સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-26 11:55:30

છેલ્લા અનેક દિવસોથી તિહાર જેલમાં બંધ દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનની સાથે જેલ અધિક્ષક દેખાઈ રહ્યા છે. જેલ અધિક્ષક તેમની સાથે વાત કરતા નજરે પડે છે.  આ જેલ સુપ્રિટેન્ડન્ટને હાલમાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  આ વીડિયોને લઈ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.

વીડિયોને લઈ ભાજપે કર્યા આપ પર પ્રહાર 

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં સજા ભોગવી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી જૈનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આજે ત્રીજો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં જેલ અધિક્ષક સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ બોડી મસાજ કરાવતા નજરે પડે છે જ્યારે બીજા વીડિયોમાં તેઓ સારૂ ભોજન કરતા અને ફળ ખાતા નજરે પડ્યા હતા. ભાજપે સત્યેન્દ્ર જૈનના વીડિયો પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલે ટ્વિટ કરી હતી. ઉપરાંત સત્યેન્દ્ર જૈનના રાજીનામાની માગ કરી હતી. જો કે જમાવટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.