અનિલ અંબાણીની આ નાદાર કંપનીમાં બેંકોના ફસાયા 24 હજાર કરોડ, હિન્દુજાએ ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2023-03-26 15:26:08

અનિલ અંબાણીની નાદાર રિલાયન્સ કેપિટલમાં બેંકોના 24,000 કરોડ રૂપિયા ફસાયા છે. પરંતુ તેમ છતાં હાલમાં તેમની સમસ્યાઓનો ઉકેલ આવતો હોય તેવું જણાતું નથી. હિન્દુજા ગ્રૂપે ડિસેમ્બરમાં તેની બિડ વધારીને રૂ. 9,000 કરોડ કરી હતી. પરંતુ હવે તેણે તેમાંથી પીછેહઠ કરી છે. તેણે બેંકોને કહ્યું છે કે તે આટલી મોટી ઓફર કરી શકશે નહીં. પ્રથમ હરાજીમાં ટોરેન્ટે સૌથી વધુ બોલી લગાવી હતી. ટોરેન્ટે રૂ. 8,640 કરોડ અને હિન્દુજાએ રૂ. 8,110 કરોડની બિડ કરી હતી. આ પછી હિન્દુજાએ તેની બોલી વધારીને 9,000 કરોડ રૂપિયા કરી દીધી. જેના કારણે હરાજીનો બીજો રાઉન્ડ થયો હતો. જેને ટોરેન્ટે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી.


રિલાયન્સ કેપિટલનું મૂલ્ય ઘટ્યું


રિલાયન્સ કેપિટલના કેટલાક ધિરાણકર્તાઓએ શુક્રવારે ટોરેન્ટ ગ્રૂપ અને હિન્દુજા ગ્રૂપ સાથે બેઠક કરી હતી. આમાં હિન્દુજાએ કહ્યું કે તેની 8,110 કરોડ રૂપિયાની મૂળ બિડને ધ્યાનમાં લેવી જોઈએ. હિન્દુજાએ ચેલેન્જ મિકેનિઝમ હેઠળ તેની બિડ વધારી હતી. તેનાથી બેંકોને વ્યાજ ખર્ચના રૂપમાં મોટું નુકસાન થઈ શકે છે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં રૂ.5 લાખથી વધુના વીમા પ્રોડક્ટ્સ પર ટેક્સ લાદવામાં આવ્યો છે. આ કારણે રિલાયન્સ કેપિટલનું વેલ્યુએશન ખુબ ઘટ્યું છે. રિલાયન્સ કેપિટલ રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સમાં 51 ટકા અને રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.


રિઝોલ્યુશન પ્રક્રિયા અટકી


ટોરેન્ટની અપીલ પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલો ઓગસ્ટમાં સુનાવણી માટે આવશે. દરમિયાન, કોર્ટે બેંકોને સેકન્ડ ચેલેન્જ મિકેનિઝમ એટલે કે વાટાઘાટો માટે પરવાનગી આપી છે પરંતુ બધું ટોરેન્ટની અપીલ પરના અંતિમ આદેશ પર નિર્ભર રહેશે. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી બેંકો તેને અન્ય કોઈને આપી શકે નહીં. આ જ કારણ છે કે હવે કોઈ પણ બિડર આ જફામાં પડવા માંગતો નથી. આ સાથે જ એક પ્રકારે કંપનીની રિઝોલ્યુશન પ્રક્રિયા અટકી ગઈ છે. આ પ્રક્રિયા નવેમ્બર 2021માં શરૂ થઈ હતી.


કંપનીની નાદારી પ્રકિયા પુરી થશે?


રિલાયન્સ કેપિટલ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આમાં લગભગ 20 નાણાકીય સેવા કંપનીઓ છે. તેમાં સિક્યોરિટીઝ બ્રોકિંગ, વીમો અને એઆરસીનો સમાવેશ થાય છે. RBIએ 30 નવેમ્બર 2021 ના ​​રોજ ભારે દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું અને તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટે આ માટે સૌથી વધુ રૂ. 8,640 કરોડની બોલી લગાવી હતી. 2007માં પ્રકાશિત ફોર્બ્સ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, અનિલ અંબાણીની કુલ સંપત્તિ 45 અબજ બિલિયન ડોલર હતી અને તે સમયે તેઓ દેશના ત્રીજા સૌથી મોટા અબજોપતિ હતા. પરંતુ આજે તેની કુલ સંપત્તિ શૂન્ય છે.



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.