સુકેશ ચંદ્રશેખરનો વધુ એક લેટર બોમ્બ , તેમણે કેજરીવાલે પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-05 19:02:18


સુકેશ ચંદ્રશેખર જે મની લોન્ડરિંગના કેસમાં જેલમાં છે તેને આજે મીડિયાના નામે એક ચિટ્ઠી લખી છે. તેમાં અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. 3 પાનાની ચિટ્ઠીમાં સુકેશે લખ્યું છે- 'હું ઠગ છું, તો કેજરીવાલ મહાઠગ છે. તેમણે રાજ્યસભા સીટના બદલામાં મારી પાસેથી 50 કરોડ રૂપિયા માગ્યા હતા, જે મેં આપ્યા હતા.'


શું આક્ષેપો કર્યા ???


સુકેશએ લેટરમાં લખ્યું  "2016માં એક ડિનર પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ પણ હતા તેમના નિર્દેશ પર મેં કૈલાસ ગેહલોતને અસોલાના એક ફાર્મ હાઉસમાં જઈ 50 કરોડ રૂપિયા આપ્યા હતા. તમને જણાવી દઈએ કૈલાસ હાલ કેજરીવાલ સરકારમાં પરિવહનમંત્રી છે. સુકેશે કહ્યું હતું કે જે પણ જાણકારી આપવામાં આવી છે એ સાચી છે અને આની તપાસ થઈ શકે છે.



" સત્યેન્દ્ર જૈન અને પૂર્વ DG મને જેલમાં ધમકાવી રહ્યા છે "


સુકેશએ એક અન્ય પત્ર પણ લખ્યો છે જેમાં તેને પોતાના વકીલનું નામ છે પત્રમાં લખ્યું છે 1 નવેમ્બરે મેં દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખ્યો. એમાં લખ્યું હતું કે મેં સુખ-સુવિધા ઉપલબ્ધ કરાવવાને બદલે કેજરીવાલ સરકારના જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. ઉપરાજ્યપાલને ફરિયાદ કરવા બદલ સત્યેન્દ્ર જૈન અને જેલના તત્કાલીન ડીજી સુકેશને ધમકાવી રહ્યા હતા. લેટરની પુષ્ટિ સુકેશના વકીલે મીડિયા સમક્ષ કરી.

સુકેશે દિલ્હીના એલજીને અપીલ કરી છે કે તેઓ સીબીઆઈને સત્યેન્દ્ર જૈન અને તિહાડ જેલ પ્રશાસન સામે કેસ નોંધવામાં આવે. તેણે કહ્યું હતું કે તે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ તમામ પુરાવા આપવા તૈયાર છે.

જેલ સુરક્ષા પર પણ સવાલ !!!


સુકેશએ વધુમાં કહ્યું કે "જેલમાં સત્યેન્દ્ર જૈન મને મળવા આવતા હતા, તેમણે મને પૂછ્યું કે મેં તેમને આપેલા પૈસા વિશે EDને કંઈ જણાવ્યું છે. 2019માં સત્યેન્દ્ર જૈન મને ફરીથી મળવા આવ્યા. તેના સેક્રેટરીએ મને કહ્યું, જેલમાં સુરક્ષા અને જરૂરિયાતો મેળવવા માટે મારે દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.