મોંઘવારીનો વધુ એક માર, ટામેટાના ભાવમાં થયો તોતિંગ વધારો, જાણો કેટલા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે ટામેટા?


  • Published By :
  • Published Date : 2023-06-27 11:46:39

નાનપણમાં આપણે ગીત ગાતા હતા ટામેટું રે ટામેટું, ઘી ગોળ ખાતું... આ ગીત એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે ટામેટા ભાવ લોકોને રડાવી રહ્યા છે. વરસાદની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવોમાં વધારો જોવા મળે છે. સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફાર થતો હોય છે. ત્યારે હાલ ટામેટા ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. એક કિલો ટામેટા ખરીદવા માટે 80થી 100 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એક તરફ મોંઘવારીની લોકો ત્રસ્ત છે તો બીજી તરફ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધવાથી લોકો મોંઘવારીનો ડબલ માર સહન કરી રહ્યા છે.  

100 રુપિયે મળી રહ્યા છે એક કિલો ટામેટા!

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. કોઈ વખત શાકભાજીના ભાવ વધે છે તો કોઈ વખત રાંધણ ગેસના ભાવ વધે છે. કોઈ વખત દૂધના ભાવ વધે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે.ઉનાળાની સિઝનમાં જે પ્રમાણે લીબુંના ભાવ આસમાને પહોચ્યા હતા ત્યારે હવે તેવી સ્થિતિ ટામેટાના ભાવની થઈ છે. 100 રૂપિયા કિલો હાલ ટામેટા બજારોમાં વેચાઈ રહ્યા છે. અંદાજીત એક મહિના પહેલા ટામેટાના 2-5 રૂપિયા મળી રહ્યા હતા જેને કારણે તે વખતે ખેડૂતો રડી રહ્યા હતા. ઓછા ભાવ મળવાને કારણે ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ત્યારે તે ભાવ અને આજના ભાવ જોઈએ તો લગભગ અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો  છે. પહેલા ભાવ સાંભળી ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે હવે ટામેટાના ભાવ સાંભળી લોકો રડી રહ્યા છે.  



ભાવ વધારા પાછળ આ કારણ જવાબદાર? 

જો ભાવ વધવાના કારણોની વાત કરવામાં આવે તો ગરમીને પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યું છે. અનેક ભાગોમાં આકરી ગરમીને કારણે ટામેટાના પાકને નુકસાન પહોંચ્યું હતું. તે સિવાય વરસાદનું મોડું આગમન થવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું હોય. આ વખતે ટામેટાનું વાવેતર ઓછું થયું છે. તે સિવાય પણ અનેક એવા ફેક્ટર છે જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે ખેડૂતોને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે વરસાદ લેટ થવાને કારણે પાણી સૂકાઈ ગયા હતા. જેને લઈ ટામેટાનું ઉત્પાદન ઘટ્યું છે.   



ભાવ વધારો સોશિયલ મીડિયા પર થયો ટ્રેન્ડ

જે વાતોની ચર્ચા થતી હોય તે વસ્તુ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ જતી હોય છે. ત્યારે ટામેટાનો ભાવ વધારો સોશિયલ મીડિયા પર ટેન્ડિંગ લીસ્ટમાં જોવા મળ્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ન માત્ર ટામેટાના પરંતુ આગામી દિવસોમાં અનેક એવા શાકભાજી હશે જેના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.