Gujaratમાં વધુ એક ડમીકાંડ! ધોળકાની આ શાળામાં ધોરણ 12ની પરીક્ષા આપવા આવેલો ડમી પરીક્ષાર્થી ઝડપાયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-18 12:14:05

નકલી... આ શબ્દ ગુજરાતમાં અનેક વખત સાંભળવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી ઝડપાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. નકલીનું લિસ્ટ જો આપણે બનાવા બેસીએ તો ઘણું લાંબુ થાય અને આ બધા વચ્ચે હવે નકલી વિદ્યાર્થી પકડાયો છે. ધોરણ 12ની પરીક્ષા આપવા માટે ડમી વિદ્યાર્થી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધોળકાની જ્ઞાનદીપ વિદ્યાલયમાંથી ધોરણ 12ની પરીક્ષા આપવા માટે આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. એક્ઝામ આપવા ડમી ઉમેદવાર બેસે તે પહેલા જ તે પકડાઈ ગયો છે. 


બોર્ડની પરીક્ષા આપવા અસલી વિદ્યાર્થીએ મોકલ્યો નકલી પરીક્ષાર્થીને!

ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષાઓ વિદ્યાર્થીના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં માનવામાં આવે છે કે જો બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ આવી જાય તો આગળ વાંધો નથી આવતો. સારા પરિણામની આશા સાથે અનેક વિદ્યાર્થીઓ ભરપૂર મહેનત કરતા હોય છે. દિવસ રાત એક કરી તેઓ પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે પરંતુ અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જે સારા માર્ક્સ મેળવવા માટે ચોરી કરતા હોય છે. પરંતુ ધોળકાથી જે કિસ્સો સામે આવ્યો છે તેણે તમામ હદ વટાવી દીધી છે. બોર્ડની પરીક્ષા આપવા માટે એક વિદ્યાર્થીએ ડમી ઉમેદવારને મોકલ્યો.  

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી!

આખી ઘટનાની વાત કરીએ તો ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલયમાં એક ડમી પરીક્ષાર્થી બોર્ડની પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ધોરણ-12ની બોર્ડમાં 16 માર્ચે તત્ત્વજ્ઞાન વિષયની પરીક્ષા હતી. આ દરમિયાન ડમી વિદ્યાર્થીને પોલીસે ઝડપી પાડ્યો છે. તત્વજ્ઞાનનું પેપર આપવા માટે અસલ વિદ્યાર્થીએ પોતાની જગ્યા પર ડમી વિદ્યાર્થીને મોકલ્યો. પરીક્ષા આપવા માટે ડમી ઉમેદવાર એક્ઝામ હોલમાં બેસે તેની પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમી પરીક્ષાર્થીને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.