આજે આરાસુરી માતાની શોભાયાત્રા નિકળશે, યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું


  • Published By :
  • Published Date : 2023-01-06 16:19:35

રાજ્યમાં આજે પવિત્ર પોષી પુનમ નિમિત્તે યાત્રાધામ અંબાજી મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. પોષી પુનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે, તેથી યાત્રાધામ અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પોષી પુનમ શાકંભરી નવરાત્રીમાં આવતી હોવાથી આ પુનમ શાકંભરી પુનમ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદીર ખાતે વહેલી સવારથી જ શ્રધ્ધાળુંઓની લાંબી કતાર જોવા મળી રહી છે. આવા જ દ્રશ્યો આજે ઊંઝામાં ઉમિયાધામ, શામળાજી, નડિયાદ સંતરામ મંદિર, સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા, પાવાગઢ મહાકાળી મંદિરે પણ જોવા મળ્યા હતા. 


મા અંબાની ભવ્ય શોભાયાત્રા


આજે યાત્રાધામ અંબાજીમાં હાથીની અંબાડી પર મા અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ગબ્બરથી મંદિર સુધીના માતાજીના ચાચર ચોક સુધીના જયોત યાત્રામાં 25 થી 30 જેટલા ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવશે. તો અંબાજી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શક્તિની ઉપાસના અને આરાધનાનું મહત્વ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ઉપરાંત માં અંબાના મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.