Gujaratમાં ફરી એક વખત નિર્માણાધીન બ્રિજ ધરાશાયી! Palanpurમાં બનતો બ્રિજ તૂટી પડ્યો, Corruptionને લઈ કોંગ્રેસે ભાજપને ઘેરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-23 17:19:40

ગુજરાતને વિકાસશીલ રાજ્ય માનવામાં આવે છે. રાજ્યમાં અનેક બ્રિજોનું નિર્માણ થાય છે જેને કારણે લોકોને સુવિધા મળી રહે. પરંતુ અનેક વખત એ પુલના નિર્માણ વખતે દુર્ઘટના સર્જાતી હોય છે અનેક શ્રમિકો માટે તે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની ઘટના પાલનપુરથી સામે આવી છે. પાલનપુર આરટીઓ સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો જેની નીચે 3 લોકો દટાયા હોવાની આશંકા છે. તે ઉપરાંત સ્લેબ નીચે ટ્રેક્ટર અને રીક્ષા પણ દબાઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અન્ય વાહનોને પણ નુકસાન થયું હોય તેવી માહિતી સામે આવી છે. 


પાલનપુરમાં ભ્રષ્ટાચારી વિકાસ  ધરાશાયી થયો!

રાજ્યમાં અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. દુર્ઘટનામાં અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે વધુ એક દુર્ઘટના પાલનપુરમાં સર્જાઈ છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નિર્માણ  પામેલા બ્રિજ ધરાશાયી થતા હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે પાલનપુરમાં એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૈયાર થાય તે પહેલા જ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જૂના આરટીઓ ઓફિસથી અંબાજી જતા ઓવરબ્રિજનો સ્લેબનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ત્યારે ઓવરબ્રિજ તૂટી પડતા તેની કામગીરી અને મોનિટરિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 


કોંગ્રેસે આ વાતને લઈ સરકાર પર કર્યા પ્રહાર 

મહત્વનું છે કે આ દુર્ઘટના બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વાતને લઈ ટ્વિટ કરવામાં આવી છે. કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતા લખ્યું છે કે પાલનપુર આર.ટી.ઓ સર્કલ નજીક નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજ નહીં સરકારનો ભ્રષ્ટાચારી વિકાસ પડ્યો છે! જ્યાં સુધી કમલમ જતું કમિશન બંધ નહીં થાય ત્યાં સુધી આવો ભ્રષ્ટારી વિકાસ જ દેખાશે!



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.