TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા વધુ એક ધારાસભ્ય! YuvrajSinh Jadejaએ કરી ટ્વિટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-13 16:27:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી પોતાની વાતને પહોંચાડવા માટે અનેક અલગ અલગ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવવાનું હતું પરંતુ આંદોલનની શરૂઆત થાય તે પહેલા જ ઉમેદવારોને પકડી લેવામાં આવતા હતા. જેને કારણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શક્તા ન હતા. 

ભાજપના બે ધારાસભ્યોએ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર 

ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ અનેક કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કરાર આધારિત ભરતી કરવાના બદલે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે.  ગુજરાત વિધાનસભામાં ભાજપને 156 સીટો મળી છે. ત્યારે 156માંથી ભાજપના અનેક ધારાસભ્યો છે જેઓ ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કે. કોરડિયાએ સરકારને પત્ર લખી જ્ઞાન સહાયક રદ કરવાની દરખાસ્ત કરી છે. તે ઉપરાંત ધારાસભ્ય હસમુખ પટેલ દ્વારા પણ આ મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે.

Image

સાધુ સંતોને ઉમેદવારોએ લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખે છે તો કોઈ વખત પીએમને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ વખત હનુમાનજીને પત્ર લખે છે તો કોઈ વખત શિવજીને પત્ર લખે છે. થાળી અને તાળીના માધ્યમથી પણ તેમણે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાધુ-સંતોને પણ પત્ર લખી રજૂઆત ઉમેદવારોએ કરી હતી. 


ઉમેદવારોના સમર્થનમાં આવ્યા અનેક નેતાઓ 

ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. શિક્ષક દિવસના દિવસે  જ્યારે ઉમેદવારો રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે તેઓ જોડે હતા. આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તે સિવાય કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી અને અનંત પટેલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ભાવિ શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન શું રંગ લાવે છે?    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.