Gujaratમાં પેપર લીકની વધુ એક ઘટના, જાણો કઈ યુનિવર્સિટીમાં ફૂટ્યું પેપર? Yuvrajsinhએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો દાવો કે.. જુઓ


  • Published By :
  • Published Date : 2024-04-19 17:58:51

ગુજરાત અને પેપર લીક એક બીજાનો પર્યાય બની ગયું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. કોઈ વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થાય છે તો કોઈ વખત કોલેજની પરીક્ષાનું પેપર લીક થાય છે... પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે અને જેને કારણે અનેક યુવાનોના સપનાઓ તૂટી જાય છે.. 


યુવરાજસિંહે પેપર લીકને લઈ કર્યો ઘટસ્ફોટ!

ત્યારે આજે ફરી એક વખત પેપર લીક થવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે દાવો કર્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઈ રહેલી પરીક્ષાનું પેપર લીક થયું છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે બીસીએ સેમ 4નું પેપર લીક થયું છે... પેપરના સમય પહેલા જ પેપર વાયરલ થયાનો આરોપ વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં આજે પેપર હતું જે લીક થયું છે..



પેપર લીક અટકે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી

ઉમેદવાર જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે તેની આંખોમાં સપના હોય છે.. પરીક્ષા પાસ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તેવી આશા હોય છે ઉમેદવારની પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે તે આશાઓ તૂટી જાય છે અને તંત્ર પર રહેલો વિશ્વાસ તૂટી જાય છે..! મહત્વનું છે કે ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટ્યું છે અને પરીક્ષાઓ રદ્દ થઈ ગઈ છે જેને કારણે ઉમેદવારોમાં, યુવાનોમાં ભારે રોષ જોવા મળતો હોય છે... પેપર લીક જેવી ઘટનાઓ રોકાય તે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી છે...   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે