અનિલ અંબાણીએ અદાણી પર 13,400 કરોડનો દાવો માડ્યો, કરાર ભંગનો લગાવ્યો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:20:20

અનિલ અંબાણી ગ્રૃપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે અદાણી ટ્રાન્સમિશન સામે રૂ. 13,400 કરોડનો દાવો ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં  દાખલ કર્યો છે. આ કેસ મુંબઈ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, 9 સપ્ટેમ્બરના રોજ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આર્બિટ્રેશનના દાવામાં કહ્યું હતું કે ડિસેમ્બર 2017માં શેર ખરીદી કરારની શરતોનું અદાણી ટ્રાન્સમિશન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તે સમયે મુંબઈ પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ રિલાયન્સ ઈન્ફ્રા દ્વારા અદાણી ટ્રાન્સમિશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

 

અંબાણી-અદાણી વચ્ચે વિવાદ શું છે?


અદાણી ગ્રુપે 2017માં રૂ. 18,800 કરોડના સોદામાં અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાનો મુંબઈ વીજળી બિઝનેસ હસ્તગત કર્યો હતો, જેમાં ઉત્પાદન, વિતરણ અને ટ્રાન્સમિશનનો સમાવેશ થતો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા રિલાયન્સ એનર્જી તરીકે ઓળખાતી હતી. રિલાયન્સ એનર્જીએ મુંબઈના 30 લાખ ગ્રાહકોને વીજળી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. આ ડીલનો હેતુ રિલાયન્સ ઈન્ફ્રાનું રૂ.15,000 કરોડનું દેવું ઘટાડવાનો હતો. ગૌતમ અદાણીની કંપની સાથેની ડીલ બાદ રિલાયન્સ ઈન્ફ્રા પાસે રૂ. 3000 કરોડની સરપ્લસ આવી હતી. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે અદાણી ટ્રાન્સમિશનએ રિલાયન્સ ઈન્ફ્રા સાથે કરવામાં આવેલા સોદાનું કેવી રીતે ઉલ્લંઘન કર્યું છે. આ ડીલથી અદાણી ગ્રુપને પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં પગ જમાવવામાં મદદ મળી હતી. આ પછી અદાણી જૂથ પાવર ઉત્પાદન તેમજ ટ્રાન્સમિશન માટે પ્રખ્યાત બન્યું. હાલમાં અદાણી ટ્રાન્સમિશન ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ટ્રાન્સમિશન અને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.