દિલ્હીમાં વધુ એક યુવતી પર થયો હુમલો, મિત્રતા તોડતા આરોપીએ યુવતી પર છરીના ઘા ઝીંક્યા


  • Published By :
  • Published Date : 2023-01-04 13:10:49

દિલ્હીમાં ફરી એક છોકરી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. એક તરફ જ્યાં અંજલી સાથે બનેલી ઘટના અંગે ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ વધુ એક છોકરી પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના આદર્શ નગરમાં મિત્રતા તોડવા પર યુવકે યુવતી પર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના  સીસીટીવીમાં કેદ થઈ છે. ગંભીર ઈજાઓ પહોંચતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દીધી હતી.

  

છરીના ઘા ઝીંકી આરોપી ફરાર થયો 

દિલ્હી ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. અંજલીના કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધુ એક છોકરી પર છરી દ્વારા હુમલો થવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આદર્શ નગર વિસ્તારમાં બની છે. સોમવારે બ્રેકઅપથી નારાજ થઈ યુવકે તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપી દ્વારા કરવામાં આવેલા હુમલામાં યુવતીને પેટ, ગરદન અને હાથ પર ઈજા પહોંચી હતી. આરોપીને લાગ્ચું કે યુવતી મૃત્યુ પામી છે જેથી તે ત્યાંથી નાસી છૂટ્યો. 


યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ  

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર યુવતી પરિવાર સાથે પાર્ક એક્સટેન્શન વિસ્તારમાં રહે છે. યુવતીની આરોપી સાથે અંદાજે 5 વર્ષથી મિત્રતા હતી. પરંતુ પરિવારને આરોપી સાથેની મિત્રતા ગમતી ન હતી. જેને કારણે યુવતીને મિત્રતા તોડવા કહ્યું. જેને કારણે યુવતીએ તેની સાથે મિત્રતા ઓછી કરી દીધી. યુવતીએ જણાવ્યું કે સોમવારે જ્યારે તે ડ્રાઈવીંગ શિખવા માટે ઘરેથી નીકળી તે દરિમયાન વાત કરવાના બહાને આરોપીએ તેને મળવા બોલાવી. અને મિત્રતા તોડવાનું કારણ પૂછ્યું. તે બાદ આરોપીએ યુવતીને છપ્પાના ઘા ઝીંકી ઘાયલ કરી દીધી.  આરોપીને લાગ્યું કે યુવતી મરી ગઈ છે એટલે તે ત્યાંથી નાસી ગયો. પરંતુ આસપાસના લોકોએ યુવતીને હોસ્પિટલ ખસેડી અને હાલ ડોક્ટરની દેખરેખમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.


પોલીસે આરોપીની ધરપકડ કરી 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આરોપીને લાગ્યું કે યુવતી મૃત્યુ પામી છે. જેને લઈ તે ત્યાંથી ફરાર થઈ ગયો. પરંતુ યુવતી તે સમયે જીવતી હતી. સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અને હાલ તેની સારવાર ચાલી રહી છે.  આ ઘટનાની જાણ થતા પોલીસને થતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી દીધી છે. પોલીસે અંબાલા પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.