કોંગ્રેસના વધુ એક નેતાએ ઉઠાવ્યા ભાજપની ગૌરવ યાત્રા પર સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:58:33

ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કાઢી રહ્યા છે. વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. ત્યારે આ યાત્રાનો અનેક જગ્યા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ અનેક વખત ગુજરાત ગૌરવ યાત્રા પર પ્રહાર કરતી રહી છે. વડગામ ખાતે આવેલી ગૌરવ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેની નોંધ કોંગ્રેસ પાર્ટીએ લીધી હતી. જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરતા લખ્યું કે અરબુદા સેનાએ ભાજપ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સંદેશો સાફ છે કે ગુજરાતમાં સત્તા પરિવર્તન નક્કી છે.

 

જીગ્નેશ મેવાણીએ કર્યા ગૈરવ યાત્રા પર પ્રહાર 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં વડગામ ખાતે ગૌરવ યાત્રા નીકળી હતી. ગૌરવ યાત્રા દરમિયાન અર્બુદા સેના દ્વારા કરવામાં આવેલા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિપુલ ચૌધરીને રિહા કરવાની માગ કરી હતી. આવા વિરોધનો સામનો અનેક સ્થળો પર ગૌરવ યાત્રાને કરવો પડ્યો છે. કોંગ્રેસ અનેક વખત ગૌરવ યાત્રા પર આકરા પ્રહાર કરતું રહ્યું છે. જીગ્નેશ મેવાણીએ પણ આ યાત્રા પર કટાક્ષ કર્યો હતો.

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.