રશિયાના રાષ્ટ્રપતિ સિવાયના દેશના મોટા નેતાઓએ મોરબી દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 15:47:13

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબીની દુર્ઘટનાની નોંધ લીધી હતી અને ભારતને સંવેદના પાઠવી હતી. આ સિવાય દુનિયાના મોટા નેતાઓએ ભારતને આ દુખથી ઉભરવા માટે સંવેદના પાઠવી હતી. ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 130થી વધુ લોકોના મોત થઈ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને મૃતકોના પરિજનોને આ દુખથી લડવા માટે તાકત મળે તેવી પ્રાર્થના કરી હતી. 


રશિયા રાષ્ટ્રપતિનો મોરબી મામલે સંદેશ 

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લખ્યું હતું કે, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં પુલ ધરાશાયી થવાના દુ:ખદ પરિણામો પર રશિયા તરફથી સંવેદના સ્વીકારો. અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિતોના પરિવારોને દુખથી ઉભરવાની તાકત મળે. મોરબી દુર્ઘટનામાં ઈજા પામેલા તમામ લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 


રશિયા સિવાય નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દૈબાએ પણ મોરબી દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરી હતી. ભારતમાં બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ ઈલિસે ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના મોરબીની દુર્ઘટના દુઃખથી ભરી દે તેવી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.