મોંઘવારીનો વધુ એક માર, ટામેટાના ભાવમાં થયો તોતિંગ વધારો, જાણો કેટલા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે ટામેટા?


  • Published By :
  • Published Date : 2023-06-27 11:46:39

નાનપણમાં આપણે ગીત ગાતા હતા ટામેટું રે ટામેટું, ઘી ગોળ ખાતું... આ ગીત એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે ટામેટા ભાવ લોકોને રડાવી રહ્યા છે. વરસાદની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવોમાં વધારો જોવા મળે છે. સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફાર થતો હોય છે. ત્યારે હાલ ટામેટા ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. એક કિલો ટામેટા ખરીદવા માટે 80થી 100 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એક તરફ મોંઘવારીની લોકો ત્રસ્ત છે તો બીજી તરફ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધવાથી લોકો મોંઘવારીનો ડબલ માર સહન કરી રહ્યા છે.  

100 રુપિયે મળી રહ્યા છે એક કિલો ટામેટા!

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. કોઈ વખત શાકભાજીના ભાવ વધે છે તો કોઈ વખત રાંધણ ગેસના ભાવ વધે છે. કોઈ વખત દૂધના ભાવ વધે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે.ઉનાળાની સિઝનમાં જે પ્રમાણે લીબુંના ભાવ આસમાને પહોચ્યા હતા ત્યારે હવે તેવી સ્થિતિ ટામેટાના ભાવની થઈ છે. 100 રૂપિયા કિલો હાલ ટામેટા બજારોમાં વેચાઈ રહ્યા છે. અંદાજીત એક મહિના પહેલા ટામેટાના 2-5 રૂપિયા મળી રહ્યા હતા જેને કારણે તે વખતે ખેડૂતો રડી રહ્યા હતા. ઓછા ભાવ મળવાને કારણે ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ત્યારે તે ભાવ અને આજના ભાવ જોઈએ તો લગભગ અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો  છે. પહેલા ભાવ સાંભળી ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે હવે ટામેટાના ભાવ સાંભળી લોકો રડી રહ્યા છે.  



ભાવ વધારા પાછળ આ કારણ જવાબદાર? 

જો ભાવ વધવાના કારણોની વાત કરવામાં આવે તો ગરમીને પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યું છે. અનેક ભાગોમાં આકરી ગરમીને કારણે ટામેટાના પાકને નુકસાન પહોંચ્યું હતું. તે સિવાય વરસાદનું મોડું આગમન થવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું હોય. આ વખતે ટામેટાનું વાવેતર ઓછું થયું છે. તે સિવાય પણ અનેક એવા ફેક્ટર છે જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે ખેડૂતોને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે વરસાદ લેટ થવાને કારણે પાણી સૂકાઈ ગયા હતા. જેને લઈ ટામેટાનું ઉત્પાદન ઘટ્યું છે.   



ભાવ વધારો સોશિયલ મીડિયા પર થયો ટ્રેન્ડ

જે વાતોની ચર્ચા થતી હોય તે વસ્તુ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ જતી હોય છે. ત્યારે ટામેટાનો ભાવ વધારો સોશિયલ મીડિયા પર ટેન્ડિંગ લીસ્ટમાં જોવા મળ્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ન માત્ર ટામેટાના પરંતુ આગામી દિવસોમાં અનેક એવા શાકભાજી હશે જેના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.