Gujaratમાં પેપર લીકની વધુ એક ઘટના, જાણો કઈ યુનિવર્સિટીમાં ફૂટ્યું પેપર? Yuvrajsinhએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો દાવો કે.. જુઓ


  • Published By :
  • Published Date : 2024-04-19 17:58:51

ગુજરાત અને પેપર લીક એક બીજાનો પર્યાય બની ગયું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. કોઈ વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થાય છે તો કોઈ વખત કોલેજની પરીક્ષાનું પેપર લીક થાય છે... પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે અને જેને કારણે અનેક યુવાનોના સપનાઓ તૂટી જાય છે.. 


યુવરાજસિંહે પેપર લીકને લઈ કર્યો ઘટસ્ફોટ!

ત્યારે આજે ફરી એક વખત પેપર લીક થવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે દાવો કર્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઈ રહેલી પરીક્ષાનું પેપર લીક થયું છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે બીસીએ સેમ 4નું પેપર લીક થયું છે... પેપરના સમય પહેલા જ પેપર વાયરલ થયાનો આરોપ વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં આજે પેપર હતું જે લીક થયું છે..



પેપર લીક અટકે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી

ઉમેદવાર જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે તેની આંખોમાં સપના હોય છે.. પરીક્ષા પાસ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તેવી આશા હોય છે ઉમેદવારની પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે તે આશાઓ તૂટી જાય છે અને તંત્ર પર રહેલો વિશ્વાસ તૂટી જાય છે..! મહત્વનું છે કે ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટ્યું છે અને પરીક્ષાઓ રદ્દ થઈ ગઈ છે જેને કારણે ઉમેદવારોમાં, યુવાનોમાં ભારે રોષ જોવા મળતો હોય છે... પેપર લીક જેવી ઘટનાઓ રોકાય તે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી છે...   




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.