અરવલ્લી: સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં બોટ દોડાવી પડી


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 16:18:28

ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ વરસાદે લાંબા સમય સુધી વિરામ લીધો હતો અને છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે બાયડની નિચાણ વાળી સોસાયટીઓમાં પાણી ભરાતા ફસાયેલા રહીશોને એનડીઆરાએફ દ્વારા રેસ્ક્યુ કરાયું


     અરવલ્લી જિલ્લા માં ખબકેલ વરસાદ માં સૌથી વધુ વરસાદ બાયડ તાલુકા માં ખાબક્યો હતો બાયડ શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં પણ ધોધમાર વરસાદ ના કારણે બાયડ નું રામ નું તળાવ,ગામ નું તળાવ ઓવરફ્લો થયું જેના કારણે એ તમામ પાણી નિચાણ વાળા વિસ્તારો માં આવે છે જેના કારણે શ્રીનાથ સોસાયટી, લાખેશ્વરી વિસ્તાર માં રહીશો ના ઘરો માં પાણી ઘૂસી ગયા હતા ઘરમાં રહેલા પરિવારજનો પણ ફસાયા હતા જેથી એનડીઆરએફ અને મોડાસા ફાયર ની મદદ લેવાઈ હતી અને રેસ્ક્યુ કરી નાના બાળકો,ગર્ભવતી મહિલા,વૃદ્ધો ને બચાવાયા હતા અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અત્યાર સુધી 200 કરતા વધારે લોકો નું રેસ્ક્યુ કરાયું છે હજુ પણ અનેક લોકો ઘરમાં ફસાયેલા છે ત્યારે હાલ પણ રેસ્ક્યુ ચાલુ રખાયું છે





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે