વધુ એક આસમાની આફત, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-01 16:41:46

રાજ્યમાં તાજેતરમાં થયેલા માવઠા બાદ વધુ કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે માવઠાની આગાહી કરી છે. ખેડૂતો માટે આસમાની આફત સાબિત થયેલા માવઠાને હજુ ભૂલી શકાયું નથી ત્યાં વધુ એક સંકટથી તેમની પરિસ્થિતી કફોડી બની છે. હવામાન વિભાગેના જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થશે. ઉલ્લેખનિય છે આજે પણ દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 


આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે 'ડિસેમ્બર મહિનામાં ઠંડી વધશે, જ્યારે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી. જો કે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને લીમખેડામાં માવઠું તેની અસર બતાવી શકે છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તે જ પ્રકારે આજે 24 કલાકમાં દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલમાં કમોસમી વરસાદ થઇ શકે છે.'


નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન


મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન છે જેના કારણે સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં રાતનું તાપમાન વધશે અને ચોથા દિવસથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ત્રણેક દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી દિવસના ટેમ્પરેચરમાં વધારો થશે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ઉલ્લેનિય છે કે અત્યાર સુધીની સિઝનનું સૌથી ઓછું તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી નોંધાયુ છે. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં પણ 19.8 ડિગ્રી સેલ્શિયસ નોંધાયુ હતુ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.