ગુજરાતમાં ફરી બની બ્રિજ ધરાશાયી થવાની ઘટના! જાણો કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ક્યાં થયો ધરાશાયી?


  • Published By :
  • Published Date : 2023-06-14 16:44:44

પુલ તૂટવું તેમજ પુલનું વિવાદમાં આવવું ગુજરાતમાં જાણે સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મોરબીમાં દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. તે બાદ હાટકેશ્વર બ્રિજનો વિવાદ સામે આવ્યો. તે હજુ શાંત થયો ન હતો તો અટલ ફૂટ બ્રિજ પર લાગેલા કાચ પર તિરાડ દેખાવાની ઘટના સામે આવી. ત્યારે આજે ફરી એક વખત બ્રિજ તૂટવાની ઘટના બની છે. જે બ્રિજ ધરાશાયી થયો છે તેનું તો હજી લોકાર્પણ પણ થયું ન હતું. તાપીના વ્યારાના માયપુર અને દેહામાં ગામને જોડતો પુલ ધરાશાયી થયો છે. 


તાપીમાં બની પુલ ધરાશાયી થવાની ઘટના!

બ્રિજનિર્માણ દરમિયાન વપરાતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક વખત પ્રશ્નો ઉઠતા રહે છે. થોડા સમય પહેલા શરૂ કરાયેલા  બ્રિજને પણ બંધ કરવાની ફરજ પડતી હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને તો વિવાદ ચાલે છે ત્યાં તો તાપીના વ્યારાથી પુલ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  


બે કરોડના ખર્ચે થયું પુલનું નિર્માણ!    

આ ઘટનાની વાત કરીએ તો તાપીમાં મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ 2021માં શરૂ થઈ ગયું હતું અને અંદાજીત બે કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. હજી બ્રિજનું લોકાર્પણ થવાનું હજી બાકી છે જેથી જાનહાની ટળી છે પરંતુ તાજેતરમાં જ નિર્માણ પામેલો બ્રિજ આવી રીતે ધરાશાયી થાય તો બ્રિજની કામગીરી પર સવાલ ઉઠવા સ્વભાવિક છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રાજ્યના બ્રિજોનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.