Gujaratમાં વધુ એક ડમીકાંડ! ધોળકાની આ શાળામાં ધોરણ 12ની પરીક્ષા આપવા આવેલો ડમી પરીક્ષાર્થી ઝડપાયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-18 12:14:05

નકલી... આ શબ્દ ગુજરાતમાં અનેક વખત સાંભળવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી ઝડપાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. નકલીનું લિસ્ટ જો આપણે બનાવા બેસીએ તો ઘણું લાંબુ થાય અને આ બધા વચ્ચે હવે નકલી વિદ્યાર્થી પકડાયો છે. ધોરણ 12ની પરીક્ષા આપવા માટે ડમી વિદ્યાર્થી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધોળકાની જ્ઞાનદીપ વિદ્યાલયમાંથી ધોરણ 12ની પરીક્ષા આપવા માટે આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. એક્ઝામ આપવા ડમી ઉમેદવાર બેસે તે પહેલા જ તે પકડાઈ ગયો છે. 


બોર્ડની પરીક્ષા આપવા અસલી વિદ્યાર્થીએ મોકલ્યો નકલી પરીક્ષાર્થીને!

ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષાઓ વિદ્યાર્થીના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં માનવામાં આવે છે કે જો બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ આવી જાય તો આગળ વાંધો નથી આવતો. સારા પરિણામની આશા સાથે અનેક વિદ્યાર્થીઓ ભરપૂર મહેનત કરતા હોય છે. દિવસ રાત એક કરી તેઓ પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે પરંતુ અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જે સારા માર્ક્સ મેળવવા માટે ચોરી કરતા હોય છે. પરંતુ ધોળકાથી જે કિસ્સો સામે આવ્યો છે તેણે તમામ હદ વટાવી દીધી છે. બોર્ડની પરીક્ષા આપવા માટે એક વિદ્યાર્થીએ ડમી ઉમેદવારને મોકલ્યો.  

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી!

આખી ઘટનાની વાત કરીએ તો ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલયમાં એક ડમી પરીક્ષાર્થી બોર્ડની પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ધોરણ-12ની બોર્ડમાં 16 માર્ચે તત્ત્વજ્ઞાન વિષયની પરીક્ષા હતી. આ દરમિયાન ડમી વિદ્યાર્થીને પોલીસે ઝડપી પાડ્યો છે. તત્વજ્ઞાનનું પેપર આપવા માટે અસલ વિદ્યાર્થીએ પોતાની જગ્યા પર ડમી વિદ્યાર્થીને મોકલ્યો. પરીક્ષા આપવા માટે ડમી ઉમેદવાર એક્ઝામ હોલમાં બેસે તેની પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમી પરીક્ષાર્થીને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.