Gujaratમાં વધુ એક ડમીકાંડ! ધોળકાની આ શાળામાં ધોરણ 12ની પરીક્ષા આપવા આવેલો ડમી પરીક્ષાર્થી ઝડપાયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-18 12:14:05

નકલી... આ શબ્દ ગુજરાતમાં અનેક વખત સાંભળવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી ઝડપાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. નકલીનું લિસ્ટ જો આપણે બનાવા બેસીએ તો ઘણું લાંબુ થાય અને આ બધા વચ્ચે હવે નકલી વિદ્યાર્થી પકડાયો છે. ધોરણ 12ની પરીક્ષા આપવા માટે ડમી વિદ્યાર્થી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધોળકાની જ્ઞાનદીપ વિદ્યાલયમાંથી ધોરણ 12ની પરીક્ષા આપવા માટે આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. એક્ઝામ આપવા ડમી ઉમેદવાર બેસે તે પહેલા જ તે પકડાઈ ગયો છે. 


બોર્ડની પરીક્ષા આપવા અસલી વિદ્યાર્થીએ મોકલ્યો નકલી પરીક્ષાર્થીને!

ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષાઓ વિદ્યાર્થીના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં માનવામાં આવે છે કે જો બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ આવી જાય તો આગળ વાંધો નથી આવતો. સારા પરિણામની આશા સાથે અનેક વિદ્યાર્થીઓ ભરપૂર મહેનત કરતા હોય છે. દિવસ રાત એક કરી તેઓ પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે પરંતુ અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જે સારા માર્ક્સ મેળવવા માટે ચોરી કરતા હોય છે. પરંતુ ધોળકાથી જે કિસ્સો સામે આવ્યો છે તેણે તમામ હદ વટાવી દીધી છે. બોર્ડની પરીક્ષા આપવા માટે એક વિદ્યાર્થીએ ડમી ઉમેદવારને મોકલ્યો.  

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી!

આખી ઘટનાની વાત કરીએ તો ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલયમાં એક ડમી પરીક્ષાર્થી બોર્ડની પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ધોરણ-12ની બોર્ડમાં 16 માર્ચે તત્ત્વજ્ઞાન વિષયની પરીક્ષા હતી. આ દરમિયાન ડમી વિદ્યાર્થીને પોલીસે ઝડપી પાડ્યો છે. તત્વજ્ઞાનનું પેપર આપવા માટે અસલ વિદ્યાર્થીએ પોતાની જગ્યા પર ડમી વિદ્યાર્થીને મોકલ્યો. પરીક્ષા આપવા માટે ડમી ઉમેદવાર એક્ઝામ હોલમાં બેસે તેની પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમી પરીક્ષાર્થીને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.