Ahmedabadમાં ફરી સર્જાયો અકસ્માત, BRTS કોરિડોરમાં વાહન ચલાવતો યુવક બન્યો અકસ્માતનો ભોગ, જાણો ક્યાં બની ઘટના


  • Published By :
  • Published Date : 2023-08-19 12:58:14

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે. અમદાવાદના ઈસ્કોન અકસ્માતને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના રખિયાલમાં બની છે. રખિયાલમાં બીઆરટીએસ રૂટ પર એક્ટિવા ચાલક વાહન ચલાવી રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસની અડફેટે વાહન ચાલક આવી ગયા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. 



બીઆરટીએસ બસ સાથે થઈ વાહનચાલકની ટક્કર 

રાજ્યમાં અકસ્માતોની અનેક ઘટનાઓ બની રહી છે. પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ સતત અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રખિયાલ નજીક સર્જાયો છે. બીઆરટીએસ કોરિડોરમાં પટેલ મિલ પાસે ટુ-વ્હીલર ચાલક બીઆરટીએસ બસની અડફેટે આવી ગયા છે. ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. 


સારવાર દરમિયાન યુવકનું થયું મોત 

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ચાંદખેડામાં મૃતક રહેતા હતા અને કામ અર્થે રખિયાલ જતા હતા. બપોરના સમયે રખિયાલ પટેલ મિલ બીઆરટીએસ કોરિડોરમાં યુવક ફૂલ સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતા. ફૂલ સ્પીડમાં જતા એક્ટિવા ચાલકની સામે બીઆરટીબસ આવી. સ્ટેરિંગ પર યુવક કંટ્રોલ કરી શક્યો નહીં અને બંને વચ્ચે ટક્કર થઈ ગઈ. મળતી માહિતી અનુસાર મૃતકનું નામ પાર્થ છે. અકસ્માતને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. પરંતુ આ અકસ્માતના બીજા પાસાની વાત કરીએ તો પાર્થને પણ દોષી મનાય કારણ કે તે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવતો હતો.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.