અરવલ્લી: સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં બોટ દોડાવી પડી


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 16:18:28

ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ વરસાદે લાંબા સમય સુધી વિરામ લીધો હતો અને છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે બાયડની નિચાણ વાળી સોસાયટીઓમાં પાણી ભરાતા ફસાયેલા રહીશોને એનડીઆરાએફ દ્વારા રેસ્ક્યુ કરાયું


     અરવલ્લી જિલ્લા માં ખબકેલ વરસાદ માં સૌથી વધુ વરસાદ બાયડ તાલુકા માં ખાબક્યો હતો બાયડ શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં પણ ધોધમાર વરસાદ ના કારણે બાયડ નું રામ નું તળાવ,ગામ નું તળાવ ઓવરફ્લો થયું જેના કારણે એ તમામ પાણી નિચાણ વાળા વિસ્તારો માં આવે છે જેના કારણે શ્રીનાથ સોસાયટી, લાખેશ્વરી વિસ્તાર માં રહીશો ના ઘરો માં પાણી ઘૂસી ગયા હતા ઘરમાં રહેલા પરિવારજનો પણ ફસાયા હતા જેથી એનડીઆરએફ અને મોડાસા ફાયર ની મદદ લેવાઈ હતી અને રેસ્ક્યુ કરી નાના બાળકો,ગર્ભવતી મહિલા,વૃદ્ધો ને બચાવાયા હતા અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અત્યાર સુધી 200 કરતા વધારે લોકો નું રેસ્ક્યુ કરાયું છે હજુ પણ અનેક લોકો ઘરમાં ફસાયેલા છે ત્યારે હાલ પણ રેસ્ક્યુ ચાલુ રખાયું છે





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી