દિલ્હીમાં વધુ એક યુવતી પર થયો હુમલો, મિત્રતા તોડતા આરોપીએ યુવતી પર છરીના ઘા ઝીંક્યા


  • Published By :
  • Published Date : 2023-01-04 13:10:49

દિલ્હીમાં ફરી એક છોકરી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. એક તરફ જ્યાં અંજલી સાથે બનેલી ઘટના અંગે ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ વધુ એક છોકરી પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના આદર્શ નગરમાં મિત્રતા તોડવા પર યુવકે યુવતી પર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના  સીસીટીવીમાં કેદ થઈ છે. ગંભીર ઈજાઓ પહોંચતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દીધી હતી.

  

છરીના ઘા ઝીંકી આરોપી ફરાર થયો 

દિલ્હી ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. અંજલીના કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધુ એક છોકરી પર છરી દ્વારા હુમલો થવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આદર્શ નગર વિસ્તારમાં બની છે. સોમવારે બ્રેકઅપથી નારાજ થઈ યુવકે તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપી દ્વારા કરવામાં આવેલા હુમલામાં યુવતીને પેટ, ગરદન અને હાથ પર ઈજા પહોંચી હતી. આરોપીને લાગ્ચું કે યુવતી મૃત્યુ પામી છે જેથી તે ત્યાંથી નાસી છૂટ્યો. 


યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ  

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર યુવતી પરિવાર સાથે પાર્ક એક્સટેન્શન વિસ્તારમાં રહે છે. યુવતીની આરોપી સાથે અંદાજે 5 વર્ષથી મિત્રતા હતી. પરંતુ પરિવારને આરોપી સાથેની મિત્રતા ગમતી ન હતી. જેને કારણે યુવતીને મિત્રતા તોડવા કહ્યું. જેને કારણે યુવતીએ તેની સાથે મિત્રતા ઓછી કરી દીધી. યુવતીએ જણાવ્યું કે સોમવારે જ્યારે તે ડ્રાઈવીંગ શિખવા માટે ઘરેથી નીકળી તે દરિમયાન વાત કરવાના બહાને આરોપીએ તેને મળવા બોલાવી. અને મિત્રતા તોડવાનું કારણ પૂછ્યું. તે બાદ આરોપીએ યુવતીને છપ્પાના ઘા ઝીંકી ઘાયલ કરી દીધી.  આરોપીને લાગ્યું કે યુવતી મરી ગઈ છે એટલે તે ત્યાંથી નાસી ગયો. પરંતુ આસપાસના લોકોએ યુવતીને હોસ્પિટલ ખસેડી અને હાલ ડોક્ટરની દેખરેખમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.


પોલીસે આરોપીની ધરપકડ કરી 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આરોપીને લાગ્યું કે યુવતી મૃત્યુ પામી છે. જેને લઈ તે ત્યાંથી ફરાર થઈ ગયો. પરંતુ યુવતી તે સમયે જીવતી હતી. સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અને હાલ તેની સારવાર ચાલી રહી છે.  આ ઘટનાની જાણ થતા પોલીસને થતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી દીધી છે. પોલીસે અંબાલા પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.