સરકાર સામે હવે આંગણવાડી કાર્યકરો મેદાનમાં, લઘુત્તમ વેતનની માંગ સાથે રાજકોટમાં ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:47:18

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી  રહી છે તેમ સરકાર સામે જનાક્રોશ વધી રહ્યો. રાજ્ય સરકાર સામે વિવિધ વર્ગનાં કર્મચારીઓ ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યનાં એક લાખ જેટલા આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી પડતર માગણીઓને લઈ આંદોલન કરી રહી છે. રાજકોટ જિલ્લાનાં હજારો આંગણવાડી કાર્યકરોએ આજે જિલ્લા પંચાયત કચેરી અને રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉમટી પડી હતી અને કમિશ્નર, ડીડીઓ, જિલ્લા પંચાયતના વિપક્ષનાં નેતાને મળીને લઘુતમ વેતન આપવા સહિતની માગણીને લઈને રોષભેર રજુઆત કરી હતી. 


રાજકોટમાં ઉમટી હજારો આંગણવાડી કાર્યકરો


સમગ્ર જિલ્લામાંથી આવેલી લગભગ ત્રણ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો જિલ્લા પંચાયત કચેરીમાં આવેલા ગાર્ડનમાં એકઠી થઈ હતી.  આંગણવાડી બહેનોએ એવો રોષ વ્યકત કર્યો હતો કે, અસહ્ય મોંઘવારીમાં ગુજરાત સરકાર માત્ર 7,800 રૂપિયાનું વેતન આપે છે જયારે હરિયાણામાં ભાજપ સરકાર  રૂ. 11000, મધ્યપ્રદેશમાં રૂ.11000 દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર રૂ.11500 વેતન આપે છે. ગુજરાતમાં અમને લઘુતમ વેતન આપવામાં આવે તેવી લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર માત્ર ખોટા વાયદા જ આપે છે હવે સરકાર પરથી હવે ભરોસો ઉઠી ગયો છે.


મહિલા સશક્તિકરણની માત્ર વાતો 


આંગણવાડી વર્કરોએ સરકાર પર આરોપ લગાવ્યો હતો ભાજપ સરકાર માત્ર મહિલા સશકતિકરણની માત્ર વાતો જ કરે છે. રાજકોટ જિલ્લામાં સુપરવાઈઝર તરીકેનાં પ્રમોશન લાંબા સમયથી આંગણવાડી કાર્યકરોને અપાયા નથી આ મૂદે પણ ડીડીઓને રજુઆત કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરોએ પડતર માગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગરમાં પણ ધરણા સહિતનાં કાર્યક્રમો યોજાવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


જુના મોબાઈલ સરકારમાં પરત કરાશે


આંગણવાડી બહેનોને આંકડાકીય કામગીરી માટે વર્ષ 2019 માં મોબાઈલ સરકારે આપ્યા હતા. જો કે આ મોબાઈલ સારી કવોલીટીનાં ન હોવાથી ચાલતા જ નથી. મોબાઈલ શો પીસ  સમાન બની ગયા હોવાનો આંગણવાડી બહેનોએ  રોષ ઠાલવ્યો હતો. સરકાર સારી કવોલીટીનાં મોબાઈલ નહીં આપે તો જુના માોબાઈલ સરકારમાં પરત આપવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.