અજય દેવગણની ફિલ્મ ભોલાનું સામે આવ્યું બીજું ટીઝર, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-24 19:13:38

અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ-2એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ત્યારે આવનાર સમયમાં અજયની ફિલ્મ ભોલા રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પહેલું ટીઝર 2022માં રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અજય દેવગણની અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે.

 


ભોલાનું બીજું ટીઝર રિલીઝ થયું 

દ્રશ્યમ-2ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ધૂમ મચાવી હતી. ત્યારે અજયદેવગનની ફિલ્મ ભોલા પણ આવનાર સમયમાં રિલીઝ થવાની છે. 22 નવેમ્બર 2022માં આ ફિલ્મનું પ્રથમ ટીઝર રિલીઝ થયું હતું ત્યારે આજે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હાથમાં શ્રીમદ ભાગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવતો જોવા મળે છે. દર્શકોને અજયનો આ લુક લોકોને પસંદ આવ્યો હતો.


30 માર્ચ 2023ના રોજ ફિલ્મ થશે રિલીઝ 

ફિલ્મના બીજા ટીઝરમાં અજય અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા અજયે લખ્યું કે એક ચટ્ટાન સૌ શૈતાન સે ટકરાયેગા. મોટા પડદા પર અજય અને તબ્બુની કેમેસ્ટ્રી જોવા મળશે. ફિલ્મના નવા ટીઝરમાં તબ્બુનો અવાજ સાંભળવા મળે છે જેમાં તે કહેતા હોય છે આજ રાત યા વો હમે ઢૂંઢ લેગા યા હમ ઉસે, બંદુક કી નોકરી કી હૈ ગોલી તો ખાની પડેગી. આ ફિલ્મ 30 માર્ચના રોજ રિલીઝ થવાની છે.   



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.