જનસભામાં થયેલી નાસભાગ બાદ આંધ્રપ્રદેશ સરકારે કર્યો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-03 15:15:10

આંધ્રપ્રદેશમાં થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ જનસભા અને રોડ-શો યોજ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે ત્યારે આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે રાજમાર્ગ તેમજ રોડ પર જનસભા અને રેલીઓ પર રોક લગાવી દીધી છે.

jagran


આંધ્રપ્રદેશ સરકારે લીધો નિર્ણય

થોડા દિવસો પહેલા આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂ માટે જનસભા તેમજ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં મોટા પ્રમાણમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો હોવાને કારણે નાસભાગ સર્જાઈ હતી. નાસભાગ થવાને કારણે અનેક લોકોના મોત નિપજ્યાં હતા. એક વખત તો આવી ઘટના સર્જાઈ પરંતુ બીજી વખત પણ આવી જ ઘટના સર્જાઈ હતી. પ્રથમ વખત જ્યારે ઘટના બની તે દરમિયાન 8 જેટલા લોકોના મોત થયા હતા જ્યારે બીજી વખતની ઘટનામાં 4 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાને કારણે આંધ્રપ્રદેશ સરકારે એક નિર્ણય કર્યો જેમાં સાર્વજનિક રસ્તાઓ પર તેમજ ગલીઓમાં રોડ-શો તેમજ જનસભાઓ કરવા પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યો છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.