ચંદ્રબાબૂ નાયડૂની રેલીમાં ફરી એક વખત થઈ નાસભાગ, ગુંટૂરમાં યોજાયેલ કાર્યક્રમમાં થયા 3 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-02 09:29:45

આંધ્રપ્રદેશમાં ફરી એક વખત નાસભાગ થવાને કારણે 3 લોકોના મોત થયા છે. ગુંટુરમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુની સભા હતી જેમાં આ નાસભાગની દુર્ઘટના બની છે. ઉપરાંત આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂ નાયડૂના કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાર દિવસોમાં આવી ઘટના બીજી વાર બનવા પામી છે.


નાસભાગ થવાને કારણે 3 લોકોના થયા મોત

થોડા દિવસો પહેલા ચંદ્રબાબુ નાયડૂની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં હજારોની ભીડ એકત્રિત થઈ હતી. આ જનસભામાં નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે 8 કાર્યકરોના મોત નિપજ્યાં હતા. ત્યારે આવી જ નાસભાગ ફરી એક વખત નાયડૂના રોડશોમાં થવા પામી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


મુખ્યમંત્રીએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું 

આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી દીધી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાની જાહેરાત પણ કરી છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂએ કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો. તેમણે કહ્યું કે આ એક દુ:ખદ દુર્ઘટના છે. મને આ વાતનો અફસોસ છે. આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ તેલુગુ દેશમ પાર્ટીને જવાબદાર ગણાવી છે.        




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.