મોંઘવારીનો વધુ એક ફટકો,સતત બીજા દિવસે વધ્યા સિંગતેલના ભાવ, જાણો કેટલાનો કરાયો ભાવ વધારો


  • Published By :
  • Published Date : 2023-02-15 13:01:14

સિંગતેલના ભાવમાં આજે ફરી એક વખત વધારો થયો છે. છેલ્લા બે દિવસથી તેલના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. ગઈકાલે પણ તેલના ભાવમાં વધારો થયો ત્યારે આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો સિંગતેલમાં કરવામાં આવ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો થયો છે. જે 15 કિલ્લોના તેલનો ડબ્બો થોડા સમય પહેલા 2800ની આસપાસ મળતો હતો તે હવે 2900ની આસપાસ મળતો થઈ ગયો છે. ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 


બીજા દિવસે પણ સિંગતેલના ભાવમાં થયો વધારો 

મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સતત થતા ભાવ વધારાને કારણે ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધની કિંમતમાં વધારો થાય છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતા મધ્ચમ વર્ગીય પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગઈ કાલે સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો હતો તો આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.  


મગફળીની બમ્પર આવક છતાં વધતા તેલના ભાવ 

મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. બે દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો થયો છે. આ વર્ષે મગફળીની બમ્પર આવક થઈ છે. પરંતુ તેમ છતાંય સતત બે દિવસથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.