અરવલ્લી: સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં બોટ દોડાવી પડી


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 16:18:28

ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ વરસાદે લાંબા સમય સુધી વિરામ લીધો હતો અને છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે બાયડની નિચાણ વાળી સોસાયટીઓમાં પાણી ભરાતા ફસાયેલા રહીશોને એનડીઆરાએફ દ્વારા રેસ્ક્યુ કરાયું


     અરવલ્લી જિલ્લા માં ખબકેલ વરસાદ માં સૌથી વધુ વરસાદ બાયડ તાલુકા માં ખાબક્યો હતો બાયડ શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં પણ ધોધમાર વરસાદ ના કારણે બાયડ નું રામ નું તળાવ,ગામ નું તળાવ ઓવરફ્લો થયું જેના કારણે એ તમામ પાણી નિચાણ વાળા વિસ્તારો માં આવે છે જેના કારણે શ્રીનાથ સોસાયટી, લાખેશ્વરી વિસ્તાર માં રહીશો ના ઘરો માં પાણી ઘૂસી ગયા હતા ઘરમાં રહેલા પરિવારજનો પણ ફસાયા હતા જેથી એનડીઆરએફ અને મોડાસા ફાયર ની મદદ લેવાઈ હતી અને રેસ્ક્યુ કરી નાના બાળકો,ગર્ભવતી મહિલા,વૃદ્ધો ને બચાવાયા હતા અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અત્યાર સુધી 200 કરતા વધારે લોકો નું રેસ્ક્યુ કરાયું છે હજુ પણ અનેક લોકો ઘરમાં ફસાયેલા છે ત્યારે હાલ પણ રેસ્ક્યુ ચાલુ રખાયું છે





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.