જનસભામાં થયેલી નાસભાગ બાદ આંધ્રપ્રદેશ સરકારે કર્યો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-03 15:15:10

આંધ્રપ્રદેશમાં થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ જનસભા અને રોડ-શો યોજ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે ત્યારે આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે રાજમાર્ગ તેમજ રોડ પર જનસભા અને રેલીઓ પર રોક લગાવી દીધી છે.

jagran


આંધ્રપ્રદેશ સરકારે લીધો નિર્ણય

થોડા દિવસો પહેલા આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂ માટે જનસભા તેમજ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં મોટા પ્રમાણમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો હોવાને કારણે નાસભાગ સર્જાઈ હતી. નાસભાગ થવાને કારણે અનેક લોકોના મોત નિપજ્યાં હતા. એક વખત તો આવી ઘટના સર્જાઈ પરંતુ બીજી વખત પણ આવી જ ઘટના સર્જાઈ હતી. પ્રથમ વખત જ્યારે ઘટના બની તે દરમિયાન 8 જેટલા લોકોના મોત થયા હતા જ્યારે બીજી વખતની ઘટનામાં 4 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાને કારણે આંધ્રપ્રદેશ સરકારે એક નિર્ણય કર્યો જેમાં સાર્વજનિક રસ્તાઓ પર તેમજ ગલીઓમાં રોડ-શો તેમજ જનસભાઓ કરવા પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યો છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.