ગુજરાતમાં ફરી બની બ્રિજ ધરાશાયી થવાની ઘટના! જાણો કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ક્યાં થયો ધરાશાયી?


  • Published By :
  • Published Date : 2023-06-14 16:44:44

પુલ તૂટવું તેમજ પુલનું વિવાદમાં આવવું ગુજરાતમાં જાણે સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મોરબીમાં દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. તે બાદ હાટકેશ્વર બ્રિજનો વિવાદ સામે આવ્યો. તે હજુ શાંત થયો ન હતો તો અટલ ફૂટ બ્રિજ પર લાગેલા કાચ પર તિરાડ દેખાવાની ઘટના સામે આવી. ત્યારે આજે ફરી એક વખત બ્રિજ તૂટવાની ઘટના બની છે. જે બ્રિજ ધરાશાયી થયો છે તેનું તો હજી લોકાર્પણ પણ થયું ન હતું. તાપીના વ્યારાના માયપુર અને દેહામાં ગામને જોડતો પુલ ધરાશાયી થયો છે. 


તાપીમાં બની પુલ ધરાશાયી થવાની ઘટના!

બ્રિજનિર્માણ દરમિયાન વપરાતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક વખત પ્રશ્નો ઉઠતા રહે છે. થોડા સમય પહેલા શરૂ કરાયેલા  બ્રિજને પણ બંધ કરવાની ફરજ પડતી હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને તો વિવાદ ચાલે છે ત્યાં તો તાપીના વ્યારાથી પુલ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  


બે કરોડના ખર્ચે થયું પુલનું નિર્માણ!    

આ ઘટનાની વાત કરીએ તો તાપીમાં મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ 2021માં શરૂ થઈ ગયું હતું અને અંદાજીત બે કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. હજી બ્રિજનું લોકાર્પણ થવાનું હજી બાકી છે જેથી જાનહાની ટળી છે પરંતુ તાજેતરમાં જ નિર્માણ પામેલો બ્રિજ આવી રીતે ધરાશાયી થાય તો બ્રિજની કામગીરી પર સવાલ ઉઠવા સ્વભાવિક છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રાજ્યના બ્રિજોનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.