ગુજરાતમાં વધુ એક રાષ્ટ્રીય નેતા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ! રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ બાદ તેજસ્વી યાદવ સામે કરાયો કેસ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-27 09:22:19

થોડા સમય પહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે વધુ એક નેતા વિરૂદ્ધ માનહાનિનો કેસ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે મેટ્રો કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુાસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ તેજસ્વી યાદવ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાના નિવેદનમાં તેજસ્વી યાદવે ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. આ ઠગવાળા કરાયેલા નિવેદન બદલ ફરિયાદ કરવામાં આવી છે. 


ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ કર્યો છે કેસ! 

ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ કરવામાં આવી હતી. આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે મેટ્રો કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ સામે માનહાનિનો કેસ કર્યો હતો. 


ઠગવાળા નિવેદનને લઈ તેજસ્વી યાદવ સામે દાખલ કરાઈ ફરિયાદ!

આ કેસ હજી શાંત નથી પડ્યા ત્યારે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ મેટ્રો કોર્ટમાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી છે. ગુજરાત અને ગુજરાતીઓને તેજસ્વી યાદવે ઠગ કહ્યા હતા. આ ઠગવાળા નિવેદનને લઈ ફરિયાદ નોંધવામાં  આવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ, ધૂર્ત સહિતના અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યા છે.  22 માર્ચ 2023ના રોજ તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું. આ મામલે પહેલી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.                



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.