ચંદ્રબાબૂ નાયડૂની રેલીમાં ફરી એક વખત થઈ નાસભાગ, ગુંટૂરમાં યોજાયેલ કાર્યક્રમમાં થયા 3 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-02 09:29:45

આંધ્રપ્રદેશમાં ફરી એક વખત નાસભાગ થવાને કારણે 3 લોકોના મોત થયા છે. ગુંટુરમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુની સભા હતી જેમાં આ નાસભાગની દુર્ઘટના બની છે. ઉપરાંત આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂ નાયડૂના કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાર દિવસોમાં આવી ઘટના બીજી વાર બનવા પામી છે.


નાસભાગ થવાને કારણે 3 લોકોના થયા મોત

થોડા દિવસો પહેલા ચંદ્રબાબુ નાયડૂની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં હજારોની ભીડ એકત્રિત થઈ હતી. આ જનસભામાં નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે 8 કાર્યકરોના મોત નિપજ્યાં હતા. ત્યારે આવી જ નાસભાગ ફરી એક વખત નાયડૂના રોડશોમાં થવા પામી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


મુખ્યમંત્રીએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું 

આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી દીધી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાની જાહેરાત પણ કરી છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂએ કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો. તેમણે કહ્યું કે આ એક દુ:ખદ દુર્ઘટના છે. મને આ વાતનો અફસોસ છે. આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ તેલુગુ દેશમ પાર્ટીને જવાબદાર ગણાવી છે.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.