Gujaratમાં વધુ એક ડમીકાંડ! ધોળકાની આ શાળામાં ધોરણ 12ની પરીક્ષા આપવા આવેલો ડમી પરીક્ષાર્થી ઝડપાયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-18 12:14:05

નકલી... આ શબ્દ ગુજરાતમાં અનેક વખત સાંભળવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી ઝડપાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. નકલીનું લિસ્ટ જો આપણે બનાવા બેસીએ તો ઘણું લાંબુ થાય અને આ બધા વચ્ચે હવે નકલી વિદ્યાર્થી પકડાયો છે. ધોરણ 12ની પરીક્ષા આપવા માટે ડમી વિદ્યાર્થી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધોળકાની જ્ઞાનદીપ વિદ્યાલયમાંથી ધોરણ 12ની પરીક્ષા આપવા માટે આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. એક્ઝામ આપવા ડમી ઉમેદવાર બેસે તે પહેલા જ તે પકડાઈ ગયો છે. 


બોર્ડની પરીક્ષા આપવા અસલી વિદ્યાર્થીએ મોકલ્યો નકલી પરીક્ષાર્થીને!

ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષાઓ વિદ્યાર્થીના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં માનવામાં આવે છે કે જો બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ આવી જાય તો આગળ વાંધો નથી આવતો. સારા પરિણામની આશા સાથે અનેક વિદ્યાર્થીઓ ભરપૂર મહેનત કરતા હોય છે. દિવસ રાત એક કરી તેઓ પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે પરંતુ અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જે સારા માર્ક્સ મેળવવા માટે ચોરી કરતા હોય છે. પરંતુ ધોળકાથી જે કિસ્સો સામે આવ્યો છે તેણે તમામ હદ વટાવી દીધી છે. બોર્ડની પરીક્ષા આપવા માટે એક વિદ્યાર્થીએ ડમી ઉમેદવારને મોકલ્યો.  

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી!

આખી ઘટનાની વાત કરીએ તો ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલયમાં એક ડમી પરીક્ષાર્થી બોર્ડની પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ધોરણ-12ની બોર્ડમાં 16 માર્ચે તત્ત્વજ્ઞાન વિષયની પરીક્ષા હતી. આ દરમિયાન ડમી વિદ્યાર્થીને પોલીસે ઝડપી પાડ્યો છે. તત્વજ્ઞાનનું પેપર આપવા માટે અસલ વિદ્યાર્થીએ પોતાની જગ્યા પર ડમી વિદ્યાર્થીને મોકલ્યો. પરીક્ષા આપવા માટે ડમી ઉમેદવાર એક્ઝામ હોલમાં બેસે તેની પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમી પરીક્ષાર્થીને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.