બનાસકાંઠામાં યોજાઈ આંજણા ચૌધરી સમાજની મિટિંગ, ફેશનેબલ દાઢી કોને કહેવાય તે જાણવા જમાવટની ટીમે કરી સમાજના અગ્રણી સાથે વાત, સાંભળો તેમણે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-04-03 17:24:54

દરેક સમાજ સમયાંતરે પોતાના સમાજમાં બદલાવ લાવવા અનેક નીતિ નિયમો લાવતા હોય છે. સમાજમાં ચાલતી કુપ્રથાઓ તેમજ રીતિ રિવાજોમાં ફેરફાર કરવા સમાજો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ધાનેરામાં આંજણા ચૌધરી સમાજની મિટીંગ મળી હતી. જેમાં સમાજમાં સુધારણા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં 23 જેટલા સુધારણા કરવામાં આવ્યા છે. પરંતુ એક સુધારો એવો છે જેને લઈ હાલ ચર્ચાઓ ચાલી રહી છે. સુધારણામાં યુવાનો દ્વારા રાખવામાં આવતી ફેશનેબલ દાઢીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કોઈ યુવક ફેશનેબલ દાઢી રાખશે તો તેને દંડ કરવામાં આવશે. 

ફેશનેબલ દાઢી રાખશો તો થશે 51 હજારનો દંડ 

કહેવાય છે સમય સાથે બદલાવું જરૂરી છે. એ પછી માણસ હોય કે સમાજ હોય. જો સમય સાથે બદલાવ કરવામાં નથી આવતો તો સમાજમાં અનેક કુપ્રથાઓ ઘર કરી જતી હોય છે. સમાજમાં રહેલી કુપ્રથાઓ તેમજ સામાજીક સુધારણા લાવવા સમાજોની બેઠક મળતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. જેમાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા હતા. બેઠકમાં 23 જેટલા સુધારા કરવામાં આવ્યા છે. યુવાનોમાં દાઢી રાખવાનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે દાઢીને લઈ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ યુવાનોએ ફેશનેબલ દાઢી રાખવી નહીં. જો ફેશનેબલ દાઢી રાખશો તો 51 હજાર સુધીનો દંડ ભરવો પડશે. 

હવેથી ગુજરાતમાં આ સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી રાખવા પર થશે 51 હજારનો દંડ,  સમાજ સુધારણા માટે નવું ફરમાન | Anjana Chaudhary Samaj meeting of 54  villages was held in Dhanera

સમૂહ લગ્ન અંગે પણ મિટિંગમાં કરાઈ ચર્ચા  

દાઢીના નિર્ણય ઉપરાંત અનેક સુધારણા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગ દરમિયાન અનેક વખત લાખોનો ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દીકરાનો જમણવાર પાટના દિવસે કરી દેવો. પાટના સમયે દિકરીને 1100થી વધારે રૂપિયા ન આપવા તેવી વાતને મંજૂર કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમીટેડ ફોડવા, લગ્નમાં ડી.જે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભોજન સમારોહમાં પૌષ્ટિક જમવાનું બનાવું સહિતના નિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. 


જમાવટની ટીમે કરી સમાજના અગ્રણી સાથે કરી વાત 

આ મિટિંગમાં લેવાયા અનેક નિર્ણય સામાન્ય રીતે સમજી શકાય તેવા હતા. પરંતુ ફેશનેબલ દાઢીની વ્યાખ્યા કેવી હોય તે અંગે સ્પષ્ટતા કરવા જમાવટની ટીમે સમાજના અગ્રણી સાથે વાત કરી હતી. જાણો સમાજના અગ્રણીએ આ મામલે શું કહ્યું...    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.