દિલ્લીમાં સ્કૂલની વિદ્યાર્થિની પર ફેંક્યું એસિડ, મહિલા આયોગ લાલઘુમ


  • Published By :
  • Published Date : 2022-12-14 15:00:31

દિલ્લીના દ્વારકા મોડ વિસ્તારમાં આજે સવારે સાડા સાત વાગ્યા નજીક 17 વર્ષની છોકરી પર એસિડ ફેંકવાનો બનાવ સામે આવ્યો છે. બાઈક પર બે યુવાનો આવે છે અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી ત્યારે તેના પર એસિડ ફેંક્યું હતું. હાલ વિદ્યાર્થિની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને તેની સારવાર કરાઈ રહી છે. 


દિલ્લી પોલીસે એસિડ ફેંકનારની કરી અટકાયત

દિલ્લીના મોહન ગાર્ડન વિસ્તારમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પોતાની બહેન સાથે સ્કૂલ જઈ રહી હતી ત્યારે બે લોકોએ તેના પર એસિડ એટેક કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેમણે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસને સવારે 9 કલાકે ખબર પડી હતી કે છોકરી પર એસિડ એટેક થયો છે. 


અમે વર્ષોથી લડીએ છીએ પણ સરકાર ગંભીર નથીઃ મહિલા આયોગ

સમગ્ર મામલે દિલ્લી મહિલા આયોગના પ્રમુખ સ્વાતી માલીવાલાએ નિવેદન આપ્યું હતું કે પીડિત દિકરીની મદદ માટે મહિલા આયોગની ટીમ સફદરજંગ પહોંચી છે. સ્વાતી માલીવાલાએ આશ્વાસન આપ્યું હતું કે પીડિત દિકરીને જરૂરથી ન્યાય મળશે. તેમણે જણાવ્યું હતું કે એસિડ એટેક માટે મહિલા આયોગ ઘણા સમયથી લડતું આવ્યું છે પણ સરકાર ગંભીરતાથી પગલા નથી લઈ રહ્યું. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.