Ahmedabadમાં ફરી સર્જાયો અકસ્માત, છેલ્લા 24 કલાકમાં સર્જાયેલા અકસ્માતોમાં ગયા આટલા લોકોના જીવ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-06 11:18:32

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પાસે થયેલો અકસ્માત હજી ભૂલાયો નથી ત્યારે તો અમદાવાદમાં ફરીથી માત્ર 24 કલાકની અંદર અકસ્માતો સર્જાયા જેમાં 5 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અનેક વખત એટલા ગંભીર અકસ્માત સર્જાય છે કે જે અકસ્માતનો ભોગ બન્યા હોય તેમના માટે બચવું અશક્ય થઈ જતું હોય છે. અનેક કારણોસર અકસ્માત સર્જાતા હોય છે પરંતુ ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થયા છે.   



નાસ્તો કરીને ઘરે પરત ફરી રહેલા યુવાનોને નડ્યો અકસ્માત 

ત્યારે એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તાજેતરમાં જે અકસ્માત સર્જાયો છે તે હેબતુર બ્રિજથી પકવાન બ્રિજ જવાના  રસ્તા પર સર્જાયો છે. ઓવરસ્પીડમાં આવી રહેલી ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ, તે બાદ વીજપોલ સાથે અને અને છેલ્લે ગાડી પલટી ગઈ. ગાડીમાં 6 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બીજા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે કારચાલક સામે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક કોણ હતો તેની તપાસ પોલીસે આરંભી દીધી છે. મળતી માહિતી અનુસાર નવા વાડજમાં રહેતા મિત્રો રાત્રે દોઢેક વાગ્યે કર્ણાવતી ક્લબ નજીક આવેલા એક પાર્કમાં નાસ્તો કરવા આવ્યા હતા. સવારે ત્રણ વાગ્યે નાસ્તો કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાં અકસ્માત સર્જાયો. કારચાલક ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. 



અકસ્માતની અન્ય ઘટનાઓ આ વિસ્તારમાં બની 

મહત્વનું છે છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. બીજી ઘટનામાં ઘાટલોડિયામાં રહેતા પતિ પત્ની અકસ્માતનો ભોગ બન્યા હતા. ક્રોમા સેન્ટર પાસે બાઈક મૂકી બીઆરટીએસ બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે પાયલ કુંવરને ટક્કર મારી હતી અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું, તો બીજો એક અકસ્માત સોમવાર સવારે જ નિપજ્યો હતો જેમાં નોકરીએ જઈ રહેલા અંકિતભાઈ અકસ્માતનો ભોગ બન્યા છે. બાઈક લઈને ઓવર બ્રિજ પર  જઈ રહ્યા હતા જ્યાં લક્ઝરી બસે બાઈકને ટક્કર મારી જેને કારણે તેઓ નીચે પટકાયા. નીચે પટકાવાને કારણે બસનું ટાયર તેમના પર ફરી વળ્યું  અને પ્રાણ પંખેરૂ ઉડી ગયું. ઘટનાસ્થળ જ તેમનું મોત થઈ ગયું. આ તો એ આંકડો જેની ખબર પડી છે. 


પૂર ઝડપે આવતી ગાડીઓ અનેક વખત બને છે અકસ્માતનું કારણ

મહત્વનું છે કે અકસ્માતના જેટલા પણ કેસો બને છે તેમાં મુખ્યત્વે ઓવરસ્પીડિંગ જ કારણ હોય છે. ગાડીને પૂર ઝડપે પહેલા કાર ચાલક દોડાવે પરંતુ જ્યારે અચાનક બ્રેક લગાવાની આવે ત્યારે ગાડી પરથી કંટ્રોલ જતો રહે અને અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ વધતી હોય છે. ઓવરસ્પીડિંગને કારણે અને નશામાં ડ્રાઈવ કરવાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ થોડા સમય પહેલા આપણે જોયું. ગાડી ચલાવતી વખતે આપણી મજા કોઈના માટે સજા ન બની જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.