અજય દેવગણની ફિલ્મ ભોલાનું સામે આવ્યું બીજું ટીઝર, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-24 19:13:38

અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ-2એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ત્યારે આવનાર સમયમાં અજયની ફિલ્મ ભોલા રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પહેલું ટીઝર 2022માં રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અજય દેવગણની અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે.

 


ભોલાનું બીજું ટીઝર રિલીઝ થયું 

દ્રશ્યમ-2ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ધૂમ મચાવી હતી. ત્યારે અજયદેવગનની ફિલ્મ ભોલા પણ આવનાર સમયમાં રિલીઝ થવાની છે. 22 નવેમ્બર 2022માં આ ફિલ્મનું પ્રથમ ટીઝર રિલીઝ થયું હતું ત્યારે આજે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હાથમાં શ્રીમદ ભાગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવતો જોવા મળે છે. દર્શકોને અજયનો આ લુક લોકોને પસંદ આવ્યો હતો.


30 માર્ચ 2023ના રોજ ફિલ્મ થશે રિલીઝ 

ફિલ્મના બીજા ટીઝરમાં અજય અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા અજયે લખ્યું કે એક ચટ્ટાન સૌ શૈતાન સે ટકરાયેગા. મોટા પડદા પર અજય અને તબ્બુની કેમેસ્ટ્રી જોવા મળશે. ફિલ્મના નવા ટીઝરમાં તબ્બુનો અવાજ સાંભળવા મળે છે જેમાં તે કહેતા હોય છે આજ રાત યા વો હમે ઢૂંઢ લેગા યા હમ ઉસે, બંદુક કી નોકરી કી હૈ ગોલી તો ખાની પડેગી. આ ફિલ્મ 30 માર્ચના રોજ રિલીઝ થવાની છે.   



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.