વધુ એક ભરતી કૌભાંડ આવ્યું સામે ! પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં થતી હતી ગેરરીતી! જાણો કેવી રીતે સામે આવ્યો કૌભાંડ?


  • Published By :
  • Published Date : 2023-06-06 17:17:02

છેલ્લા ઘણા સમયથી ભરતી કૌભાંડો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ સામે આવ્યું તે બાદ બનાસકાંઠાની કૃષિ યુનિવર્સિટી કૌભાંડ સામે આવ્યું હતું. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ નવા નવા કૌભાંડ સામે આવી રહ્યા છે. પાણી પુરવઠા બોર્ડ ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે અને આ વાતનો ખુલાસો રાજકોટના બિલ્ડર દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં થયો છે.     


પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ આવ્યું સામે!

આ મામલે રાજકોટના બિલ્ડર દ્વારા માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે. મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેકાયદેસર ભરતી થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2 વ્યક્તિની ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી હતી. 14.6 2021ના પાર્થ રાઠોડની ભરતી કરવામાં આવી તેમજ 22.07.2021 જયદીપ પોપટની ભરતી કરવામાં આવી છે. 


કૌભાંડમાં સામેલ વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ કબૂલાત પણ આપી છે. જે રોજમદાર તરીકે ફરજ બજાવે છે. બિલ્ડરને નનામી અરજી આવી હતી. બિલ્ડર દ્વારા પાણી પુરવઠા વિભાગ કચેરીમાં માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા માં રોજમદાર તરીકે ફરજ બજાવતો રોજમદાર આર્થિક લાભ માટે ભરતીનું કૌભાંડ કર્યું તેવું કબુલાત નામું આપ્યું છે. મોરબી પાણી પુરવઠામાં નોકરી કરતો વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ RTIના જવાબમાં કબુલાત આપી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.