બનાસકાંઠામાં યોજાઈ આંજણા ચૌધરી સમાજની મિટિંગ, ફેશનેબલ દાઢી કોને કહેવાય તે જાણવા જમાવટની ટીમે કરી સમાજના અગ્રણી સાથે વાત, સાંભળો તેમણે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-04-03 17:24:54

દરેક સમાજ સમયાંતરે પોતાના સમાજમાં બદલાવ લાવવા અનેક નીતિ નિયમો લાવતા હોય છે. સમાજમાં ચાલતી કુપ્રથાઓ તેમજ રીતિ રિવાજોમાં ફેરફાર કરવા સમાજો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ધાનેરામાં આંજણા ચૌધરી સમાજની મિટીંગ મળી હતી. જેમાં સમાજમાં સુધારણા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં 23 જેટલા સુધારણા કરવામાં આવ્યા છે. પરંતુ એક સુધારો એવો છે જેને લઈ હાલ ચર્ચાઓ ચાલી રહી છે. સુધારણામાં યુવાનો દ્વારા રાખવામાં આવતી ફેશનેબલ દાઢીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કોઈ યુવક ફેશનેબલ દાઢી રાખશે તો તેને દંડ કરવામાં આવશે. 

ફેશનેબલ દાઢી રાખશો તો થશે 51 હજારનો દંડ 

કહેવાય છે સમય સાથે બદલાવું જરૂરી છે. એ પછી માણસ હોય કે સમાજ હોય. જો સમય સાથે બદલાવ કરવામાં નથી આવતો તો સમાજમાં અનેક કુપ્રથાઓ ઘર કરી જતી હોય છે. સમાજમાં રહેલી કુપ્રથાઓ તેમજ સામાજીક સુધારણા લાવવા સમાજોની બેઠક મળતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. જેમાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા હતા. બેઠકમાં 23 જેટલા સુધારા કરવામાં આવ્યા છે. યુવાનોમાં દાઢી રાખવાનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે દાઢીને લઈ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ યુવાનોએ ફેશનેબલ દાઢી રાખવી નહીં. જો ફેશનેબલ દાઢી રાખશો તો 51 હજાર સુધીનો દંડ ભરવો પડશે. 

હવેથી ગુજરાતમાં આ સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી રાખવા પર થશે 51 હજારનો દંડ,  સમાજ સુધારણા માટે નવું ફરમાન | Anjana Chaudhary Samaj meeting of 54  villages was held in Dhanera

સમૂહ લગ્ન અંગે પણ મિટિંગમાં કરાઈ ચર્ચા  

દાઢીના નિર્ણય ઉપરાંત અનેક સુધારણા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગ દરમિયાન અનેક વખત લાખોનો ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દીકરાનો જમણવાર પાટના દિવસે કરી દેવો. પાટના સમયે દિકરીને 1100થી વધારે રૂપિયા ન આપવા તેવી વાતને મંજૂર કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમીટેડ ફોડવા, લગ્નમાં ડી.જે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભોજન સમારોહમાં પૌષ્ટિક જમવાનું બનાવું સહિતના નિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. 


જમાવટની ટીમે કરી સમાજના અગ્રણી સાથે કરી વાત 

આ મિટિંગમાં લેવાયા અનેક નિર્ણય સામાન્ય રીતે સમજી શકાય તેવા હતા. પરંતુ ફેશનેબલ દાઢીની વ્યાખ્યા કેવી હોય તે અંગે સ્પષ્ટતા કરવા જમાવટની ટીમે સમાજના અગ્રણી સાથે વાત કરી હતી. જાણો સમાજના અગ્રણીએ આ મામલે શું કહ્યું...    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.