વધુ એક ભરતી કૌભાંડ આવ્યું સામે ! પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં થતી હતી ગેરરીતી! જાણો કેવી રીતે સામે આવ્યો કૌભાંડ?


  • Published By :
  • Published Date : 2023-06-06 17:17:02

છેલ્લા ઘણા સમયથી ભરતી કૌભાંડો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ સામે આવ્યું તે બાદ બનાસકાંઠાની કૃષિ યુનિવર્સિટી કૌભાંડ સામે આવ્યું હતું. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ નવા નવા કૌભાંડ સામે આવી રહ્યા છે. પાણી પુરવઠા બોર્ડ ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે અને આ વાતનો ખુલાસો રાજકોટના બિલ્ડર દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં થયો છે.     


પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ આવ્યું સામે!

આ મામલે રાજકોટના બિલ્ડર દ્વારા માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે. મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેકાયદેસર ભરતી થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2 વ્યક્તિની ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી હતી. 14.6 2021ના પાર્થ રાઠોડની ભરતી કરવામાં આવી તેમજ 22.07.2021 જયદીપ પોપટની ભરતી કરવામાં આવી છે. 


કૌભાંડમાં સામેલ વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ કબૂલાત પણ આપી છે. જે રોજમદાર તરીકે ફરજ બજાવે છે. બિલ્ડરને નનામી અરજી આવી હતી. બિલ્ડર દ્વારા પાણી પુરવઠા વિભાગ કચેરીમાં માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા માં રોજમદાર તરીકે ફરજ બજાવતો રોજમદાર આર્થિક લાભ માટે ભરતીનું કૌભાંડ કર્યું તેવું કબુલાત નામું આપ્યું છે. મોરબી પાણી પુરવઠામાં નોકરી કરતો વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ RTIના જવાબમાં કબુલાત આપી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.