અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનને લઈ માફી માગી, કહ્યું મારી ભૂલ હતી શરત ચૂક હતી....


  • Published By :
  • Published Date : 2024-03-16 10:41:31

અનેક વખત રાજનેતાઓ એવા નિવેદનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. પહેલા નિવેદન આપી દે છે અને વિવાદ વધતા માફી માગી લે છે. મારી ભૂલ છે હું સ્વીકારું છું.. આવું રાજનેતાઓ ઘણી ઓછી વાર બોલતા હોય છે. પહેલા બોલી લે છે અને પછી માફી માગી લે છે. બોલ્યા પછી રાજનેતાઓને ખ્યાલ આવે છે કે આવું ના બોલાય! આવું જ કંઈક રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી સાથે થયું. થોડા દિવસો પહેલા તેમણે પાટીદાર સમાજને લઈ નિવેદન આપ્યું હતું અને હવે તેમણે તે માટે માફી માગી છે. પાટીદાર સમાજ માટે આપવામાં આવેલા નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો. 

પાટીદાર સંસ્થા માટે આપ્યું હતું આ નિવેદન

થોડા દિવસ પહેલા મહેસાણામાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપ્યું હતું અને તે નિવેદનને કારણે વિવાદ થયો હતો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. સાથે જ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 

પાટીદાર સમાજ માટે આપેલા નિવેદનને લઈ માગી માફી! 

વિપુલ ચૌધરીના આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો! ત્યારે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિશે કરેલા નિવેદન બાદ માફી માંગી છે.  તેમણે કહ્યું કે મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું. મહત્વનું છે કે નિવેદન આપતા પહેલા નેતાઓ નથી વિચારતા કે તે બોલી શું રહ્યા છે અને જ્યારે વિવાદ વધે છે તે બાદ તે માફી માગી  મામલો શાંત પાડવાની કોશિશ કરે છે.!



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .