મોંઘવારીનો વધુ એક ફટકો,સતત બીજા દિવસે વધ્યા સિંગતેલના ભાવ, જાણો કેટલાનો કરાયો ભાવ વધારો


  • Published By :
  • Published Date : 2023-02-15 13:01:14

સિંગતેલના ભાવમાં આજે ફરી એક વખત વધારો થયો છે. છેલ્લા બે દિવસથી તેલના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. ગઈકાલે પણ તેલના ભાવમાં વધારો થયો ત્યારે આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો સિંગતેલમાં કરવામાં આવ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો થયો છે. જે 15 કિલ્લોના તેલનો ડબ્બો થોડા સમય પહેલા 2800ની આસપાસ મળતો હતો તે હવે 2900ની આસપાસ મળતો થઈ ગયો છે. ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 


બીજા દિવસે પણ સિંગતેલના ભાવમાં થયો વધારો 

મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સતત થતા ભાવ વધારાને કારણે ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધની કિંમતમાં વધારો થાય છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતા મધ્ચમ વર્ગીય પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગઈ કાલે સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો હતો તો આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.  


મગફળીની બમ્પર આવક છતાં વધતા તેલના ભાવ 

મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. બે દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો થયો છે. આ વર્ષે મગફળીની બમ્પર આવક થઈ છે. પરંતુ તેમ છતાંય સતત બે દિવસથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.