Jamnagarમાં શરૂ થઈ Anant Ambani Radhika Merchantના પ્રિવેડિંગની તૈયારીઓ, જાણો પ્રિવેડિંગમાં ક્યારે કયા થવાના છે ઈવેન્ટ અને શું છે ડ્રેસ કોડ?


  • Published By :
  • Published Date : 2024-02-22 15:59:01

અંબાણી પરિવાર  પોતાની લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ન માત્ર લાઈફ સ્ટાઈલ પરંતુ પરિવાર દ્વારા જાળવવામાં આવતી પરંપરાને લઈ પણ આ પરિવાર ચર્ચામાં રહે છે. પરિવાર દ્વારા ઉજવવામાં આવતા પ્રસંગો પણ વિશેષ હોય છે. પ્રસંગમાં પણ પરંપરા જળવાતી દેખાય છે. ત્યારે અંબાણી પરિવારમાં શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન થવાના છે. લગ્નને લઈ તો આપણે ત્યાં તૈયારીઓ ચાલતી હોય છે પરંતુ અંબાણી પરિવારમાં પ્રિવેડિંગ સેરેમનીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ટન્ટનું પ્રિ-વેડિંગ યોજાવાનું છે. પ્રિ-વેડિંગને લઈ ડ્રેસ કોડ, ફ્લાઈટ એરેજમેન્ટની જાણકારી શેર કરવામાં આવી છે. 

બાંધણી બનાવતી બહેનો સાથે નીતા અંબાણીએ કરી હતી મુલાકાત!

થોડા દિવસ પહેલા નીતા અંબાણી ગુજરાત આવ્યા હતા, જામનગરની મુલાકાત લીધી હતી. બાંધણી બનાવતી બહેનોને મળવા માટે નીતા અંબાણી અચાનક પહોંચ્યા હતા. બહેનો સાથે વાતચીત કરી હતી તેનો વીડિયો વાયરલ થયો હતો. બહેનોએ નીતા અંબાણીને પૂછ્યું હતું કે શું તમારે બાંધણી બનાવતા શિખવું છે? એ સુંદર વીડિયો વાયરલ થયો હતો. જામનગરમાં પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ વેડિંગ માટે આવી રહેલા મહેમાનો માટે જાણકારી શેર કરવામાં આવી છે જેમાં ફ્લાઈટની વિગતો, ડ્રેસ કોડની માહિતી આપવામાં આવી છે. 



આ હસ્તીઓ બની શકે છે જામનગરના મહેમાન! 

મોટી મોટી હસ્તીઓ આ પ્રિ વેડિંગ કાર્યક્રમમાં હાજર રહી શકે છે તેવી શક્યતાઓ છે. પ્રિ વેડિંગમાં આવનારા મહેમાનો અંગેની વાત કરીએ તો બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન, કતારના રાજકીય વડા મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, જાણીતા ઇન્વેસ્ટર યુરી મિલ્નર અને એડોબીના સીઇઓ શાંતનુ નારાયણ, લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લી, BPના ચીફ એક્ઝિક્યુટિવ મુરે ઓચીનક્લોસ, Exorના CEO જ્હોન એલ્કન પણ હાજર રહી શકે છે.

પ્રસંગની સુંદર તસવીરો આવી હતી સામે!

અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટની વાત કરીએ તો બંને એકબીજાને બાળપણથી ઓળખતા હતા, અંબાણી પરિવાર તો ગુજરાત સાથે જોડાયેલો છે પરંતુ રાધિકાનો પરિવાર પણ ગુજરાત સાથે સંકળાયેલો છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ મુળ ગુજરાતના કચ્છના વતની છે. થોડા સમય પહેલા જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની કંકોત્રી લખવામાં આવી હતી. તે વખતની સુંદર તસવીરો શેર કરવામાં આવી છે. અંબાણી પરિવારની મહિલાઓની સાડીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું,   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.