ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો સંઘી નેતાએ વાયરલ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 19:35:51

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં ત્રણેય પક્ષો એટલે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પક્ષાપક્ષીની રાજનીતિ શરૂ કરી દીધી છે. ગુજરાતની લેબોરેટરીમાં નેતાઓએ ધર્મની રાજનીતિ સહિતના અનેક પ્રયોગો શરૂ કરી દીધા છે ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો વધુ એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે. 


ભાજપના સંઘી નેતાએ ગોપાલ પર સાધ્યા નિશાન!

ભાજપના મનન દાણીએ ટ્વીટર પર વીડિયો ટ્વીટ કરી છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે આ શબ્દો જેના મોઢેથી સાંભળી રહ્યા છો તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના છે. આ વીડિયોમાં આપના પ્રદેશ પ્રમુખ આવા હોય તો ટોચનું નૈતૃત્વ કેવું હશે? તેમણે લખ્યું છે કે હું સંઘી છું અને RSSએ હંમેશા દેશને સમર્પિત રહ્યું છે.

  

પણ ગોપાલ ઈટાલિયા બોલી શું રહ્યા છે?

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ભાજપ પર વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા વીડિયોમાં કહી રહ્યા છે જ્યાં સવાલ કરવાના હોય ત્યાં સવાલ કરો. તમારી સરકારને સવાલ પૂછો કે 25 વર્ષથી શું મેથી મારી રહી છે.

  

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત નિવેદનોની એક સીરિઝ બનાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સિવાય હવે ભાજપના અન્ય નેતા પણ ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદનોના વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચઢાવી લોકોને આમ આદમી તરફ આકર્ષતા રોકવાના કામે લાગી છે.  





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.