અનિલ અંબાણીએ અદાણી પર 13,400 કરોડનો દાવો માડ્યો, કરાર ભંગનો લગાવ્યો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:20:20

અનિલ અંબાણી ગ્રૃપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે અદાણી ટ્રાન્સમિશન સામે રૂ. 13,400 કરોડનો દાવો ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં  દાખલ કર્યો છે. આ કેસ મુંબઈ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, 9 સપ્ટેમ્બરના રોજ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આર્બિટ્રેશનના દાવામાં કહ્યું હતું કે ડિસેમ્બર 2017માં શેર ખરીદી કરારની શરતોનું અદાણી ટ્રાન્સમિશન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તે સમયે મુંબઈ પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ રિલાયન્સ ઈન્ફ્રા દ્વારા અદાણી ટ્રાન્સમિશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

 

અંબાણી-અદાણી વચ્ચે વિવાદ શું છે?


અદાણી ગ્રુપે 2017માં રૂ. 18,800 કરોડના સોદામાં અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાનો મુંબઈ વીજળી બિઝનેસ હસ્તગત કર્યો હતો, જેમાં ઉત્પાદન, વિતરણ અને ટ્રાન્સમિશનનો સમાવેશ થતો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા રિલાયન્સ એનર્જી તરીકે ઓળખાતી હતી. રિલાયન્સ એનર્જીએ મુંબઈના 30 લાખ ગ્રાહકોને વીજળી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. આ ડીલનો હેતુ રિલાયન્સ ઈન્ફ્રાનું રૂ.15,000 કરોડનું દેવું ઘટાડવાનો હતો. ગૌતમ અદાણીની કંપની સાથેની ડીલ બાદ રિલાયન્સ ઈન્ફ્રા પાસે રૂ. 3000 કરોડની સરપ્લસ આવી હતી. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે અદાણી ટ્રાન્સમિશનએ રિલાયન્સ ઈન્ફ્રા સાથે કરવામાં આવેલા સોદાનું કેવી રીતે ઉલ્લંઘન કર્યું છે. આ ડીલથી અદાણી ગ્રુપને પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં પગ જમાવવામાં મદદ મળી હતી. આ પછી અદાણી જૂથ પાવર ઉત્પાદન તેમજ ટ્રાન્સમિશન માટે પ્રખ્યાત બન્યું. હાલમાં અદાણી ટ્રાન્સમિશન ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ટ્રાન્સમિશન અને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.