Ahmedabadમાં ફરી સર્જાયો અકસ્માત, BRTS કોરિડોરમાં વાહન ચલાવતો યુવક બન્યો અકસ્માતનો ભોગ, જાણો ક્યાં બની ઘટના


  • Published By :
  • Published Date : 2023-08-19 12:58:14

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે. અમદાવાદના ઈસ્કોન અકસ્માતને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના રખિયાલમાં બની છે. રખિયાલમાં બીઆરટીએસ રૂટ પર એક્ટિવા ચાલક વાહન ચલાવી રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસની અડફેટે વાહન ચાલક આવી ગયા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. 



બીઆરટીએસ બસ સાથે થઈ વાહનચાલકની ટક્કર 

રાજ્યમાં અકસ્માતોની અનેક ઘટનાઓ બની રહી છે. પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ સતત અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રખિયાલ નજીક સર્જાયો છે. બીઆરટીએસ કોરિડોરમાં પટેલ મિલ પાસે ટુ-વ્હીલર ચાલક બીઆરટીએસ બસની અડફેટે આવી ગયા છે. ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. 


સારવાર દરમિયાન યુવકનું થયું મોત 

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ચાંદખેડામાં મૃતક રહેતા હતા અને કામ અર્થે રખિયાલ જતા હતા. બપોરના સમયે રખિયાલ પટેલ મિલ બીઆરટીએસ કોરિડોરમાં યુવક ફૂલ સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતા. ફૂલ સ્પીડમાં જતા એક્ટિવા ચાલકની સામે બીઆરટીબસ આવી. સ્ટેરિંગ પર યુવક કંટ્રોલ કરી શક્યો નહીં અને બંને વચ્ચે ટક્કર થઈ ગઈ. મળતી માહિતી અનુસાર મૃતકનું નામ પાર્થ છે. અકસ્માતને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. પરંતુ આ અકસ્માતના બીજા પાસાની વાત કરીએ તો પાર્થને પણ દોષી મનાય કારણ કે તે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવતો હતો.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.