કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટનીનો પુત્ર ભાજપમાં જોડાયો, BBC ડોક્યુમેન્ટરી પર ઉઠાવ્યા હતા સવાલ


  • Published By :
  • Published Date : 2023-04-06 18:44:38

ભાજપના સ્થાપના દિવસની ઉજવણી પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે. તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન અનિલ એન્ટનીએ કહ્યું કે એક ભારતીય યુવા તરીકે મને લાગે છે કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય એકતાના PM મોદીના વિઝનમાં યોગદાન આપવું એ મારી જવાબદારી અને ફરજ છે.


BBC ડોક્યુમેન્ટ્રી પર ઉઠાવ્યા હતા સવાલ


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ BBC ડોક્યુમેન્ટ્રી સામે આવ્યા બાદ અનિલ એન્ટની કોંગ્રેસના સ્ટેન્ડ પર સવાલ ઉઠાવ્યા હતા. અનિલે સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું, જે પછી ઘણા કોંગ્રેસી નેતાઓએ તેમની ટીકા કરી. આ પછી અનિલ એન્ટનીએ પોતાના તમામ પદ છોડી દીધા.


ડોક્યુમેન્ટરી દેશની સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશેઃ અનિલ એન્ટની


એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટનીએ ભાજપને સમર્થન આપતાં કહ્યું હતું કે ભારતીય સંસ્થાઓ પર બ્રિટિશ બ્રોડકાસ્ટરના મંતવ્યો રજૂ કરવાથી દેશની સાર્વભૌમત્વને નુકસાન થશે. તેમણે કહ્યું, 'ભાજપ સાથે મોટા મતભેદો હોવા છતાં, મને લાગે છે કે તેઓ (ભારતમાં) પૂર્વગ્રહોનો લાંબો ઈતિહાસ ધરાવતી રાજ્ય પ્રાયોજિત ચેનલ (ભારતની) બીબીસી જે મંતવ્યો ધરાવે છે, તે આપણા સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.