કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટનીનો પુત્ર ભાજપમાં જોડાયો, BBC ડોક્યુમેન્ટરી પર ઉઠાવ્યા હતા સવાલ


  • Published By :
  • Published Date : 2023-04-06 18:44:38

ભાજપના સ્થાપના દિવસની ઉજવણી પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે. તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન અનિલ એન્ટનીએ કહ્યું કે એક ભારતીય યુવા તરીકે મને લાગે છે કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય એકતાના PM મોદીના વિઝનમાં યોગદાન આપવું એ મારી જવાબદારી અને ફરજ છે.


BBC ડોક્યુમેન્ટ્રી પર ઉઠાવ્યા હતા સવાલ


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ BBC ડોક્યુમેન્ટ્રી સામે આવ્યા બાદ અનિલ એન્ટની કોંગ્રેસના સ્ટેન્ડ પર સવાલ ઉઠાવ્યા હતા. અનિલે સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું, જે પછી ઘણા કોંગ્રેસી નેતાઓએ તેમની ટીકા કરી. આ પછી અનિલ એન્ટનીએ પોતાના તમામ પદ છોડી દીધા.


ડોક્યુમેન્ટરી દેશની સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશેઃ અનિલ એન્ટની


એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટનીએ ભાજપને સમર્થન આપતાં કહ્યું હતું કે ભારતીય સંસ્થાઓ પર બ્રિટિશ બ્રોડકાસ્ટરના મંતવ્યો રજૂ કરવાથી દેશની સાર્વભૌમત્વને નુકસાન થશે. તેમણે કહ્યું, 'ભાજપ સાથે મોટા મતભેદો હોવા છતાં, મને લાગે છે કે તેઓ (ભારતમાં) પૂર્વગ્રહોનો લાંબો ઈતિહાસ ધરાવતી રાજ્ય પ્રાયોજિત ચેનલ (ભારતની) બીબીસી જે મંતવ્યો ધરાવે છે, તે આપણા સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.