ગોલ્ડન ટેમ્પલ નજીક ફરી એક વખત થયો બ્લાસ્ટ, પાંચ દિવસમાં ત્રીજી વખત બની બ્લાસ્ટની ઘટના!


  • Published By :
  • Published Date : 2023-05-11 08:50:40

પંજાબના અમૃતસરમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ગોલ્ડન ટેમ્પલ નજીક થયો છે. છેલ્લા પાંચ દિવસમાં બ્લાસ્ટ થવાની આ ત્રીજી ઘટના છે. બુધવાર મોડી રાત્રે ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થતાં સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ મંદિરના લંગર હોલ નજીક રાત્રે 12.10 વાગ્યાની આસપાસ થયો હતો. ધમાકાનો અવાજ સંભળાતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ ત્યાં તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આની પહેલા શનિવારે તેમજ સોમવારે પણ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.  

ધમાકા અંગે પોલીસ ભેગા કરી રહી છે પુરાવા!

ગોલ્ડન ટેમ્પલ નજીક ફરી એક વખત બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આની પહેલા 6 મેના રોજ તેમજ 8 મેના રોજ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ત્યારે ફરી એક વખત ગઈકાલે મોડી રાત્રે અંદાજીત 12-12.30 વાગ્યાની આસપાસ ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. બ્લાસ્ટ અંગેની માહિતી મળતા પોલીસ અને ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ધમાકામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવી માહિતી સામે આવી નથી. આ બ્લાસ્ટ અંગે પોલીસે કહ્યું કે અશાંતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે શંકાસ્પદ લાગતા પાંચ જેટલા લોકોને પકડી પાડ્યા છે. જ્યાં બ્લાસ્ટ થયો તે વિસ્તારને સિલ કરવામાં આવ્યો છે. ધમાકા અંગેના પુરાવા એકત્રિત કરવામાં પોલીસ લાગી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.