વધુ એક આસમાની આફત, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-01 16:41:46

રાજ્યમાં તાજેતરમાં થયેલા માવઠા બાદ વધુ કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે માવઠાની આગાહી કરી છે. ખેડૂતો માટે આસમાની આફત સાબિત થયેલા માવઠાને હજુ ભૂલી શકાયું નથી ત્યાં વધુ એક સંકટથી તેમની પરિસ્થિતી કફોડી બની છે. હવામાન વિભાગેના જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થશે. ઉલ્લેખનિય છે આજે પણ દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 


આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે 'ડિસેમ્બર મહિનામાં ઠંડી વધશે, જ્યારે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી. જો કે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને લીમખેડામાં માવઠું તેની અસર બતાવી શકે છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તે જ પ્રકારે આજે 24 કલાકમાં દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલમાં કમોસમી વરસાદ થઇ શકે છે.'


નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન


મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન છે જેના કારણે સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં રાતનું તાપમાન વધશે અને ચોથા દિવસથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ત્રણેક દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી દિવસના ટેમ્પરેચરમાં વધારો થશે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ઉલ્લેનિય છે કે અત્યાર સુધીની સિઝનનું સૌથી ઓછું તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી નોંધાયુ છે. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં પણ 19.8 ડિગ્રી સેલ્શિયસ નોંધાયુ હતુ.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .