અજય દેવગણની ફિલ્મ ભોલાનું સામે આવ્યું બીજું ટીઝર, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-24 19:13:38

અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ-2એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ત્યારે આવનાર સમયમાં અજયની ફિલ્મ ભોલા રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પહેલું ટીઝર 2022માં રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અજય દેવગણની અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે.

 


ભોલાનું બીજું ટીઝર રિલીઝ થયું 

દ્રશ્યમ-2ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ધૂમ મચાવી હતી. ત્યારે અજયદેવગનની ફિલ્મ ભોલા પણ આવનાર સમયમાં રિલીઝ થવાની છે. 22 નવેમ્બર 2022માં આ ફિલ્મનું પ્રથમ ટીઝર રિલીઝ થયું હતું ત્યારે આજે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હાથમાં શ્રીમદ ભાગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવતો જોવા મળે છે. દર્શકોને અજયનો આ લુક લોકોને પસંદ આવ્યો હતો.


30 માર્ચ 2023ના રોજ ફિલ્મ થશે રિલીઝ 

ફિલ્મના બીજા ટીઝરમાં અજય અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા અજયે લખ્યું કે એક ચટ્ટાન સૌ શૈતાન સે ટકરાયેગા. મોટા પડદા પર અજય અને તબ્બુની કેમેસ્ટ્રી જોવા મળશે. ફિલ્મના નવા ટીઝરમાં તબ્બુનો અવાજ સાંભળવા મળે છે જેમાં તે કહેતા હોય છે આજ રાત યા વો હમે ઢૂંઢ લેગા યા હમ ઉસે, બંદુક કી નોકરી કી હૈ ગોલી તો ખાની પડેગી. આ ફિલ્મ 30 માર્ચના રોજ રિલીઝ થવાની છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી