ચંદ્રબાબૂ નાયડૂની રેલીમાં ફરી એક વખત થઈ નાસભાગ, ગુંટૂરમાં યોજાયેલ કાર્યક્રમમાં થયા 3 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-02 09:29:45

આંધ્રપ્રદેશમાં ફરી એક વખત નાસભાગ થવાને કારણે 3 લોકોના મોત થયા છે. ગુંટુરમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુની સભા હતી જેમાં આ નાસભાગની દુર્ઘટના બની છે. ઉપરાંત આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂ નાયડૂના કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાર દિવસોમાં આવી ઘટના બીજી વાર બનવા પામી છે.


નાસભાગ થવાને કારણે 3 લોકોના થયા મોત

થોડા દિવસો પહેલા ચંદ્રબાબુ નાયડૂની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં હજારોની ભીડ એકત્રિત થઈ હતી. આ જનસભામાં નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે 8 કાર્યકરોના મોત નિપજ્યાં હતા. ત્યારે આવી જ નાસભાગ ફરી એક વખત નાયડૂના રોડશોમાં થવા પામી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


મુખ્યમંત્રીએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું 

આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી દીધી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાની જાહેરાત પણ કરી છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂએ કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો. તેમણે કહ્યું કે આ એક દુ:ખદ દુર્ઘટના છે. મને આ વાતનો અફસોસ છે. આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ તેલુગુ દેશમ પાર્ટીને જવાબદાર ગણાવી છે.        




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.