કોંગ્રેસના વધુ એક નેતાએ ઉઠાવ્યા ભાજપની ગૌરવ યાત્રા પર સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:58:33

ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કાઢી રહ્યા છે. વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. ત્યારે આ યાત્રાનો અનેક જગ્યા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ અનેક વખત ગુજરાત ગૌરવ યાત્રા પર પ્રહાર કરતી રહી છે. વડગામ ખાતે આવેલી ગૌરવ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેની નોંધ કોંગ્રેસ પાર્ટીએ લીધી હતી. જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરતા લખ્યું કે અરબુદા સેનાએ ભાજપ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સંદેશો સાફ છે કે ગુજરાતમાં સત્તા પરિવર્તન નક્કી છે.

 

જીગ્નેશ મેવાણીએ કર્યા ગૈરવ યાત્રા પર પ્રહાર 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં વડગામ ખાતે ગૌરવ યાત્રા નીકળી હતી. ગૌરવ યાત્રા દરમિયાન અર્બુદા સેના દ્વારા કરવામાં આવેલા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિપુલ ચૌધરીને રિહા કરવાની માગ કરી હતી. આવા વિરોધનો સામનો અનેક સ્થળો પર ગૌરવ યાત્રાને કરવો પડ્યો છે. કોંગ્રેસ અનેક વખત ગૌરવ યાત્રા પર આકરા પ્રહાર કરતું રહ્યું છે. જીગ્નેશ મેવાણીએ પણ આ યાત્રા પર કટાક્ષ કર્યો હતો.

 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"