અર્બુદા સેનાનું મહાસંમેલન બનાસકાંઠાના પેછડાલ ગામે યોજાયું, આગેવાનોએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 18:19:16

મહેસાણાની દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડને લઈ ચૌધરી સમાજમાં જબરદસ્ત આક્રોશ છે. આજે બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામે  અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં બનાસકાંઠા સહિત 4 જિલ્લાના ચૌધરી સમાજના આગેવાનો અને મહિલાઓ હાજર રહી હતી. સંમેલનમાં સમાજના અગ્રણીઓએ વિપુલ ચૌધરીની ધરપકડનો ઉગ્ર શબ્દોમાં વિરોધ કર્યો હતો. 


ભાજપના રાજકીય કાર્યક્રમોના વિરોધની ચિમકી


અર્બુદા સેનાના મહાસંમેલનમાં દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, આપના દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી, આપના ડીસા વિધાનસભાના ઉમેદવાર રમેશ ચૌધરી સહિત અર્બુદા સેનાના આગેવાનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતાં. આ નેતાઓએ ભાજપની ગોરવયાત્રા પર પ્રહારો કર્યા હતા અર્બુદા સેનાના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સરદાર પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો અમે ભાજપના રાજકીય કાર્યક્રમોનો વિરોધ કરીશું. તો બીજી તરફ ડીસા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રમેશ પટેલે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, વિપુલ ચૌધરીને મુક્ત કરાવવા માટે 20મી તારીખે જામીન અંગે નિર્ણય કરવામાં આવશે. જો તેમ નહીં થાય તો 45 દિવસમાં ભાજપના ગરબા ઘરે આવશે. મોગજીભાઈ ચૌધરીએ આકરા શબ્દોમાં  કહ્યું કે જો ભાજપ અમારી દિવાળી બગાડશે તો અમે તેમની દેવ દિવાળી બગડશું તે નક્કી છે. 


ગાંધીનગરમાં 30 તારીખે યોજાશે મહાપંચાયત


આ મહાસંમેલનમાં ચૌધરી સમાજના અગ્રણીઓ દ્વારા આગામી 30 તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં સમગ્ર ગુજરાતમાંથી 2 લાખ લોકો  હાજરી આપશે. મહાપંચાયતમાં 2022ની વિધાનસભાની રણનીતિ નક્કી કરવામાં આવશે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.