Gujaratમાં પેપર લીકની વધુ એક ઘટના, જાણો કઈ યુનિવર્સિટીમાં ફૂટ્યું પેપર? Yuvrajsinhએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો દાવો કે.. જુઓ


  • Published By :
  • Published Date : 2024-04-19 17:58:51

ગુજરાત અને પેપર લીક એક બીજાનો પર્યાય બની ગયું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. કોઈ વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થાય છે તો કોઈ વખત કોલેજની પરીક્ષાનું પેપર લીક થાય છે... પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે અને જેને કારણે અનેક યુવાનોના સપનાઓ તૂટી જાય છે.. 


યુવરાજસિંહે પેપર લીકને લઈ કર્યો ઘટસ્ફોટ!

ત્યારે આજે ફરી એક વખત પેપર લીક થવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે દાવો કર્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઈ રહેલી પરીક્ષાનું પેપર લીક થયું છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે બીસીએ સેમ 4નું પેપર લીક થયું છે... પેપરના સમય પહેલા જ પેપર વાયરલ થયાનો આરોપ વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં આજે પેપર હતું જે લીક થયું છે..



પેપર લીક અટકે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી

ઉમેદવાર જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે તેની આંખોમાં સપના હોય છે.. પરીક્ષા પાસ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તેવી આશા હોય છે ઉમેદવારની પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે તે આશાઓ તૂટી જાય છે અને તંત્ર પર રહેલો વિશ્વાસ તૂટી જાય છે..! મહત્વનું છે કે ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટ્યું છે અને પરીક્ષાઓ રદ્દ થઈ ગઈ છે જેને કારણે ઉમેદવારોમાં, યુવાનોમાં ભારે રોષ જોવા મળતો હોય છે... પેપર લીક જેવી ઘટનાઓ રોકાય તે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી છે...   




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.