વધુ એક આસમાની આફત, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-01 16:41:46

રાજ્યમાં તાજેતરમાં થયેલા માવઠા બાદ વધુ કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે માવઠાની આગાહી કરી છે. ખેડૂતો માટે આસમાની આફત સાબિત થયેલા માવઠાને હજુ ભૂલી શકાયું નથી ત્યાં વધુ એક સંકટથી તેમની પરિસ્થિતી કફોડી બની છે. હવામાન વિભાગેના જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થશે. ઉલ્લેખનિય છે આજે પણ દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 


આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે 'ડિસેમ્બર મહિનામાં ઠંડી વધશે, જ્યારે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી. જો કે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને લીમખેડામાં માવઠું તેની અસર બતાવી શકે છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તે જ પ્રકારે આજે 24 કલાકમાં દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલમાં કમોસમી વરસાદ થઇ શકે છે.'


નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન


મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન છે જેના કારણે સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં રાતનું તાપમાન વધશે અને ચોથા દિવસથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ત્રણેક દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી દિવસના ટેમ્પરેચરમાં વધારો થશે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ઉલ્લેનિય છે કે અત્યાર સુધીની સિઝનનું સૌથી ઓછું તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી નોંધાયુ છે. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં પણ 19.8 ડિગ્રી સેલ્શિયસ નોંધાયુ હતુ.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.