સરકાર સામે હવે આંગણવાડી કાર્યકરો મેદાનમાં, લઘુત્તમ વેતનની માંગ સાથે રાજકોટમાં ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:47:18

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી  રહી છે તેમ સરકાર સામે જનાક્રોશ વધી રહ્યો. રાજ્ય સરકાર સામે વિવિધ વર્ગનાં કર્મચારીઓ ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યનાં એક લાખ જેટલા આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી પડતર માગણીઓને લઈ આંદોલન કરી રહી છે. રાજકોટ જિલ્લાનાં હજારો આંગણવાડી કાર્યકરોએ આજે જિલ્લા પંચાયત કચેરી અને રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉમટી પડી હતી અને કમિશ્નર, ડીડીઓ, જિલ્લા પંચાયતના વિપક્ષનાં નેતાને મળીને લઘુતમ વેતન આપવા સહિતની માગણીને લઈને રોષભેર રજુઆત કરી હતી. 


રાજકોટમાં ઉમટી હજારો આંગણવાડી કાર્યકરો


સમગ્ર જિલ્લામાંથી આવેલી લગભગ ત્રણ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો જિલ્લા પંચાયત કચેરીમાં આવેલા ગાર્ડનમાં એકઠી થઈ હતી.  આંગણવાડી બહેનોએ એવો રોષ વ્યકત કર્યો હતો કે, અસહ્ય મોંઘવારીમાં ગુજરાત સરકાર માત્ર 7,800 રૂપિયાનું વેતન આપે છે જયારે હરિયાણામાં ભાજપ સરકાર  રૂ. 11000, મધ્યપ્રદેશમાં રૂ.11000 દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર રૂ.11500 વેતન આપે છે. ગુજરાતમાં અમને લઘુતમ વેતન આપવામાં આવે તેવી લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર માત્ર ખોટા વાયદા જ આપે છે હવે સરકાર પરથી હવે ભરોસો ઉઠી ગયો છે.


મહિલા સશક્તિકરણની માત્ર વાતો 


આંગણવાડી વર્કરોએ સરકાર પર આરોપ લગાવ્યો હતો ભાજપ સરકાર માત્ર મહિલા સશકતિકરણની માત્ર વાતો જ કરે છે. રાજકોટ જિલ્લામાં સુપરવાઈઝર તરીકેનાં પ્રમોશન લાંબા સમયથી આંગણવાડી કાર્યકરોને અપાયા નથી આ મૂદે પણ ડીડીઓને રજુઆત કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરોએ પડતર માગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગરમાં પણ ધરણા સહિતનાં કાર્યક્રમો યોજાવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


જુના મોબાઈલ સરકારમાં પરત કરાશે


આંગણવાડી બહેનોને આંકડાકીય કામગીરી માટે વર્ષ 2019 માં મોબાઈલ સરકારે આપ્યા હતા. જો કે આ મોબાઈલ સારી કવોલીટીનાં ન હોવાથી ચાલતા જ નથી. મોબાઈલ શો પીસ  સમાન બની ગયા હોવાનો આંગણવાડી બહેનોએ  રોષ ઠાલવ્યો હતો. સરકાર સારી કવોલીટીનાં મોબાઈલ નહીં આપે તો જુના માોબાઈલ સરકારમાં પરત આપવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.