બનાસકાંઠામાં યોજાઈ આંજણા ચૌધરી સમાજની મિટિંગ, ફેશનેબલ દાઢી કોને કહેવાય તે જાણવા જમાવટની ટીમે કરી સમાજના અગ્રણી સાથે વાત, સાંભળો તેમણે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-04-03 17:24:54

દરેક સમાજ સમયાંતરે પોતાના સમાજમાં બદલાવ લાવવા અનેક નીતિ નિયમો લાવતા હોય છે. સમાજમાં ચાલતી કુપ્રથાઓ તેમજ રીતિ રિવાજોમાં ફેરફાર કરવા સમાજો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ધાનેરામાં આંજણા ચૌધરી સમાજની મિટીંગ મળી હતી. જેમાં સમાજમાં સુધારણા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં 23 જેટલા સુધારણા કરવામાં આવ્યા છે. પરંતુ એક સુધારો એવો છે જેને લઈ હાલ ચર્ચાઓ ચાલી રહી છે. સુધારણામાં યુવાનો દ્વારા રાખવામાં આવતી ફેશનેબલ દાઢીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કોઈ યુવક ફેશનેબલ દાઢી રાખશે તો તેને દંડ કરવામાં આવશે. 

ફેશનેબલ દાઢી રાખશો તો થશે 51 હજારનો દંડ 

કહેવાય છે સમય સાથે બદલાવું જરૂરી છે. એ પછી માણસ હોય કે સમાજ હોય. જો સમય સાથે બદલાવ કરવામાં નથી આવતો તો સમાજમાં અનેક કુપ્રથાઓ ઘર કરી જતી હોય છે. સમાજમાં રહેલી કુપ્રથાઓ તેમજ સામાજીક સુધારણા લાવવા સમાજોની બેઠક મળતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. જેમાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા હતા. બેઠકમાં 23 જેટલા સુધારા કરવામાં આવ્યા છે. યુવાનોમાં દાઢી રાખવાનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે દાઢીને લઈ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ યુવાનોએ ફેશનેબલ દાઢી રાખવી નહીં. જો ફેશનેબલ દાઢી રાખશો તો 51 હજાર સુધીનો દંડ ભરવો પડશે. 

હવેથી ગુજરાતમાં આ સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી રાખવા પર થશે 51 હજારનો દંડ,  સમાજ સુધારણા માટે નવું ફરમાન | Anjana Chaudhary Samaj meeting of 54  villages was held in Dhanera

સમૂહ લગ્ન અંગે પણ મિટિંગમાં કરાઈ ચર્ચા  

દાઢીના નિર્ણય ઉપરાંત અનેક સુધારણા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગ દરમિયાન અનેક વખત લાખોનો ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દીકરાનો જમણવાર પાટના દિવસે કરી દેવો. પાટના સમયે દિકરીને 1100થી વધારે રૂપિયા ન આપવા તેવી વાતને મંજૂર કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમીટેડ ફોડવા, લગ્નમાં ડી.જે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભોજન સમારોહમાં પૌષ્ટિક જમવાનું બનાવું સહિતના નિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. 


જમાવટની ટીમે કરી સમાજના અગ્રણી સાથે કરી વાત 

આ મિટિંગમાં લેવાયા અનેક નિર્ણય સામાન્ય રીતે સમજી શકાય તેવા હતા. પરંતુ ફેશનેબલ દાઢીની વ્યાખ્યા કેવી હોય તે અંગે સ્પષ્ટતા કરવા જમાવટની ટીમે સમાજના અગ્રણી સાથે વાત કરી હતી. જાણો સમાજના અગ્રણીએ આ મામલે શું કહ્યું...    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.