રશિયાના રાષ્ટ્રપતિ સિવાયના દેશના મોટા નેતાઓએ મોરબી દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 15:47:13

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબીની દુર્ઘટનાની નોંધ લીધી હતી અને ભારતને સંવેદના પાઠવી હતી. આ સિવાય દુનિયાના મોટા નેતાઓએ ભારતને આ દુખથી ઉભરવા માટે સંવેદના પાઠવી હતી. ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 130થી વધુ લોકોના મોત થઈ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને મૃતકોના પરિજનોને આ દુખથી લડવા માટે તાકત મળે તેવી પ્રાર્થના કરી હતી. 


રશિયા રાષ્ટ્રપતિનો મોરબી મામલે સંદેશ 

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લખ્યું હતું કે, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં પુલ ધરાશાયી થવાના દુ:ખદ પરિણામો પર રશિયા તરફથી સંવેદના સ્વીકારો. અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિતોના પરિવારોને દુખથી ઉભરવાની તાકત મળે. મોરબી દુર્ઘટનામાં ઈજા પામેલા તમામ લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 


રશિયા સિવાય નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દૈબાએ પણ મોરબી દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરી હતી. ભારતમાં બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ ઈલિસે ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના મોરબીની દુર્ઘટના દુઃખથી ભરી દે તેવી છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"