અનિલ અંબાણીની આ નાદાર કંપનીમાં બેંકોના ફસાયા 24 હજાર કરોડ, હિન્દુજાએ ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2023-03-26 15:26:08

અનિલ અંબાણીની નાદાર રિલાયન્સ કેપિટલમાં બેંકોના 24,000 કરોડ રૂપિયા ફસાયા છે. પરંતુ તેમ છતાં હાલમાં તેમની સમસ્યાઓનો ઉકેલ આવતો હોય તેવું જણાતું નથી. હિન્દુજા ગ્રૂપે ડિસેમ્બરમાં તેની બિડ વધારીને રૂ. 9,000 કરોડ કરી હતી. પરંતુ હવે તેણે તેમાંથી પીછેહઠ કરી છે. તેણે બેંકોને કહ્યું છે કે તે આટલી મોટી ઓફર કરી શકશે નહીં. પ્રથમ હરાજીમાં ટોરેન્ટે સૌથી વધુ બોલી લગાવી હતી. ટોરેન્ટે રૂ. 8,640 કરોડ અને હિન્દુજાએ રૂ. 8,110 કરોડની બિડ કરી હતી. આ પછી હિન્દુજાએ તેની બોલી વધારીને 9,000 કરોડ રૂપિયા કરી દીધી. જેના કારણે હરાજીનો બીજો રાઉન્ડ થયો હતો. જેને ટોરેન્ટે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી.


રિલાયન્સ કેપિટલનું મૂલ્ય ઘટ્યું


રિલાયન્સ કેપિટલના કેટલાક ધિરાણકર્તાઓએ શુક્રવારે ટોરેન્ટ ગ્રૂપ અને હિન્દુજા ગ્રૂપ સાથે બેઠક કરી હતી. આમાં હિન્દુજાએ કહ્યું કે તેની 8,110 કરોડ રૂપિયાની મૂળ બિડને ધ્યાનમાં લેવી જોઈએ. હિન્દુજાએ ચેલેન્જ મિકેનિઝમ હેઠળ તેની બિડ વધારી હતી. તેનાથી બેંકોને વ્યાજ ખર્ચના રૂપમાં મોટું નુકસાન થઈ શકે છે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં રૂ.5 લાખથી વધુના વીમા પ્રોડક્ટ્સ પર ટેક્સ લાદવામાં આવ્યો છે. આ કારણે રિલાયન્સ કેપિટલનું વેલ્યુએશન ખુબ ઘટ્યું છે. રિલાયન્સ કેપિટલ રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સમાં 51 ટકા અને રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.


રિઝોલ્યુશન પ્રક્રિયા અટકી


ટોરેન્ટની અપીલ પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલો ઓગસ્ટમાં સુનાવણી માટે આવશે. દરમિયાન, કોર્ટે બેંકોને સેકન્ડ ચેલેન્જ મિકેનિઝમ એટલે કે વાટાઘાટો માટે પરવાનગી આપી છે પરંતુ બધું ટોરેન્ટની અપીલ પરના અંતિમ આદેશ પર નિર્ભર રહેશે. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી બેંકો તેને અન્ય કોઈને આપી શકે નહીં. આ જ કારણ છે કે હવે કોઈ પણ બિડર આ જફામાં પડવા માંગતો નથી. આ સાથે જ એક પ્રકારે કંપનીની રિઝોલ્યુશન પ્રક્રિયા અટકી ગઈ છે. આ પ્રક્રિયા નવેમ્બર 2021માં શરૂ થઈ હતી.


કંપનીની નાદારી પ્રકિયા પુરી થશે?


રિલાયન્સ કેપિટલ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આમાં લગભગ 20 નાણાકીય સેવા કંપનીઓ છે. તેમાં સિક્યોરિટીઝ બ્રોકિંગ, વીમો અને એઆરસીનો સમાવેશ થાય છે. RBIએ 30 નવેમ્બર 2021 ના ​​રોજ ભારે દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું અને તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટે આ માટે સૌથી વધુ રૂ. 8,640 કરોડની બોલી લગાવી હતી. 2007માં પ્રકાશિત ફોર્બ્સ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, અનિલ અંબાણીની કુલ સંપત્તિ 45 અબજ બિલિયન ડોલર હતી અને તે સમયે તેઓ દેશના ત્રીજા સૌથી મોટા અબજોપતિ હતા. પરંતુ આજે તેની કુલ સંપત્તિ શૂન્ય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.