અનિલ અંબાણીએ અદાણી પર 13,400 કરોડનો દાવો માડ્યો, કરાર ભંગનો લગાવ્યો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:20:20

અનિલ અંબાણી ગ્રૃપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે અદાણી ટ્રાન્સમિશન સામે રૂ. 13,400 કરોડનો દાવો ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં  દાખલ કર્યો છે. આ કેસ મુંબઈ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, 9 સપ્ટેમ્બરના રોજ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આર્બિટ્રેશનના દાવામાં કહ્યું હતું કે ડિસેમ્બર 2017માં શેર ખરીદી કરારની શરતોનું અદાણી ટ્રાન્સમિશન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તે સમયે મુંબઈ પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ રિલાયન્સ ઈન્ફ્રા દ્વારા અદાણી ટ્રાન્સમિશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

 

અંબાણી-અદાણી વચ્ચે વિવાદ શું છે?


અદાણી ગ્રુપે 2017માં રૂ. 18,800 કરોડના સોદામાં અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાનો મુંબઈ વીજળી બિઝનેસ હસ્તગત કર્યો હતો, જેમાં ઉત્પાદન, વિતરણ અને ટ્રાન્સમિશનનો સમાવેશ થતો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા રિલાયન્સ એનર્જી તરીકે ઓળખાતી હતી. રિલાયન્સ એનર્જીએ મુંબઈના 30 લાખ ગ્રાહકોને વીજળી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. આ ડીલનો હેતુ રિલાયન્સ ઈન્ફ્રાનું રૂ.15,000 કરોડનું દેવું ઘટાડવાનો હતો. ગૌતમ અદાણીની કંપની સાથેની ડીલ બાદ રિલાયન્સ ઈન્ફ્રા પાસે રૂ. 3000 કરોડની સરપ્લસ આવી હતી. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે અદાણી ટ્રાન્સમિશનએ રિલાયન્સ ઈન્ફ્રા સાથે કરવામાં આવેલા સોદાનું કેવી રીતે ઉલ્લંઘન કર્યું છે. આ ડીલથી અદાણી ગ્રુપને પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં પગ જમાવવામાં મદદ મળી હતી. આ પછી અદાણી જૂથ પાવર ઉત્પાદન તેમજ ટ્રાન્સમિશન માટે પ્રખ્યાત બન્યું. હાલમાં અદાણી ટ્રાન્સમિશન ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ટ્રાન્સમિશન અને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .