અનિલ અંબાણીએ અદાણી પર 13,400 કરોડનો દાવો માડ્યો, કરાર ભંગનો લગાવ્યો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:20:20

અનિલ અંબાણી ગ્રૃપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે અદાણી ટ્રાન્સમિશન સામે રૂ. 13,400 કરોડનો દાવો ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં  દાખલ કર્યો છે. આ કેસ મુંબઈ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, 9 સપ્ટેમ્બરના રોજ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આર્બિટ્રેશનના દાવામાં કહ્યું હતું કે ડિસેમ્બર 2017માં શેર ખરીદી કરારની શરતોનું અદાણી ટ્રાન્સમિશન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તે સમયે મુંબઈ પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ રિલાયન્સ ઈન્ફ્રા દ્વારા અદાણી ટ્રાન્સમિશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

 

અંબાણી-અદાણી વચ્ચે વિવાદ શું છે?


અદાણી ગ્રુપે 2017માં રૂ. 18,800 કરોડના સોદામાં અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાનો મુંબઈ વીજળી બિઝનેસ હસ્તગત કર્યો હતો, જેમાં ઉત્પાદન, વિતરણ અને ટ્રાન્સમિશનનો સમાવેશ થતો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા રિલાયન્સ એનર્જી તરીકે ઓળખાતી હતી. રિલાયન્સ એનર્જીએ મુંબઈના 30 લાખ ગ્રાહકોને વીજળી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. આ ડીલનો હેતુ રિલાયન્સ ઈન્ફ્રાનું રૂ.15,000 કરોડનું દેવું ઘટાડવાનો હતો. ગૌતમ અદાણીની કંપની સાથેની ડીલ બાદ રિલાયન્સ ઈન્ફ્રા પાસે રૂ. 3000 કરોડની સરપ્લસ આવી હતી. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે અદાણી ટ્રાન્સમિશનએ રિલાયન્સ ઈન્ફ્રા સાથે કરવામાં આવેલા સોદાનું કેવી રીતે ઉલ્લંઘન કર્યું છે. આ ડીલથી અદાણી ગ્રુપને પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં પગ જમાવવામાં મદદ મળી હતી. આ પછી અદાણી જૂથ પાવર ઉત્પાદન તેમજ ટ્રાન્સમિશન માટે પ્રખ્યાત બન્યું. હાલમાં અદાણી ટ્રાન્સમિશન ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ટ્રાન્સમિશન અને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.