કોંગ્રેસના વધુ એક નેતાએ ઉઠાવ્યા ભાજપની ગૌરવ યાત્રા પર સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:58:33

ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કાઢી રહ્યા છે. વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. ત્યારે આ યાત્રાનો અનેક જગ્યા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ અનેક વખત ગુજરાત ગૌરવ યાત્રા પર પ્રહાર કરતી રહી છે. વડગામ ખાતે આવેલી ગૌરવ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેની નોંધ કોંગ્રેસ પાર્ટીએ લીધી હતી. જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરતા લખ્યું કે અરબુદા સેનાએ ભાજપ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સંદેશો સાફ છે કે ગુજરાતમાં સત્તા પરિવર્તન નક્કી છે.

 

જીગ્નેશ મેવાણીએ કર્યા ગૈરવ યાત્રા પર પ્રહાર 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં વડગામ ખાતે ગૌરવ યાત્રા નીકળી હતી. ગૌરવ યાત્રા દરમિયાન અર્બુદા સેના દ્વારા કરવામાં આવેલા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિપુલ ચૌધરીને રિહા કરવાની માગ કરી હતી. આવા વિરોધનો સામનો અનેક સ્થળો પર ગૌરવ યાત્રાને કરવો પડ્યો છે. કોંગ્રેસ અનેક વખત ગૌરવ યાત્રા પર આકરા પ્રહાર કરતું રહ્યું છે. જીગ્નેશ મેવાણીએ પણ આ યાત્રા પર કટાક્ષ કર્યો હતો.

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.