Ahmedabadમાં ફરી સર્જાયો અકસ્માત, છેલ્લા 24 કલાકમાં સર્જાયેલા અકસ્માતોમાં ગયા આટલા લોકોના જીવ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-06 11:18:32

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પાસે થયેલો અકસ્માત હજી ભૂલાયો નથી ત્યારે તો અમદાવાદમાં ફરીથી માત્ર 24 કલાકની અંદર અકસ્માતો સર્જાયા જેમાં 5 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અનેક વખત એટલા ગંભીર અકસ્માત સર્જાય છે કે જે અકસ્માતનો ભોગ બન્યા હોય તેમના માટે બચવું અશક્ય થઈ જતું હોય છે. અનેક કારણોસર અકસ્માત સર્જાતા હોય છે પરંતુ ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થયા છે.   



નાસ્તો કરીને ઘરે પરત ફરી રહેલા યુવાનોને નડ્યો અકસ્માત 

ત્યારે એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તાજેતરમાં જે અકસ્માત સર્જાયો છે તે હેબતુર બ્રિજથી પકવાન બ્રિજ જવાના  રસ્તા પર સર્જાયો છે. ઓવરસ્પીડમાં આવી રહેલી ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ, તે બાદ વીજપોલ સાથે અને અને છેલ્લે ગાડી પલટી ગઈ. ગાડીમાં 6 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બીજા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે કારચાલક સામે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક કોણ હતો તેની તપાસ પોલીસે આરંભી દીધી છે. મળતી માહિતી અનુસાર નવા વાડજમાં રહેતા મિત્રો રાત્રે દોઢેક વાગ્યે કર્ણાવતી ક્લબ નજીક આવેલા એક પાર્કમાં નાસ્તો કરવા આવ્યા હતા. સવારે ત્રણ વાગ્યે નાસ્તો કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાં અકસ્માત સર્જાયો. કારચાલક ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. 



અકસ્માતની અન્ય ઘટનાઓ આ વિસ્તારમાં બની 

મહત્વનું છે છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. બીજી ઘટનામાં ઘાટલોડિયામાં રહેતા પતિ પત્ની અકસ્માતનો ભોગ બન્યા હતા. ક્રોમા સેન્ટર પાસે બાઈક મૂકી બીઆરટીએસ બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે પાયલ કુંવરને ટક્કર મારી હતી અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું, તો બીજો એક અકસ્માત સોમવાર સવારે જ નિપજ્યો હતો જેમાં નોકરીએ જઈ રહેલા અંકિતભાઈ અકસ્માતનો ભોગ બન્યા છે. બાઈક લઈને ઓવર બ્રિજ પર  જઈ રહ્યા હતા જ્યાં લક્ઝરી બસે બાઈકને ટક્કર મારી જેને કારણે તેઓ નીચે પટકાયા. નીચે પટકાવાને કારણે બસનું ટાયર તેમના પર ફરી વળ્યું  અને પ્રાણ પંખેરૂ ઉડી ગયું. ઘટનાસ્થળ જ તેમનું મોત થઈ ગયું. આ તો એ આંકડો જેની ખબર પડી છે. 


પૂર ઝડપે આવતી ગાડીઓ અનેક વખત બને છે અકસ્માતનું કારણ

મહત્વનું છે કે અકસ્માતના જેટલા પણ કેસો બને છે તેમાં મુખ્યત્વે ઓવરસ્પીડિંગ જ કારણ હોય છે. ગાડીને પૂર ઝડપે પહેલા કાર ચાલક દોડાવે પરંતુ જ્યારે અચાનક બ્રેક લગાવાની આવે ત્યારે ગાડી પરથી કંટ્રોલ જતો રહે અને અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ વધતી હોય છે. ઓવરસ્પીડિંગને કારણે અને નશામાં ડ્રાઈવ કરવાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ થોડા સમય પહેલા આપણે જોયું. ગાડી ચલાવતી વખતે આપણી મજા કોઈના માટે સજા ન બની જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.