દિલ્લીમાં સ્કૂલની વિદ્યાર્થિની પર ફેંક્યું એસિડ, મહિલા આયોગ લાલઘુમ


  • Published By :
  • Published Date : 2022-12-14 15:00:31

દિલ્લીના દ્વારકા મોડ વિસ્તારમાં આજે સવારે સાડા સાત વાગ્યા નજીક 17 વર્ષની છોકરી પર એસિડ ફેંકવાનો બનાવ સામે આવ્યો છે. બાઈક પર બે યુવાનો આવે છે અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી ત્યારે તેના પર એસિડ ફેંક્યું હતું. હાલ વિદ્યાર્થિની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને તેની સારવાર કરાઈ રહી છે. 


દિલ્લી પોલીસે એસિડ ફેંકનારની કરી અટકાયત

દિલ્લીના મોહન ગાર્ડન વિસ્તારમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પોતાની બહેન સાથે સ્કૂલ જઈ રહી હતી ત્યારે બે લોકોએ તેના પર એસિડ એટેક કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેમણે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસને સવારે 9 કલાકે ખબર પડી હતી કે છોકરી પર એસિડ એટેક થયો છે. 


અમે વર્ષોથી લડીએ છીએ પણ સરકાર ગંભીર નથીઃ મહિલા આયોગ

સમગ્ર મામલે દિલ્લી મહિલા આયોગના પ્રમુખ સ્વાતી માલીવાલાએ નિવેદન આપ્યું હતું કે પીડિત દિકરીની મદદ માટે મહિલા આયોગની ટીમ સફદરજંગ પહોંચી છે. સ્વાતી માલીવાલાએ આશ્વાસન આપ્યું હતું કે પીડિત દિકરીને જરૂરથી ન્યાય મળશે. તેમણે જણાવ્યું હતું કે એસિડ એટેક માટે મહિલા આયોગ ઘણા સમયથી લડતું આવ્યું છે પણ સરકાર ગંભીરતાથી પગલા નથી લઈ રહ્યું. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.