કોંગ્રેસના વધુ એક નેતાએ ઉઠાવ્યા ભાજપની ગૌરવ યાત્રા પર સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:58:33

ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કાઢી રહ્યા છે. વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. ત્યારે આ યાત્રાનો અનેક જગ્યા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ અનેક વખત ગુજરાત ગૌરવ યાત્રા પર પ્રહાર કરતી રહી છે. વડગામ ખાતે આવેલી ગૌરવ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેની નોંધ કોંગ્રેસ પાર્ટીએ લીધી હતી. જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરતા લખ્યું કે અરબુદા સેનાએ ભાજપ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સંદેશો સાફ છે કે ગુજરાતમાં સત્તા પરિવર્તન નક્કી છે.

 

જીગ્નેશ મેવાણીએ કર્યા ગૈરવ યાત્રા પર પ્રહાર 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં વડગામ ખાતે ગૌરવ યાત્રા નીકળી હતી. ગૌરવ યાત્રા દરમિયાન અર્બુદા સેના દ્વારા કરવામાં આવેલા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિપુલ ચૌધરીને રિહા કરવાની માગ કરી હતી. આવા વિરોધનો સામનો અનેક સ્થળો પર ગૌરવ યાત્રાને કરવો પડ્યો છે. કોંગ્રેસ અનેક વખત ગૌરવ યાત્રા પર આકરા પ્રહાર કરતું રહ્યું છે. જીગ્નેશ મેવાણીએ પણ આ યાત્રા પર કટાક્ષ કર્યો હતો.

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.