ગુજરાતમાં ફરી બની બ્રિજ ધરાશાયી થવાની ઘટના! જાણો કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ક્યાં થયો ધરાશાયી?


  • Published By :
  • Published Date : 2023-06-14 16:44:44

પુલ તૂટવું તેમજ પુલનું વિવાદમાં આવવું ગુજરાતમાં જાણે સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મોરબીમાં દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. તે બાદ હાટકેશ્વર બ્રિજનો વિવાદ સામે આવ્યો. તે હજુ શાંત થયો ન હતો તો અટલ ફૂટ બ્રિજ પર લાગેલા કાચ પર તિરાડ દેખાવાની ઘટના સામે આવી. ત્યારે આજે ફરી એક વખત બ્રિજ તૂટવાની ઘટના બની છે. જે બ્રિજ ધરાશાયી થયો છે તેનું તો હજી લોકાર્પણ પણ થયું ન હતું. તાપીના વ્યારાના માયપુર અને દેહામાં ગામને જોડતો પુલ ધરાશાયી થયો છે. 


તાપીમાં બની પુલ ધરાશાયી થવાની ઘટના!

બ્રિજનિર્માણ દરમિયાન વપરાતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક વખત પ્રશ્નો ઉઠતા રહે છે. થોડા સમય પહેલા શરૂ કરાયેલા  બ્રિજને પણ બંધ કરવાની ફરજ પડતી હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને તો વિવાદ ચાલે છે ત્યાં તો તાપીના વ્યારાથી પુલ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  


બે કરોડના ખર્ચે થયું પુલનું નિર્માણ!    

આ ઘટનાની વાત કરીએ તો તાપીમાં મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ 2021માં શરૂ થઈ ગયું હતું અને અંદાજીત બે કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. હજી બ્રિજનું લોકાર્પણ થવાનું હજી બાકી છે જેથી જાનહાની ટળી છે પરંતુ તાજેતરમાં જ નિર્માણ પામેલો બ્રિજ આવી રીતે ધરાશાયી થાય તો બ્રિજની કામગીરી પર સવાલ ઉઠવા સ્વભાવિક છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રાજ્યના બ્રિજોનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.