TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા વધુ એક ધારાસભ્ય! YuvrajSinh Jadejaએ કરી ટ્વિટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-13 16:27:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી પોતાની વાતને પહોંચાડવા માટે અનેક અલગ અલગ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવવાનું હતું પરંતુ આંદોલનની શરૂઆત થાય તે પહેલા જ ઉમેદવારોને પકડી લેવામાં આવતા હતા. જેને કારણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શક્તા ન હતા. 

ભાજપના બે ધારાસભ્યોએ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર 

ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ અનેક કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કરાર આધારિત ભરતી કરવાના બદલે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે.  ગુજરાત વિધાનસભામાં ભાજપને 156 સીટો મળી છે. ત્યારે 156માંથી ભાજપના અનેક ધારાસભ્યો છે જેઓ ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કે. કોરડિયાએ સરકારને પત્ર લખી જ્ઞાન સહાયક રદ કરવાની દરખાસ્ત કરી છે. તે ઉપરાંત ધારાસભ્ય હસમુખ પટેલ દ્વારા પણ આ મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે.

Image

સાધુ સંતોને ઉમેદવારોએ લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખે છે તો કોઈ વખત પીએમને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ વખત હનુમાનજીને પત્ર લખે છે તો કોઈ વખત શિવજીને પત્ર લખે છે. થાળી અને તાળીના માધ્યમથી પણ તેમણે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાધુ-સંતોને પણ પત્ર લખી રજૂઆત ઉમેદવારોએ કરી હતી. 


ઉમેદવારોના સમર્થનમાં આવ્યા અનેક નેતાઓ 

ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. શિક્ષક દિવસના દિવસે  જ્યારે ઉમેદવારો રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે તેઓ જોડે હતા. આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તે સિવાય કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી અને અનંત પટેલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ભાવિ શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન શું રંગ લાવે છે?    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.