Jamnagarમાં શરૂ થઈ Anant Ambani Radhika Merchantના પ્રિવેડિંગની તૈયારીઓ, જાણો પ્રિવેડિંગમાં ક્યારે કયા થવાના છે ઈવેન્ટ અને શું છે ડ્રેસ કોડ?


  • Published By :
  • Published Date : 2024-02-22 15:59:01

અંબાણી પરિવાર  પોતાની લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ન માત્ર લાઈફ સ્ટાઈલ પરંતુ પરિવાર દ્વારા જાળવવામાં આવતી પરંપરાને લઈ પણ આ પરિવાર ચર્ચામાં રહે છે. પરિવાર દ્વારા ઉજવવામાં આવતા પ્રસંગો પણ વિશેષ હોય છે. પ્રસંગમાં પણ પરંપરા જળવાતી દેખાય છે. ત્યારે અંબાણી પરિવારમાં શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન થવાના છે. લગ્નને લઈ તો આપણે ત્યાં તૈયારીઓ ચાલતી હોય છે પરંતુ અંબાણી પરિવારમાં પ્રિવેડિંગ સેરેમનીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ટન્ટનું પ્રિ-વેડિંગ યોજાવાનું છે. પ્રિ-વેડિંગને લઈ ડ્રેસ કોડ, ફ્લાઈટ એરેજમેન્ટની જાણકારી શેર કરવામાં આવી છે. 

બાંધણી બનાવતી બહેનો સાથે નીતા અંબાણીએ કરી હતી મુલાકાત!

થોડા દિવસ પહેલા નીતા અંબાણી ગુજરાત આવ્યા હતા, જામનગરની મુલાકાત લીધી હતી. બાંધણી બનાવતી બહેનોને મળવા માટે નીતા અંબાણી અચાનક પહોંચ્યા હતા. બહેનો સાથે વાતચીત કરી હતી તેનો વીડિયો વાયરલ થયો હતો. બહેનોએ નીતા અંબાણીને પૂછ્યું હતું કે શું તમારે બાંધણી બનાવતા શિખવું છે? એ સુંદર વીડિયો વાયરલ થયો હતો. જામનગરમાં પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ વેડિંગ માટે આવી રહેલા મહેમાનો માટે જાણકારી શેર કરવામાં આવી છે જેમાં ફ્લાઈટની વિગતો, ડ્રેસ કોડની માહિતી આપવામાં આવી છે. 



આ હસ્તીઓ બની શકે છે જામનગરના મહેમાન! 

મોટી મોટી હસ્તીઓ આ પ્રિ વેડિંગ કાર્યક્રમમાં હાજર રહી શકે છે તેવી શક્યતાઓ છે. પ્રિ વેડિંગમાં આવનારા મહેમાનો અંગેની વાત કરીએ તો બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન, કતારના રાજકીય વડા મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, જાણીતા ઇન્વેસ્ટર યુરી મિલ્નર અને એડોબીના સીઇઓ શાંતનુ નારાયણ, લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લી, BPના ચીફ એક્ઝિક્યુટિવ મુરે ઓચીનક્લોસ, Exorના CEO જ્હોન એલ્કન પણ હાજર રહી શકે છે.

પ્રસંગની સુંદર તસવીરો આવી હતી સામે!

અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટની વાત કરીએ તો બંને એકબીજાને બાળપણથી ઓળખતા હતા, અંબાણી પરિવાર તો ગુજરાત સાથે જોડાયેલો છે પરંતુ રાધિકાનો પરિવાર પણ ગુજરાત સાથે સંકળાયેલો છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ મુળ ગુજરાતના કચ્છના વતની છે. થોડા સમય પહેલા જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની કંકોત્રી લખવામાં આવી હતી. તે વખતની સુંદર તસવીરો શેર કરવામાં આવી છે. અંબાણી પરિવારની મહિલાઓની સાડીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું,   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.