ગુજરાતમાં વધુ એક રાષ્ટ્રીય નેતા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ! રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ બાદ તેજસ્વી યાદવ સામે કરાયો કેસ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-27 09:22:19

થોડા સમય પહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે વધુ એક નેતા વિરૂદ્ધ માનહાનિનો કેસ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે મેટ્રો કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુાસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ તેજસ્વી યાદવ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાના નિવેદનમાં તેજસ્વી યાદવે ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. આ ઠગવાળા કરાયેલા નિવેદન બદલ ફરિયાદ કરવામાં આવી છે. 


ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ કર્યો છે કેસ! 

ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ કરવામાં આવી હતી. આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે મેટ્રો કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ સામે માનહાનિનો કેસ કર્યો હતો. 


ઠગવાળા નિવેદનને લઈ તેજસ્વી યાદવ સામે દાખલ કરાઈ ફરિયાદ!

આ કેસ હજી શાંત નથી પડ્યા ત્યારે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ મેટ્રો કોર્ટમાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી છે. ગુજરાત અને ગુજરાતીઓને તેજસ્વી યાદવે ઠગ કહ્યા હતા. આ ઠગવાળા નિવેદનને લઈ ફરિયાદ નોંધવામાં  આવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ, ધૂર્ત સહિતના અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યા છે.  22 માર્ચ 2023ના રોજ તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું. આ મામલે પહેલી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.                



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.