દિલ્લીમાં સ્કૂલની વિદ્યાર્થિની પર ફેંક્યું એસિડ, મહિલા આયોગ લાલઘુમ


  • Published By :
  • Published Date : 2022-12-14 15:00:31

દિલ્લીના દ્વારકા મોડ વિસ્તારમાં આજે સવારે સાડા સાત વાગ્યા નજીક 17 વર્ષની છોકરી પર એસિડ ફેંકવાનો બનાવ સામે આવ્યો છે. બાઈક પર બે યુવાનો આવે છે અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી ત્યારે તેના પર એસિડ ફેંક્યું હતું. હાલ વિદ્યાર્થિની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને તેની સારવાર કરાઈ રહી છે. 


દિલ્લી પોલીસે એસિડ ફેંકનારની કરી અટકાયત

દિલ્લીના મોહન ગાર્ડન વિસ્તારમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પોતાની બહેન સાથે સ્કૂલ જઈ રહી હતી ત્યારે બે લોકોએ તેના પર એસિડ એટેક કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેમણે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસને સવારે 9 કલાકે ખબર પડી હતી કે છોકરી પર એસિડ એટેક થયો છે. 


અમે વર્ષોથી લડીએ છીએ પણ સરકાર ગંભીર નથીઃ મહિલા આયોગ

સમગ્ર મામલે દિલ્લી મહિલા આયોગના પ્રમુખ સ્વાતી માલીવાલાએ નિવેદન આપ્યું હતું કે પીડિત દિકરીની મદદ માટે મહિલા આયોગની ટીમ સફદરજંગ પહોંચી છે. સ્વાતી માલીવાલાએ આશ્વાસન આપ્યું હતું કે પીડિત દિકરીને જરૂરથી ન્યાય મળશે. તેમણે જણાવ્યું હતું કે એસિડ એટેક માટે મહિલા આયોગ ઘણા સમયથી લડતું આવ્યું છે પણ સરકાર ગંભીરતાથી પગલા નથી લઈ રહ્યું. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.