રશિયાના રાષ્ટ્રપતિ સિવાયના દેશના મોટા નેતાઓએ મોરબી દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 15:47:13

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબીની દુર્ઘટનાની નોંધ લીધી હતી અને ભારતને સંવેદના પાઠવી હતી. આ સિવાય દુનિયાના મોટા નેતાઓએ ભારતને આ દુખથી ઉભરવા માટે સંવેદના પાઠવી હતી. ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 130થી વધુ લોકોના મોત થઈ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને મૃતકોના પરિજનોને આ દુખથી લડવા માટે તાકત મળે તેવી પ્રાર્થના કરી હતી. 


રશિયા રાષ્ટ્રપતિનો મોરબી મામલે સંદેશ 

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લખ્યું હતું કે, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં પુલ ધરાશાયી થવાના દુ:ખદ પરિણામો પર રશિયા તરફથી સંવેદના સ્વીકારો. અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિતોના પરિવારોને દુખથી ઉભરવાની તાકત મળે. મોરબી દુર્ઘટનામાં ઈજા પામેલા તમામ લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 


રશિયા સિવાય નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દૈબાએ પણ મોરબી દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરી હતી. ભારતમાં બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ ઈલિસે ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના મોરબીની દુર્ઘટના દુઃખથી ભરી દે તેવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.