Arbuda Senaના નેતા અને Former Home Minister Vipul Chaudhryએ કરી ટિપ્પણી. સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-11 16:58:58

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવશે ટૂંક સમયમાં. ચૂંટણીના સમયે રાજનેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત વિવાદ ઉભો કરી દેતો હોય છે. ત્યારે પાટીદાર સમાજને લઈ પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે અને અનેક પાટીદારોમાં તેમના નિવેદનને લઈ રોષ ભભૂકી ઉઠ્યો છે. મહેસાણા અર્બુદા ભવન ખાતે વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું હતું. 

પાટીદાર સમાજને લઈ વિપુલ ચૌધરીએ આપ્યું હતું નિવેદન!

અર્બુદા સંગઠનની બેઠક મળી હતી જેમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ પાટીદાર સમાજના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પાટીદાર સમાજની સંસ્થાઓમાં સેવાઓનો પ્રભાવ ઓછો થઈ ગયો છે ઉપરાંત પાટીદાર સમાજની શિક્ષણ સંસ્થાઓમાં વેપારી કરણ અને રૂપિયાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ નિવેદન બાદ પાટિદાર સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે