સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-26 11:55:30

છેલ્લા અનેક દિવસોથી તિહાર જેલમાં બંધ દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનની સાથે જેલ અધિક્ષક દેખાઈ રહ્યા છે. જેલ અધિક્ષક તેમની સાથે વાત કરતા નજરે પડે છે.  આ જેલ સુપ્રિટેન્ડન્ટને હાલમાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  આ વીડિયોને લઈ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.

વીડિયોને લઈ ભાજપે કર્યા આપ પર પ્રહાર 

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં સજા ભોગવી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી જૈનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આજે ત્રીજો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં જેલ અધિક્ષક સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ બોડી મસાજ કરાવતા નજરે પડે છે જ્યારે બીજા વીડિયોમાં તેઓ સારૂ ભોજન કરતા અને ફળ ખાતા નજરે પડ્યા હતા. ભાજપે સત્યેન્દ્ર જૈનના વીડિયો પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલે ટ્વિટ કરી હતી. ઉપરાંત સત્યેન્દ્ર જૈનના રાજીનામાની માગ કરી હતી. જો કે જમાવટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.