિવાર  પોતાની લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ન માત્ર લાઈફ સ્ટાઈલ પરંતુ પરિવાર દ્વારા જાળવવામાં આવતી પરંપરાને લઈ પણ આ પરિવાર ચર્ચામાં રહે છે. પરિવાર દ્વારા ઉજવવામાં આવતા પ્રસંગો પણ વિશેષ હોય છે. પ્રસંગમાં પણ પરંપરા જળવાતી દેખાય છે. ત્યારે અંબાણી પરિવારમાં શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન થવાના છે. લગ્નને લઈ તો આપણે ત્યાં તૈયારીઓ ચાલતી હોય છે પરંતુ અંબાણી પરિવારમાં પ્રિવેડિંગ સેરેમનીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ટન્ટનું પ્રિ-વેડિંગ યોજાવાનું છે. પ્રિ-વેડિંગને લઈ ડ્રેસ કોડ, ફ્લાઈટ એરેજમેન્ટની જાણકારી શેર કરવામાં આવી છે. 

બાંધણી બનાવતી બહેનો સાથે નીતા અંબાણીએ કરી હતી મુલાકાત!

થોડા દિવસ પહેલા નીતા અંબાણી ગુજરાત આવ્યા હતા, જામનગરની મુલાકાત લીધી હતી. બાંધણી બનાવતી બહેનોને મળવા માટે નીતા અંબાણી અચાનક પહોંચ્યા હતા. બહેનો સાથે વાતચીત કરી હતી તેનો વીડિયો વાયરલ થયો હતો. બહેનોએ નીતા અંબાણીને પૂછ્યું હતું કે શું તમારે બાંધણી બનાવતા શિખવું છે? એ સુંદર વીડિયો વાયરલ થયો હતો. જામનગરમાં પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ વેડિંગ માટે આવી રહેલા મહેમાનો માટે જાણકારી શેર કરવામાં આવી છે જેમાં ફ્લાઈટની વિગતો, ડ્રેસ કોડની માહિતી આપવામાં આવી છે. 



આ હસ્તીઓ બની શકે છે જામનગરના મહેમાન! 

મોટી મોટી હસ્તીઓ આ પ્રિ વેડિંગ કાર્યક્રમમાં હાજર રહી શકે છે તેવી શક્યતાઓ છે. પ્રિ વેડિંગમાં આવનારા મહેમાનો અંગેની વાત કરીએ તો બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન, કતારના રાજકીય વડા મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, જાણીતા ઇન્વેસ્ટર યુરી મિલ્નર અને એડોબીના સીઇઓ શાંતનુ નારાયણ, લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લી, BPના ચીફ એક્ઝિક્યુટિવ મુરે ઓચીનક્લોસ, Exorના CEO જ્હોન એલ્કન પણ હાજર રહી શકે છે.

પ્રસંગની સુંદર તસવીરો આવી હતી સામે!

અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટની વાત કરીએ તો બંને એકબીજાને બાળપણથી ઓળખતા હતા, અંબાણી પરિવાર તો ગુજરાત સાથે જોડાયેલો છે પરંતુ રાધિકાનો પરિવાર પણ ગુજરાત સાથે સંકળાયેલો છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ મુળ ગુજરાતના કચ્છના વતની છે. થોડા સમય પહેલા જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની કંકોત્રી લખવામાં આવી હતી. તે વખતની સુંદર તસવીરો શેર કરવામાં આવી છે. અંબાણી પરિવારની મહિલાઓની સાડીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું,   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.