Arbuda Senaના નેતા અને Former Home Minister Vipul Chaudhryએ કરી ટિપ્પણી. સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-11 16:58:58

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવશે ટૂંક સમયમાં. ચૂંટણીના સમયે રાજનેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત વિવાદ ઉભો કરી દેતો હોય છે. ત્યારે પાટીદાર સમાજને લઈ પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે અને અનેક પાટીદારોમાં તેમના નિવેદનને લઈ રોષ ભભૂકી ઉઠ્યો છે. મહેસાણા અર્બુદા ભવન ખાતે વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું હતું. 

પાટીદાર સમાજને લઈ વિપુલ ચૌધરીએ આપ્યું હતું નિવેદન!

અર્બુદા સંગઠનની બેઠક મળી હતી જેમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ પાટીદાર સમાજના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પાટીદાર સમાજની સંસ્થાઓમાં સેવાઓનો પ્રભાવ ઓછો થઈ ગયો છે ઉપરાંત પાટીદાર સમાજની શિક્ષણ સંસ્થાઓમાં વેપારી કરણ અને રૂપિયાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ નિવેદન બાદ પાટિદાર સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.