સુકેશ ચંદ્રશેખરનો વધુ એક લેટર બોમ્બ , તેમણે કેજરીવાલે પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-05 19:02:18


સુકેશ ચંદ્રશેખર જે મની લોન્ડરિંગના કેસમાં જેલમાં છે તેને આજે મીડિયાના નામે એક ચિટ્ઠી લખી છે. તેમાં અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. 3 પાનાની ચિટ્ઠીમાં સુકેશે લખ્યું છે- 'હું ઠગ છું, તો કેજરીવાલ મહાઠગ છે. તેમણે રાજ્યસભા સીટના બદલામાં મારી પાસેથી 50 કરોડ રૂપિયા માગ્યા હતા, જે મેં આપ્યા હતા.'


શું આક્ષેપો કર્યા ???


સુકેશએ લેટરમાં લખ્યું  "2016માં એક ડિનર પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ પણ હતા તેમના નિર્દેશ પર મેં કૈલાસ ગેહલોતને અસોલાના એક ફાર્મ હાઉસમાં જઈ 50 કરોડ રૂપિયા આપ્યા હતા. તમને જણાવી દઈએ કૈલાસ હાલ કેજરીવાલ સરકારમાં પરિવહનમંત્રી છે. સુકેશે કહ્યું હતું કે જે પણ જાણકારી આપવામાં આવી છે એ સાચી છે અને આની તપાસ થઈ શકે છે.



" સત્યેન્દ્ર જૈન અને પૂર્વ DG મને જેલમાં ધમકાવી રહ્યા છે "


સુકેશએ એક અન્ય પત્ર પણ લખ્યો છે જેમાં તેને પોતાના વકીલનું નામ છે પત્રમાં લખ્યું છે 1 નવેમ્બરે મેં દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખ્યો. એમાં લખ્યું હતું કે મેં સુખ-સુવિધા ઉપલબ્ધ કરાવવાને બદલે કેજરીવાલ સરકારના જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. ઉપરાજ્યપાલને ફરિયાદ કરવા બદલ સત્યેન્દ્ર જૈન અને જેલના તત્કાલીન ડીજી સુકેશને ધમકાવી રહ્યા હતા. લેટરની પુષ્ટિ સુકેશના વકીલે મીડિયા સમક્ષ કરી.

સુકેશે દિલ્હીના એલજીને અપીલ કરી છે કે તેઓ સીબીઆઈને સત્યેન્દ્ર જૈન અને તિહાડ જેલ પ્રશાસન સામે કેસ નોંધવામાં આવે. તેણે કહ્યું હતું કે તે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ તમામ પુરાવા આપવા તૈયાર છે.

જેલ સુરક્ષા પર પણ સવાલ !!!


સુકેશએ વધુમાં કહ્યું કે "જેલમાં સત્યેન્દ્ર જૈન મને મળવા આવતા હતા, તેમણે મને પૂછ્યું કે મેં તેમને આપેલા પૈસા વિશે EDને કંઈ જણાવ્યું છે. 2019માં સત્યેન્દ્ર જૈન મને ફરીથી મળવા આવ્યા. તેના સેક્રેટરીએ મને કહ્યું, જેલમાં સુરક્ષા અને જરૂરિયાતો મેળવવા માટે મારે દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે