અનિલ અંબાણીની આ નાદાર કંપનીમાં બેંકોના ફસાયા 24 હજાર કરોડ, હિન્દુજાએ ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2023-03-26 15:26:08

અનિલ અંબાણીની નાદાર રિલાયન્સ કેપિટલમાં બેંકોના 24,000 કરોડ રૂપિયા ફસાયા છે. પરંતુ તેમ છતાં હાલમાં તેમની સમસ્યાઓનો ઉકેલ આવતો હોય તેવું જણાતું નથી. હિન્દુજા ગ્રૂપે ડિસેમ્બરમાં તેની બિડ વધારીને રૂ. 9,000 કરોડ કરી હતી. પરંતુ હવે તેણે તેમાંથી પીછેહઠ કરી છે. તેણે બેંકોને કહ્યું છે કે તે આટલી મોટી ઓફર કરી શકશે નહીં. પ્રથમ હરાજીમાં ટોરેન્ટે સૌથી વધુ બોલી લગાવી હતી. ટોરેન્ટે રૂ. 8,640 કરોડ અને હિન્દુજાએ રૂ. 8,110 કરોડની બિડ કરી હતી. આ પછી હિન્દુજાએ તેની બોલી વધારીને 9,000 કરોડ રૂપિયા કરી દીધી. જેના કારણે હરાજીનો બીજો રાઉન્ડ થયો હતો. જેને ટોરેન્ટે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી.


રિલાયન્સ કેપિટલનું મૂલ્ય ઘટ્યું


રિલાયન્સ કેપિટલના કેટલાક ધિરાણકર્તાઓએ શુક્રવારે ટોરેન્ટ ગ્રૂપ અને હિન્દુજા ગ્રૂપ સાથે બેઠક કરી હતી. આમાં હિન્દુજાએ કહ્યું કે તેની 8,110 કરોડ રૂપિયાની મૂળ બિડને ધ્યાનમાં લેવી જોઈએ. હિન્દુજાએ ચેલેન્જ મિકેનિઝમ હેઠળ તેની બિડ વધારી હતી. તેનાથી બેંકોને વ્યાજ ખર્ચના રૂપમાં મોટું નુકસાન થઈ શકે છે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં રૂ.5 લાખથી વધુના વીમા પ્રોડક્ટ્સ પર ટેક્સ લાદવામાં આવ્યો છે. આ કારણે રિલાયન્સ કેપિટલનું વેલ્યુએશન ખુબ ઘટ્યું છે. રિલાયન્સ કેપિટલ રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સમાં 51 ટકા અને રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.


રિઝોલ્યુશન પ્રક્રિયા અટકી


ટોરેન્ટની અપીલ પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલો ઓગસ્ટમાં સુનાવણી માટે આવશે. દરમિયાન, કોર્ટે બેંકોને સેકન્ડ ચેલેન્જ મિકેનિઝમ એટલે કે વાટાઘાટો માટે પરવાનગી આપી છે પરંતુ બધું ટોરેન્ટની અપીલ પરના અંતિમ આદેશ પર નિર્ભર રહેશે. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી બેંકો તેને અન્ય કોઈને આપી શકે નહીં. આ જ કારણ છે કે હવે કોઈ પણ બિડર આ જફામાં પડવા માંગતો નથી. આ સાથે જ એક પ્રકારે કંપનીની રિઝોલ્યુશન પ્રક્રિયા અટકી ગઈ છે. આ પ્રક્રિયા નવેમ્બર 2021માં શરૂ થઈ હતી.


કંપનીની નાદારી પ્રકિયા પુરી થશે?


રિલાયન્સ કેપિટલ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આમાં લગભગ 20 નાણાકીય સેવા કંપનીઓ છે. તેમાં સિક્યોરિટીઝ બ્રોકિંગ, વીમો અને એઆરસીનો સમાવેશ થાય છે. RBIએ 30 નવેમ્બર 2021 ના ​​રોજ ભારે દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું અને તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટે આ માટે સૌથી વધુ રૂ. 8,640 કરોડની બોલી લગાવી હતી. 2007માં પ્રકાશિત ફોર્બ્સ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, અનિલ અંબાણીની કુલ સંપત્તિ 45 અબજ બિલિયન ડોલર હતી અને તે સમયે તેઓ દેશના ત્રીજા સૌથી મોટા અબજોપતિ હતા. પરંતુ આજે તેની કુલ સંપત્તિ શૂન્ય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.