અજય દેવગણની ફિલ્મ ભોલાનું સામે આવ્યું બીજું ટીઝર, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-24 19:13:38

અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ-2એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ત્યારે આવનાર સમયમાં અજયની ફિલ્મ ભોલા રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પહેલું ટીઝર 2022માં રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અજય દેવગણની અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે.

 


ભોલાનું બીજું ટીઝર રિલીઝ થયું 

દ્રશ્યમ-2ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ધૂમ મચાવી હતી. ત્યારે અજયદેવગનની ફિલ્મ ભોલા પણ આવનાર સમયમાં રિલીઝ થવાની છે. 22 નવેમ્બર 2022માં આ ફિલ્મનું પ્રથમ ટીઝર રિલીઝ થયું હતું ત્યારે આજે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હાથમાં શ્રીમદ ભાગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવતો જોવા મળે છે. દર્શકોને અજયનો આ લુક લોકોને પસંદ આવ્યો હતો.


30 માર્ચ 2023ના રોજ ફિલ્મ થશે રિલીઝ 

ફિલ્મના બીજા ટીઝરમાં અજય અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા અજયે લખ્યું કે એક ચટ્ટાન સૌ શૈતાન સે ટકરાયેગા. મોટા પડદા પર અજય અને તબ્બુની કેમેસ્ટ્રી જોવા મળશે. ફિલ્મના નવા ટીઝરમાં તબ્બુનો અવાજ સાંભળવા મળે છે જેમાં તે કહેતા હોય છે આજ રાત યા વો હમે ઢૂંઢ લેગા યા હમ ઉસે, બંદુક કી નોકરી કી હૈ ગોલી તો ખાની પડેગી. આ ફિલ્મ 30 માર્ચના રોજ રિલીઝ થવાની છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.