દિલ્હીમાં વધુ એક યુવતી પર થયો હુમલો, મિત્રતા તોડતા આરોપીએ યુવતી પર છરીના ઘા ઝીંક્યા


  • Published By :
  • Published Date : 2023-01-04 13:10:49

દિલ્હીમાં ફરી એક છોકરી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. એક તરફ જ્યાં અંજલી સાથે બનેલી ઘટના અંગે ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ વધુ એક છોકરી પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના આદર્શ નગરમાં મિત્રતા તોડવા પર યુવકે યુવતી પર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના  સીસીટીવીમાં કેદ થઈ છે. ગંભીર ઈજાઓ પહોંચતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દીધી હતી.

  

છરીના ઘા ઝીંકી આરોપી ફરાર થયો 

દિલ્હી ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. અંજલીના કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધુ એક છોકરી પર છરી દ્વારા હુમલો થવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આદર્શ નગર વિસ્તારમાં બની છે. સોમવારે બ્રેકઅપથી નારાજ થઈ યુવકે તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપી દ્વારા કરવામાં આવેલા હુમલામાં યુવતીને પેટ, ગરદન અને હાથ પર ઈજા પહોંચી હતી. આરોપીને લાગ્ચું કે યુવતી મૃત્યુ પામી છે જેથી તે ત્યાંથી નાસી છૂટ્યો. 


યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ  

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર યુવતી પરિવાર સાથે પાર્ક એક્સટેન્શન વિસ્તારમાં રહે છે. યુવતીની આરોપી સાથે અંદાજે 5 વર્ષથી મિત્રતા હતી. પરંતુ પરિવારને આરોપી સાથેની મિત્રતા ગમતી ન હતી. જેને કારણે યુવતીને મિત્રતા તોડવા કહ્યું. જેને કારણે યુવતીએ તેની સાથે મિત્રતા ઓછી કરી દીધી. યુવતીએ જણાવ્યું કે સોમવારે જ્યારે તે ડ્રાઈવીંગ શિખવા માટે ઘરેથી નીકળી તે દરિમયાન વાત કરવાના બહાને આરોપીએ તેને મળવા બોલાવી. અને મિત્રતા તોડવાનું કારણ પૂછ્યું. તે બાદ આરોપીએ યુવતીને છપ્પાના ઘા ઝીંકી ઘાયલ કરી દીધી.  આરોપીને લાગ્યું કે યુવતી મરી ગઈ છે એટલે તે ત્યાંથી નાસી ગયો. પરંતુ આસપાસના લોકોએ યુવતીને હોસ્પિટલ ખસેડી અને હાલ ડોક્ટરની દેખરેખમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.


પોલીસે આરોપીની ધરપકડ કરી 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આરોપીને લાગ્યું કે યુવતી મૃત્યુ પામી છે. જેને લઈ તે ત્યાંથી ફરાર થઈ ગયો. પરંતુ યુવતી તે સમયે જીવતી હતી. સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અને હાલ તેની સારવાર ચાલી રહી છે.  આ ઘટનાની જાણ થતા પોલીસને થતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી દીધી છે. પોલીસે અંબાલા પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.