વધુ એક ભરતી કૌભાંડ આવ્યું સામે ! પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં થતી હતી ગેરરીતી! જાણો કેવી રીતે સામે આવ્યો કૌભાંડ?


  • Published By :
  • Published Date : 2023-06-06 17:17:02

છેલ્લા ઘણા સમયથી ભરતી કૌભાંડો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ સામે આવ્યું તે બાદ બનાસકાંઠાની કૃષિ યુનિવર્સિટી કૌભાંડ સામે આવ્યું હતું. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ નવા નવા કૌભાંડ સામે આવી રહ્યા છે. પાણી પુરવઠા બોર્ડ ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે અને આ વાતનો ખુલાસો રાજકોટના બિલ્ડર દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં થયો છે.     


પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ આવ્યું સામે!

આ મામલે રાજકોટના બિલ્ડર દ્વારા માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે. મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેકાયદેસર ભરતી થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2 વ્યક્તિની ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી હતી. 14.6 2021ના પાર્થ રાઠોડની ભરતી કરવામાં આવી તેમજ 22.07.2021 જયદીપ પોપટની ભરતી કરવામાં આવી છે. 


કૌભાંડમાં સામેલ વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ કબૂલાત પણ આપી છે. જે રોજમદાર તરીકે ફરજ બજાવે છે. બિલ્ડરને નનામી અરજી આવી હતી. બિલ્ડર દ્વારા પાણી પુરવઠા વિભાગ કચેરીમાં માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા માં રોજમદાર તરીકે ફરજ બજાવતો રોજમદાર આર્થિક લાભ માટે ભરતીનું કૌભાંડ કર્યું તેવું કબુલાત નામું આપ્યું છે. મોરબી પાણી પુરવઠામાં નોકરી કરતો વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ RTIના જવાબમાં કબુલાત આપી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.