કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટનીનો પુત્ર ભાજપમાં જોડાયો, BBC ડોક્યુમેન્ટરી પર ઉઠાવ્યા હતા સવાલ


  • Published By :
  • Published Date : 2023-04-06 18:44:38

ભાજપના સ્થાપના દિવસની ઉજવણી પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે. તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન અનિલ એન્ટનીએ કહ્યું કે એક ભારતીય યુવા તરીકે મને લાગે છે કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય એકતાના PM મોદીના વિઝનમાં યોગદાન આપવું એ મારી જવાબદારી અને ફરજ છે.


BBC ડોક્યુમેન્ટ્રી પર ઉઠાવ્યા હતા સવાલ


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ BBC ડોક્યુમેન્ટ્રી સામે આવ્યા બાદ અનિલ એન્ટની કોંગ્રેસના સ્ટેન્ડ પર સવાલ ઉઠાવ્યા હતા. અનિલે સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું, જે પછી ઘણા કોંગ્રેસી નેતાઓએ તેમની ટીકા કરી. આ પછી અનિલ એન્ટનીએ પોતાના તમામ પદ છોડી દીધા.


ડોક્યુમેન્ટરી દેશની સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશેઃ અનિલ એન્ટની


એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટનીએ ભાજપને સમર્થન આપતાં કહ્યું હતું કે ભારતીય સંસ્થાઓ પર બ્રિટિશ બ્રોડકાસ્ટરના મંતવ્યો રજૂ કરવાથી દેશની સાર્વભૌમત્વને નુકસાન થશે. તેમણે કહ્યું, 'ભાજપ સાથે મોટા મતભેદો હોવા છતાં, મને લાગે છે કે તેઓ (ભારતમાં) પૂર્વગ્રહોનો લાંબો ઈતિહાસ ધરાવતી રાજ્ય પ્રાયોજિત ચેનલ (ભારતની) બીબીસી જે મંતવ્યો ધરાવે છે, તે આપણા સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.