ગુજરાતમાં વધુ એક રાષ્ટ્રીય નેતા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ! રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ બાદ તેજસ્વી યાદવ સામે કરાયો કેસ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-27 09:22:19

થોડા સમય પહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે વધુ એક નેતા વિરૂદ્ધ માનહાનિનો કેસ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે મેટ્રો કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુાસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ તેજસ્વી યાદવ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાના નિવેદનમાં તેજસ્વી યાદવે ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. આ ઠગવાળા કરાયેલા નિવેદન બદલ ફરિયાદ કરવામાં આવી છે. 


ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ કર્યો છે કેસ! 

ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ કરવામાં આવી હતી. આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે મેટ્રો કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ સામે માનહાનિનો કેસ કર્યો હતો. 


ઠગવાળા નિવેદનને લઈ તેજસ્વી યાદવ સામે દાખલ કરાઈ ફરિયાદ!

આ કેસ હજી શાંત નથી પડ્યા ત્યારે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ મેટ્રો કોર્ટમાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી છે. ગુજરાત અને ગુજરાતીઓને તેજસ્વી યાદવે ઠગ કહ્યા હતા. આ ઠગવાળા નિવેદનને લઈ ફરિયાદ નોંધવામાં  આવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ, ધૂર્ત સહિતના અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યા છે.  22 માર્ચ 2023ના રોજ તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું. આ મામલે પહેલી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.                



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.