ગોલ્ડન ટેમ્પલ નજીક ફરી એક વખત થયો બ્લાસ્ટ, પાંચ દિવસમાં ત્રીજી વખત બની બ્લાસ્ટની ઘટના!


  • Published By :
  • Published Date : 2023-05-11 08:50:40

પંજાબના અમૃતસરમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ગોલ્ડન ટેમ્પલ નજીક થયો છે. છેલ્લા પાંચ દિવસમાં બ્લાસ્ટ થવાની આ ત્રીજી ઘટના છે. બુધવાર મોડી રાત્રે ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થતાં સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ મંદિરના લંગર હોલ નજીક રાત્રે 12.10 વાગ્યાની આસપાસ થયો હતો. ધમાકાનો અવાજ સંભળાતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ ત્યાં તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આની પહેલા શનિવારે તેમજ સોમવારે પણ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.  

ધમાકા અંગે પોલીસ ભેગા કરી રહી છે પુરાવા!

ગોલ્ડન ટેમ્પલ નજીક ફરી એક વખત બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આની પહેલા 6 મેના રોજ તેમજ 8 મેના રોજ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ત્યારે ફરી એક વખત ગઈકાલે મોડી રાત્રે અંદાજીત 12-12.30 વાગ્યાની આસપાસ ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. બ્લાસ્ટ અંગેની માહિતી મળતા પોલીસ અને ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ધમાકામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવી માહિતી સામે આવી નથી. આ બ્લાસ્ટ અંગે પોલીસે કહ્યું કે અશાંતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે શંકાસ્પદ લાગતા પાંચ જેટલા લોકોને પકડી પાડ્યા છે. જ્યાં બ્લાસ્ટ થયો તે વિસ્તારને સિલ કરવામાં આવ્યો છે. ધમાકા અંગેના પુરાવા એકત્રિત કરવામાં પોલીસ લાગી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.