મોંઘવારીનો વધુ એક માર, ટામેટાના ભાવમાં થયો તોતિંગ વધારો, જાણો કેટલા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે ટામેટા?


  • Published By :
  • Published Date : 2023-06-27 11:46:39

નાનપણમાં આપણે ગીત ગાતા હતા ટામેટું રે ટામેટું, ઘી ગોળ ખાતું... આ ગીત એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે ટામેટા ભાવ લોકોને રડાવી રહ્યા છે. વરસાદની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવોમાં વધારો જોવા મળે છે. સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફાર થતો હોય છે. ત્યારે હાલ ટામેટા ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. એક કિલો ટામેટા ખરીદવા માટે 80થી 100 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એક તરફ મોંઘવારીની લોકો ત્રસ્ત છે તો બીજી તરફ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધવાથી લોકો મોંઘવારીનો ડબલ માર સહન કરી રહ્યા છે.  

100 રુપિયે મળી રહ્યા છે એક કિલો ટામેટા!

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. કોઈ વખત શાકભાજીના ભાવ વધે છે તો કોઈ વખત રાંધણ ગેસના ભાવ વધે છે. કોઈ વખત દૂધના ભાવ વધે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે.ઉનાળાની સિઝનમાં જે પ્રમાણે લીબુંના ભાવ આસમાને પહોચ્યા હતા ત્યારે હવે તેવી સ્થિતિ ટામેટાના ભાવની થઈ છે. 100 રૂપિયા કિલો હાલ ટામેટા બજારોમાં વેચાઈ રહ્યા છે. અંદાજીત એક મહિના પહેલા ટામેટાના 2-5 રૂપિયા મળી રહ્યા હતા જેને કારણે તે વખતે ખેડૂતો રડી રહ્યા હતા. ઓછા ભાવ મળવાને કારણે ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ત્યારે તે ભાવ અને આજના ભાવ જોઈએ તો લગભગ અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો  છે. પહેલા ભાવ સાંભળી ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે હવે ટામેટાના ભાવ સાંભળી લોકો રડી રહ્યા છે.  



ભાવ વધારા પાછળ આ કારણ જવાબદાર? 

જો ભાવ વધવાના કારણોની વાત કરવામાં આવે તો ગરમીને પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યું છે. અનેક ભાગોમાં આકરી ગરમીને કારણે ટામેટાના પાકને નુકસાન પહોંચ્યું હતું. તે સિવાય વરસાદનું મોડું આગમન થવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું હોય. આ વખતે ટામેટાનું વાવેતર ઓછું થયું છે. તે સિવાય પણ અનેક એવા ફેક્ટર છે જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે ખેડૂતોને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે વરસાદ લેટ થવાને કારણે પાણી સૂકાઈ ગયા હતા. જેને લઈ ટામેટાનું ઉત્પાદન ઘટ્યું છે.   



ભાવ વધારો સોશિયલ મીડિયા પર થયો ટ્રેન્ડ

જે વાતોની ચર્ચા થતી હોય તે વસ્તુ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ જતી હોય છે. ત્યારે ટામેટાનો ભાવ વધારો સોશિયલ મીડિયા પર ટેન્ડિંગ લીસ્ટમાં જોવા મળ્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ન માત્ર ટામેટાના પરંતુ આગામી દિવસોમાં અનેક એવા શાકભાજી હશે જેના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.