ગોલ્ડન ટેમ્પલ નજીક ફરી એક વખત થયો બ્લાસ્ટ, પાંચ દિવસમાં ત્રીજી વખત બની બ્લાસ્ટની ઘટના!


  • Published By :
  • Published Date : 2023-05-11 08:50:40

પંજાબના અમૃતસરમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ગોલ્ડન ટેમ્પલ નજીક થયો છે. છેલ્લા પાંચ દિવસમાં બ્લાસ્ટ થવાની આ ત્રીજી ઘટના છે. બુધવાર મોડી રાત્રે ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થતાં સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ મંદિરના લંગર હોલ નજીક રાત્રે 12.10 વાગ્યાની આસપાસ થયો હતો. ધમાકાનો અવાજ સંભળાતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ ત્યાં તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આની પહેલા શનિવારે તેમજ સોમવારે પણ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.  

ધમાકા અંગે પોલીસ ભેગા કરી રહી છે પુરાવા!

ગોલ્ડન ટેમ્પલ નજીક ફરી એક વખત બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આની પહેલા 6 મેના રોજ તેમજ 8 મેના રોજ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ત્યારે ફરી એક વખત ગઈકાલે મોડી રાત્રે અંદાજીત 12-12.30 વાગ્યાની આસપાસ ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. બ્લાસ્ટ અંગેની માહિતી મળતા પોલીસ અને ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ધમાકામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવી માહિતી સામે આવી નથી. આ બ્લાસ્ટ અંગે પોલીસે કહ્યું કે અશાંતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે શંકાસ્પદ લાગતા પાંચ જેટલા લોકોને પકડી પાડ્યા છે. જ્યાં બ્લાસ્ટ થયો તે વિસ્તારને સિલ કરવામાં આવ્યો છે. ધમાકા અંગેના પુરાવા એકત્રિત કરવામાં પોલીસ લાગી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.