અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનને લઈ માફી માગી, કહ્યું મારી ભૂલ હતી શરત ચૂક હતી....


  • Published By :
  • Published Date : 2024-03-16 10:41:31

અનેક વખત રાજનેતાઓ એવા નિવેદનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. પહેલા નિવેદન આપી દે છે અને વિવાદ વધતા માફી માગી લે છે. મારી ભૂલ છે હું સ્વીકારું છું.. આવું રાજનેતાઓ ઘણી ઓછી વાર બોલતા હોય છે. પહેલા બોલી લે છે અને પછી માફી માગી લે છે. બોલ્યા પછી રાજનેતાઓને ખ્યાલ આવે છે કે આવું ના બોલાય! આવું જ કંઈક રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી સાથે થયું. થોડા દિવસો પહેલા તેમણે પાટીદાર સમાજને લઈ નિવેદન આપ્યું હતું અને હવે તેમણે તે માટે માફી માગી છે. પાટીદાર સમાજ માટે આપવામાં આવેલા નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો. 

પાટીદાર સંસ્થા માટે આપ્યું હતું આ નિવેદન

થોડા દિવસ પહેલા મહેસાણામાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપ્યું હતું અને તે નિવેદનને કારણે વિવાદ થયો હતો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. સાથે જ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 

પાટીદાર સમાજ માટે આપેલા નિવેદનને લઈ માગી માફી! 

વિપુલ ચૌધરીના આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો! ત્યારે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિશે કરેલા નિવેદન બાદ માફી માંગી છે.  તેમણે કહ્યું કે મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું. મહત્વનું છે કે નિવેદન આપતા પહેલા નેતાઓ નથી વિચારતા કે તે બોલી શું રહ્યા છે અને જ્યારે વિવાદ વધે છે તે બાદ તે માફી માગી  મામલો શાંત પાડવાની કોશિશ કરે છે.!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.