TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા વધુ એક ધારાસભ્ય! YuvrajSinh Jadejaએ કરી ટ્વિટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-13 16:27:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી પોતાની વાતને પહોંચાડવા માટે અનેક અલગ અલગ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવવાનું હતું પરંતુ આંદોલનની શરૂઆત થાય તે પહેલા જ ઉમેદવારોને પકડી લેવામાં આવતા હતા. જેને કારણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શક્તા ન હતા. 

ભાજપના બે ધારાસભ્યોએ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર 

ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ અનેક કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કરાર આધારિત ભરતી કરવાના બદલે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે.  ગુજરાત વિધાનસભામાં ભાજપને 156 સીટો મળી છે. ત્યારે 156માંથી ભાજપના અનેક ધારાસભ્યો છે જેઓ ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કે. કોરડિયાએ સરકારને પત્ર લખી જ્ઞાન સહાયક રદ કરવાની દરખાસ્ત કરી છે. તે ઉપરાંત ધારાસભ્ય હસમુખ પટેલ દ્વારા પણ આ મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે.

Image

સાધુ સંતોને ઉમેદવારોએ લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખે છે તો કોઈ વખત પીએમને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ વખત હનુમાનજીને પત્ર લખે છે તો કોઈ વખત શિવજીને પત્ર લખે છે. થાળી અને તાળીના માધ્યમથી પણ તેમણે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાધુ-સંતોને પણ પત્ર લખી રજૂઆત ઉમેદવારોએ કરી હતી. 


ઉમેદવારોના સમર્થનમાં આવ્યા અનેક નેતાઓ 

ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. શિક્ષક દિવસના દિવસે  જ્યારે ઉમેદવારો રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે તેઓ જોડે હતા. આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તે સિવાય કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી અને અનંત પટેલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ભાવિ શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન શું રંગ લાવે છે?    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.