Ahmedabadમાં ફરી સર્જાયો અકસ્માત, BRTS કોરિડોરમાં વાહન ચલાવતો યુવક બન્યો અકસ્માતનો ભોગ, જાણો ક્યાં બની ઘટના


  • Published By :
  • Published Date : 2023-08-19 12:58:14

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે. અમદાવાદના ઈસ્કોન અકસ્માતને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના રખિયાલમાં બની છે. રખિયાલમાં બીઆરટીએસ રૂટ પર એક્ટિવા ચાલક વાહન ચલાવી રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસની અડફેટે વાહન ચાલક આવી ગયા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. 



બીઆરટીએસ બસ સાથે થઈ વાહનચાલકની ટક્કર 

રાજ્યમાં અકસ્માતોની અનેક ઘટનાઓ બની રહી છે. પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ સતત અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રખિયાલ નજીક સર્જાયો છે. બીઆરટીએસ કોરિડોરમાં પટેલ મિલ પાસે ટુ-વ્હીલર ચાલક બીઆરટીએસ બસની અડફેટે આવી ગયા છે. ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. 


સારવાર દરમિયાન યુવકનું થયું મોત 

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ચાંદખેડામાં મૃતક રહેતા હતા અને કામ અર્થે રખિયાલ જતા હતા. બપોરના સમયે રખિયાલ પટેલ મિલ બીઆરટીએસ કોરિડોરમાં યુવક ફૂલ સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતા. ફૂલ સ્પીડમાં જતા એક્ટિવા ચાલકની સામે બીઆરટીબસ આવી. સ્ટેરિંગ પર યુવક કંટ્રોલ કરી શક્યો નહીં અને બંને વચ્ચે ટક્કર થઈ ગઈ. મળતી માહિતી અનુસાર મૃતકનું નામ પાર્થ છે. અકસ્માતને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. પરંતુ આ અકસ્માતના બીજા પાસાની વાત કરીએ તો પાર્થને પણ દોષી મનાય કારણ કે તે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવતો હતો.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.