ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો સંઘી નેતાએ વાયરલ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 19:35:51

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં ત્રણેય પક્ષો એટલે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પક્ષાપક્ષીની રાજનીતિ શરૂ કરી દીધી છે. ગુજરાતની લેબોરેટરીમાં નેતાઓએ ધર્મની રાજનીતિ સહિતના અનેક પ્રયોગો શરૂ કરી દીધા છે ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો વધુ એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે. 


ભાજપના સંઘી નેતાએ ગોપાલ પર સાધ્યા નિશાન!

ભાજપના મનન દાણીએ ટ્વીટર પર વીડિયો ટ્વીટ કરી છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે આ શબ્દો જેના મોઢેથી સાંભળી રહ્યા છો તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના છે. આ વીડિયોમાં આપના પ્રદેશ પ્રમુખ આવા હોય તો ટોચનું નૈતૃત્વ કેવું હશે? તેમણે લખ્યું છે કે હું સંઘી છું અને RSSએ હંમેશા દેશને સમર્પિત રહ્યું છે.

  

પણ ગોપાલ ઈટાલિયા બોલી શું રહ્યા છે?

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ભાજપ પર વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા વીડિયોમાં કહી રહ્યા છે જ્યાં સવાલ કરવાના હોય ત્યાં સવાલ કરો. તમારી સરકારને સવાલ પૂછો કે 25 વર્ષથી શું મેથી મારી રહી છે.

  

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત નિવેદનોની એક સીરિઝ બનાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સિવાય હવે ભાજપના અન્ય નેતા પણ ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદનોના વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચઢાવી લોકોને આમ આદમી તરફ આકર્ષતા રોકવાના કામે લાગી છે.  





સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"