સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-26 11:55:30

છેલ્લા અનેક દિવસોથી તિહાર જેલમાં બંધ દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનની સાથે જેલ અધિક્ષક દેખાઈ રહ્યા છે. જેલ અધિક્ષક તેમની સાથે વાત કરતા નજરે પડે છે.  આ જેલ સુપ્રિટેન્ડન્ટને હાલમાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  આ વીડિયોને લઈ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.

વીડિયોને લઈ ભાજપે કર્યા આપ પર પ્રહાર 

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં સજા ભોગવી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી જૈનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આજે ત્રીજો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં જેલ અધિક્ષક સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ બોડી મસાજ કરાવતા નજરે પડે છે જ્યારે બીજા વીડિયોમાં તેઓ સારૂ ભોજન કરતા અને ફળ ખાતા નજરે પડ્યા હતા. ભાજપે સત્યેન્દ્ર જૈનના વીડિયો પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલે ટ્વિટ કરી હતી. ઉપરાંત સત્યેન્દ્ર જૈનના રાજીનામાની માગ કરી હતી. જો કે જમાવટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.