મોંઘવારીનો વધુ એક ફટકો,સતત બીજા દિવસે વધ્યા સિંગતેલના ભાવ, જાણો કેટલાનો કરાયો ભાવ વધારો


  • Published By :
  • Published Date : 2023-02-15 13:01:14

સિંગતેલના ભાવમાં આજે ફરી એક વખત વધારો થયો છે. છેલ્લા બે દિવસથી તેલના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. ગઈકાલે પણ તેલના ભાવમાં વધારો થયો ત્યારે આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો સિંગતેલમાં કરવામાં આવ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો થયો છે. જે 15 કિલ્લોના તેલનો ડબ્બો થોડા સમય પહેલા 2800ની આસપાસ મળતો હતો તે હવે 2900ની આસપાસ મળતો થઈ ગયો છે. ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 


બીજા દિવસે પણ સિંગતેલના ભાવમાં થયો વધારો 

મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સતત થતા ભાવ વધારાને કારણે ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધની કિંમતમાં વધારો થાય છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતા મધ્ચમ વર્ગીય પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગઈ કાલે સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો હતો તો આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.  


મગફળીની બમ્પર આવક છતાં વધતા તેલના ભાવ 

મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. બે દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો થયો છે. આ વર્ષે મગફળીની બમ્પર આવક થઈ છે. પરંતુ તેમ છતાંય સતત બે દિવસથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.