સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-26 11:55:30

છેલ્લા અનેક દિવસોથી તિહાર જેલમાં બંધ દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનની સાથે જેલ અધિક્ષક દેખાઈ રહ્યા છે. જેલ અધિક્ષક તેમની સાથે વાત કરતા નજરે પડે છે.  આ જેલ સુપ્રિટેન્ડન્ટને હાલમાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  આ વીડિયોને લઈ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.

વીડિયોને લઈ ભાજપે કર્યા આપ પર પ્રહાર 

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં સજા ભોગવી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી જૈનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આજે ત્રીજો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં જેલ અધિક્ષક સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ બોડી મસાજ કરાવતા નજરે પડે છે જ્યારે બીજા વીડિયોમાં તેઓ સારૂ ભોજન કરતા અને ફળ ખાતા નજરે પડ્યા હતા. ભાજપે સત્યેન્દ્ર જૈનના વીડિયો પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલે ટ્વિટ કરી હતી. ઉપરાંત સત્યેન્દ્ર જૈનના રાજીનામાની માગ કરી હતી. જો કે જમાવટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.