ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો સંઘી નેતાએ વાયરલ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 19:35:51

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં ત્રણેય પક્ષો એટલે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પક્ષાપક્ષીની રાજનીતિ શરૂ કરી દીધી છે. ગુજરાતની લેબોરેટરીમાં નેતાઓએ ધર્મની રાજનીતિ સહિતના અનેક પ્રયોગો શરૂ કરી દીધા છે ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો વધુ એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે. 


ભાજપના સંઘી નેતાએ ગોપાલ પર સાધ્યા નિશાન!

ભાજપના મનન દાણીએ ટ્વીટર પર વીડિયો ટ્વીટ કરી છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે આ શબ્દો જેના મોઢેથી સાંભળી રહ્યા છો તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના છે. આ વીડિયોમાં આપના પ્રદેશ પ્રમુખ આવા હોય તો ટોચનું નૈતૃત્વ કેવું હશે? તેમણે લખ્યું છે કે હું સંઘી છું અને RSSએ હંમેશા દેશને સમર્પિત રહ્યું છે.

  

પણ ગોપાલ ઈટાલિયા બોલી શું રહ્યા છે?

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ભાજપ પર વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા વીડિયોમાં કહી રહ્યા છે જ્યાં સવાલ કરવાના હોય ત્યાં સવાલ કરો. તમારી સરકારને સવાલ પૂછો કે 25 વર્ષથી શું મેથી મારી રહી છે.

  

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત નિવેદનોની એક સીરિઝ બનાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સિવાય હવે ભાજપના અન્ય નેતા પણ ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદનોના વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચઢાવી લોકોને આમ આદમી તરફ આકર્ષતા રોકવાના કામે લાગી છે.  





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.